SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂંથો પ્રસ્તાવ-રાજાએ વિધવિધ આદેશ દ્વારા રાહકની કરેલી બુદ્ધિ પરીક્ષા. [ ૧૦૯ ] જાડા અરિસાના તળવડે તે તેલને માપ્યા, અને ફરીથી તેના જ વડે તેલને પણ માપ્યું. કેમકે બુદ્ધિને શું દુષ્કર છે? પછી એક દિવસ રાજાએ રેતીની વર્તિત કરાવી (કરવાનું કહ્યું કે, તે વર્તિવડે શાળના ખાનું રક્ષણ કરવાનું કહ્યું. રેહક પણ બે કે-“રાજાનું કાર્ય બરાબર કરવું જોઈએ. પરંતુ અમે પૂર્વે આવું કાર્ય કર્યું નથી, તેથી તેનું પ્રમાણ જાણતા નથી. તેથી આગળની વર્તિને એક કકડો અમને દેખાડે, કે જેથી તે પ્રમાણ વડે અમે તે નવી મોટી કરીએ.” પછી એક દિવસ રાજાએ ત્યાં વૃદ્ધ હાથીને મોકલે, અને કહ્યું કે-“આ મારા હાથીને મનથી પાળ. જેવી તેની સ્થિતિ હોય તેવી તેની વાર્તા મને સાચી કહેવી. પરંતુ મારી પાસે “મૃત ”૨ આ બે અક્ષરને ઉચ્ચાર કરવો નહીં. પછી તે મરી ગયો, ત્યારે રેહકે રાજાને આ પ્રમાણે જણાવ્યું કે “હે દેવ! આજે હાથી ખાતે નથી, તથા પીતો પણ નથી. ઉસ નિઃશ્વાસ પણ કરતા નથી. ” રાજાએ કહ્યું કે-“ ત્યારે શું તે મરી ગયો?” ત્યારે રોહક બેલ્યો કે-“કાંઈ જાણતો જ નથી, તેનું કારણ દેવ (તમે) જ જાણે છે.” રાજાએ ફરીથી તે ગામજનેને આદેશ કર્યો કે-“હે કો! સ્વાદિષ્ટ જળે કરીને ભરેલો તમારો કૂવો અહીં મોકલે.” રોહકે પણ આ પ્રમાણે જવાબ આપ્યો કે-“હે દેવ! નગરમાં રહેલા કેઈક કૂવાને પ્રથમ અહીં મોકલે, કે જેથી તેની સાથે આ કૂવો આવે.હર્ષ પામેલો રાજા બે કે-“આણે ગ્ય કહ્યું. કેમકે અઘટિત કાર્યને અહીં અઘટિત ઉત્તર છે.” ફરીથી રાજાએ આજ્ઞા કરી કે- ગામની ઉત્તર દિશામાં વન છે, તેને ગામની દક્ષિણ દિશામાં શી રીતે કરાય? તે તું કહે.” રોહક પણ બોલ્યો કે-“ગામનો નિવેશ તે જ વિધિવડે સામી દિશામાં કરાય, તે ગામની દક્ષિણ દિશામાં વન થાય.” પછી એક દિવસ રાજાના આદેશથી ઉકરડાના ચવડે તપેલી મૂકીને અગ્નિ વિના ખીર રાંધી. પછી એક દિવસ રાજાએ પરસ્પર વિરુધ નીચેની વ્યવસ્થા વડે રોહકને પોતાની પાસે બાલાવ્યો, “તારે મારી પાસે મલિન અંગવડે ન આવવું અને સ્નાન ન કરવું, તથા વાહન ઉપર ચડીને આવવું અને પગ વડે ભૂમિને સ્પર્શ કર્યા વિના ન આવવું, તથા ઉન્માગે ન આવવું અને માર્ગે ન આવવું, રાત્રે ન આવવું અને દિવસે ન આવવું, કૃષ્ણ પક્ષમાં ન આવવું અને શુકલ પક્ષમાં ન આવવું, છાયામાં ન આવવું અને તડકામાં ન આવવું, તથા હાથમાં ભેટ રાખીને તારે ન આવવું અને ખાલી હાથે ન આવવું, આ રીતે ભધિવડે શોભતા તારે મારી પાસે અવશ્ય આવવું.” ત્યારે તે રોહક કમેષા ઉપર ચડીને, પગોવડે પૃથ્વીને સ્પર્શ કરતે, પાણી વડે શરીરને જોઈને, સંધ્યા સમયે, અમાવાસ્યાને દિવસે, મરતક ઉપર ચાળણુને ધારણ કરીને, ગાડાના પિડાની રેખાના મધ્ય ભાગમાં રહીને, તથા માટીરૂપી ભેટને હાથમાં રાખીને રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરીને પાસે બેઠે, અને માટીમય ભેટશું તેને આપ્યું. ત્યારે “આ શું?” એમ રાજાએ કહ્યું. ત્યારે તે પોતાની કથા કહીને બોલ્યા કે-“હે દેવ ! આ માટી જગતની માતા જેવી ૧. દોરડું અથવા વાડ. ૨. મરી ગયે. ૩. બકરી અથવા ટી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy