________________
[ ૧૦૮ ]
શ્રી શાંતિનાચ પ્રભુ ચરિત્ર.
આ કાના પુત્ર
દેવાલય વિગેરે સર્વ જોવા લાગ્યા. એક વખત પિતા નગરીને વિષે ગયા ત્યારે તે સિા નદીને કાંઠે રેશ્( ધૂળ )મય નગરી બંનાવીને તેનુ રક્ષણ કરવા પાતે રહ્યો. તેવામાં ઘેાડા નાકરાવાળા અને અશ્વ ઉપર ચડેલા અને તે જ માગે આવતા રાજાને તે રાહકે એકદમ ઠપકા સહિત આવું વચન કહ્યુ, “ હે રાજપુત્ર! પાસે પ્રાસાદ અને દેવાલચવડે વ્યાસ આ નગરીને થ્રુ તું ભાંગી નાંખીશ ! કે જેથી અશ્વને અન્ય માગે લઈ જતા નથી ? ” ત્યારે તેની બુધ્ધિવર્ડ અને વાણીવડે હર્ષ પામેલા રાજાએ છે? ” એમ પેાતાના ચાકરને પૂછ્યું. તેઓ આલ્યા કે- હે દેવ ! રંગશૂરા રાહક નામે આ પુત્ર છે, કે જે વિજ્ઞાન અને વચનવડે, તમારા ચિત્તને મા પમાડનાર થયા છે. ” તે રાજાને પાંચસેા મંત્રીએ હતા પરંતુ મહત્તમ (અત્ય ́ત માટા) મંત્રીને કરવા માટે તે રાજા શેાધ કરતા હતા. ત્યાર પછી રાહુકની બુધ્ધિની પરીક્ષા કરવા માટે એક દિવસ તે રાજાએ પેાતાના પુરુષને મેકલીને ગામના માણસાને આ પ્રમાણે આદેશ આપ્યા, કે આ ગામમાં અમારે ચેાગ્ય એક પ્રાસાદ કરવા, પરંતુ ઘણા દ્રવ્યના વ્યયવડે પણ એક જ દ્રવ્ય(વસ્તુ)થી ખનાવેલે કરવા. ” ત્યારે ગામના તે વૃધ્ધજના અને તે રંગસૂર નટ એકઠા મળીને તે કરવાને અસમર્થ હાવાથી ચિરકાળ સુધી વિચાર કરવા લાગ્યા. ત્યારે પિતા વિના ભાજનને નહીં કરતા તે રાહકે રાતા રાતા ઘરની બહાર આવીને આદરથી પિતાને @ાજન કરવા માટે એલાન્ચે. ત્યારે તે એલ્યેા કે–“ હૈ વત્સ ! આજે રાજાએ ક્ષુદ્ર આદેશ આપ્યા છે, કે–કાઈપણ વસ્તુવડે પ્રાસાદ કરાવેા. તેના નિર્ણય કર્યો વિના જ કેમ Àાજન કરાય ? કેમકે અળવાનની આજ્ઞા ઉલ્લંઘન થાય તા તે શુભકારક ન થાય. મત્સ્યેા કે-“ પ્રથમ તે લેાજન જ કરા, પછી હું સર્વ કહીશ. અરે! આમાં શું વિચારવાનું છે ? ” લેાજન કર્યા પછી તે બુદ્ધિમાને રાજપુરુષને કહ્યું કે—“ આ અત્યંત ઊંચી, લાંખી અને પહેાળી જે શિલા છે, તેનાવડે જ અમે રાજાને ચિંતવેલા પ્રાસાદ કરાવશું, પરંતુ કારીગર અને ધનાદિક રાજાએ જ પુરવું જોઇએ. ” આ હકીકત તેણે રાજાને કહી ત્યારે તેણે ફરીથી બીજે દિવસે ગામના લેાકેાને પેાતાના પુરુષની વાણીવર્ડ મેષને ઉદ્દેશીને આ પ્રમાણે આદેશ આપ્યા, કે–“ આ મેષનું હ ંમેશાં ઘાસ અને પાણીવડે પાષણ કરવું, પરંતુ તેના મેદ( ચરખી ) હીન કે અધિક ન થાય તેવી રીતે તેને અમારી પાસે મેાકલવા. ” તે આદેશ રાહકને જ કહ્યો. ત્યારે બુદ્ધિમાન તેણે પણ તૃણાદિકવર્ડ તેનુ પાષણ કર્યું. અને હુંમેશાં તેને વૃક નામનેા પશુ દેખાડ્યો. તે પ્રમાણે કર્યા પછી તે રાજાએ કાઈ દિવસ કુકડા મેાકલ્યા, અને “ આ એકલાને જ યુદ્ધ કરાવવું, ’” એવી આજ્ઞા આપી. ત્યારે અરિસાને વિષે પડેલા પ્રતિબિંબની સાથે તેને ચિરકાળ સુધી યુદ્ધ કરાવ્યુ. ફ્રીથી તલનાં ગાડાં માકલીને રાજાએ કહેવરાવ્યુ` કે— યંત્રને વિષે આને પીલીને તેલ કાઢવું, પરંતુ જે માપવર્ડ તલ મપાય તે જ માપવર્ડ તેલ પણુ માપવું: ” ત્યારે રાહકે
""
રાહક પણ
૧. બકરાને અથવા ઘેંટાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org