SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથે! પ્રસ્તાવ–યુક્તિદ્વારા રાહકનું નવી માતાને વશ કરવું. [ ૧૦૭ ] ,, ,, ઉજ્જયિની નામની માટી નગરીમાં બુદ્ધિ અને વિક્રમવાળા અરિકેસરી નામના રાજા હતા. તે નગરીની સમીપે મેાટી શિલાવડે ચિન્હવાળા નટ ગ્રામને વિષે રંગસૂર નામનેા કુશીલવ ( ચારણુ ) હતા. તેને અત્યંત કળાનું પાત્ર, બુદ્ધિવડે બૃહસ્પતિને જીતનાર તથા ખાળ છતાં પણ અમાળપણાવાળા રાહક નામના પુત્ર હતા. તેની માતા મરણુ પામી ત્યારે તે રંગશુને રૂપવડે શેાલતી રૂકમણી નામની બીજી પ્રિયા થઈ. યૌવનના મદથી ઉન્મત્ત થયેલી અને ભર્તાના ગોરવવડે ગર્વ પામેલી તે રાહકના તેવા પ્રકારના અંગસ'સ્કારને કરતી ન હતી, તેથી કાપ પામેલા તે એલ્યે કે“ તું મારી સેવા કરતી નથી, તેથી હે માતા ! અવશ્ય તારું સુંદર નહીં થાય.” તે એલી કે—“ અરે બાળક ! તું નિગ્રહ અને અનુગ્રહ કરવામાં અસમર્થ છે, તેથી ક્રોધ પામેલેા કે પ્રસન્ન થયેલે તું મને અહીં શું કરીશ ? ’ પછી રાહકે વિચાર્યુ કે “ કાંઇ પણ અપરાધ ઉત્પન્ન કરીને હું તેવી રીતે કરીશ, કે જે રીતે આ મારા પિતાને અનિષ્ટ થાય. ” આ પ્રમાણે વિચારીને તે રાત્રિમાં ઊઠીને એકદમ ખેલ્યા કે– “કાઈપણુ આ પુરુષ ઘરમાંથી નીકળીને જાય છે. ” તે સાંભળીને ઘરના આંગણામાં સુતેલા તેના પિતાએ ઉઠીને કહ્યું કે તે દુષ્ટ પુરુષ મને દેખાડ. ” રાહુક પણ ખેલ્યે કે—“ હૈ પિતા ! તે તે। કૂદીને ક્ષણવારમાં જ ગયા. ” રંગશૂર પણ ત્યાર પછી ભાર્યા પ્રત્યે વિરાગી થયા. અને તેણે વિચાર્યુ કે “ અરે! શું આ અન્ય પુરુષમાં આસક્ત થઈ છે? અથવા આ અઘટિત કેમ હાય ? કેમકે સ્ત્રીએ એવા પ્રકારની જ હાય છે. ” પછી બુદ્ધિમાન તેણે જૂદી શય્યા કરવાવડે તેણીને શસ્ત્ર વિના વધ કર્યાની જેમ પ્રગટ દુ:ખને ભજનારી કરી. તેણીએ પણ વિચાર્યું કે “ મેં પતિના કાંઇ પણ અપરાધ કર્યા નથી. તેથી ખરેખર આ બાળકે આ મારા પતિને કેપ પમાડ્યો છે. તેથી ભર્તાને સ ંતુષ્ટ કરવાની ઇચ્છાથી હું તેની જ ભક્તિ કરૂં. કેમકે જેણે દુ:ખ પમાડ્યું હાય, તે જ શીઘ્રપણે તેને દૂર કરે છે. ” પછી તેણીએ ભક્તિપૂર્વક રાહકને પ્રાર્થના કરી કે—“હે વત્સ ! મારા કાંતને મારી સન્મુખ કર. હું પ્રગટ રીતે તારી દાસી છું.” આ પ્રમાણે બુધ્ધિમાન તેણે તેણીને પાતાને વશ કરીને ફીથી ચક્રવાળી રાત્રિને વિષે પિતાને કહ્યું, કે“ હે પિતા! ઊઠા, ઊઠા. આજે પણુ તે જ પુરુષ જાય છે. ” ત્યારે પૂછતા તે પિતાને તેણે પેાતાના શરીરથી ઉત્પન્ન થયેલી છાયાને દેખાડી. “આ તા તારી છાયા છે. ” એમ પિતાએ કહ્યું ત્યારે રાહક એલ્યા કેન્દ્ર તેા હૈ પિતા ! પહેલા પણ મેં આવા પ્રકારના જ પુરુષ દેખ્યા હતા. ” ત્યારે રંગશૂરે વિચાર્યું કે“ અરે ! બાળકના વચનથી દોષની શંકાવડે મેં પત્નીને અપમાનનુ સ્થાન કરો, ” પછી તે રૂકિમણી પૂર્વની જેમ ભર્તાને વહાલી થઈ અને હુ ંમેશાં આદરપૂર્વક રાહકની ભક્તિ કરવા લાગી. પણ કુશળ મશનવાળા તે પિતાની સાથે જ ઊાજન કરતા હતા; કેમકે બુધ્ધિમાન પુરુષે પેાતાના માતા ઉપર પણ પ્રાયે કરીને વિશ્વાસ ન કરવા જોઇએ. એક દિવસ પિતાની સાથે તે ઉજ્જયિની નગરીમાં જઈને તે નગરમાં રહેલા # ૧. નટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy