SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - [ ૧૦૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. અત્યંત વિદ્વાનને સુખ નથી જ, અને અત્યંત મૂર્ખ માણસને પણ સુખ નથી જ. તેથી તમે સર્વ પ્રકારે મધ્યમ કળાને ગ્રહણ કરે.” જેટલામાં તેઓ કલેકના અર્થને પણ ફુટ રીતે નથી જાણતી, તેટલામાં તેણે વિચાર્યું કે-“આ વૃક્ષ દેવી સહિત જશે.” એમ વિચારીને જવાની ઈચ્છાવાળા તેને દિશાઓને જેવા વિગેરેની ચેષ્ટાવડે તે નાની સ્ત્રી ગુણસુંદરીએ જાયે, કે “શું શરીરચિંતા કરવાની તમને શંકા થઈ છે?” એમ તેણીએ કહેલે તે બે કે-“હા, એમજ છે.ત્યારે તેણુએ હાથને ટેકે આપેલા તેણે નીચેની ભૂમિ ઉપર આવીને પોતાને જણાવવા માટે તે બુદ્ધિશાળીએ તુલાને વિષે ખડીવડે આ પ્રમાણે લેક લખ્યું, “ગોપાલયપુર ક્યાં? વલ્લભીપુર ક્યાં? અને લંબોદર દેવ ક્યાં? વિધાતાના વશથી અહીં આવે અને સાતેને પરણીને ગયે. વિધિના વશથી ગોપાલયપુરમાંથી . વલ્લભીપુરમાં હું આવ્યું, અને સાત વહુને પરણને ફરીથી હું ત્યાં ગયો છું.” પહેલા લેકના પણ અર્થને નહીં જાણતી તે તે વખતે લજજા પામી, અને તેથી પ્રાપ્ત થયેલા (જાણી શકાય તેવા) તે અનુબ્રુપ લેકને પણ તેણીએ વાંચ્યા નહીં. પછી ઘરના દ્વાર પાસે આવેલા તેણે તે ગુણસુંદરીને આ પ્રમાણે કહ્યું કે “જનરહિત પ્રદેશને વિષે મારે સુખે કરીને શરીરચિંતા થાય, તેથી તારે અહીં રહેવું. હું તે દૂર જઈને બધા રહિત થઈશ.” એમ કહીને તે તે વટવૃક્ષ ઉપર ગયે. તેના કટરમાં તે પેઠો ત્યારે તે બને દેવીઓ પણ આવી. પછી તેમની શક્તિથી ઉપાડેલ તે વટવૃક્ષ પિતાને સ્થાને આવ્યો. અહીં પુરંદર શ્રેણી આખા નગરમાં ભમી ભમીને રાત્રિને અંતે અત્યંત ખેદ પામીને જેટલામાં તે વટવૃક્ષની પાસે આવ્યું, તેટલામાં “રાત્રિ ગઈ, તે અંધકાર કેઈપણ ઠેકાણે જતો રહ્યો, તેથી વટવૃક્ષમાં રહેલાને વિભાત' થયું.” એમ કે છેલ્યા. પછી તે વખતે વટના કોટરમાંથી વસ્ત્ર અને અલંકારથી શોભિત અંગવાળો અને પિતાના મુખરૂપી કમળને સૂર્ય સમાન તે પુયસાર બહાર નીકળે. અતિ અદ્દભુત શોભાવાળા તે પુત્રને જોઈને “હે વત્સ! હે વત્સ!” એમ બોલતા વિસ્મય પામેલા તે શ્રેષ્ઠીએ સંજમ સહિત તેને આલિંગન કર્યું. પછી તેની સાથે પોતાને ઘેર આવ્યો. તે બન્નેને જોઈને જાણે કે ચંદ્રની કાંતિવડે સ્પર્શ કરાઈ હોય તેમ તે શેઠાણી હર્ષવાળી થઈ. પછી તેને સનેહ સહિત ગાઢ આલિંગન કરીને તથા ઉત્સંગ( ખળા)માં બેસાડીને તેણીએ પૂછયું કે-“હે વત્સ! તારી આવી શોભા કયાં થઈ? ” અને પિતાએ પણ તેમજ કહ્યું(પૂછયું). ત્યારે તેણે તેમની પાસે મોટા વિસ્મયને કરનારી સમગ્ર કથા કહી. ત્યારે તે બને આ પ્રમાણે બોલ્યા કે-“અહો ! વત્સનું ભાગ્ય કેવું છે? જેણે રાત્રિને વિષે પણ ન ચિંતવાય તેવી આવા પ્રકાસ્ની ત્રાદ્ધિ પ્રાપ્ત કરી ?” ફરીથી પિતાએ કહ્યું કે-“શિક્ષા આપવાને માટે મેં જે કાંઈ તને વિરૂપ(અનિષ્ટ-અવળું) કહ્યું હતું, તે તારે સહન કરવું.” પુયસાર બોલ્યો કે-“હે પિતા! તમારી શિક્ષા જ મારી આવા પ્રકારની સંપદાનું કારણરૂપ અવશ્ય ૧. પ્રાતઃકાળ અથવા કાંતિવાળાપણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy