SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથે। પ્રસ્તાવ : પુણ્યસારે સાત કન્યાઓ સાથે કરેલ પાણિગ્રહણુ. [ ૧૦૧ ] રૃખી, અને આ પ્રમાણે તેમની વાણી સાંભળી, એક એલી કે—“ હે બહેન ! આપણે ઇચ્છા પ્રમાણે પૃથ્વી ઉપર કેમ નથી ચાલતી ? કેમકે આપણા પક્ષના ઉદય કરનારી આ રાત્રિ વર્તે છે. ” બીજી એલી કે- હું સખી ! ફાગઢ લમવાવડે આત્માને ખેદ કેમ પમાડવા જો કાઇ પણ ઠેકાણે કૌતુક દેખાતું હાય, તે ત્યાં જ જઇએ. ” ત્યારે તે ખેલી કે-“ જો કૌતુક જોવુ' હાય, તેા વલ્લભીપુરમાં જઇએ. કેમકે ત્યાં ધનપ્રવર નામના શ્રેષ્ઠી વસે છે. તેને ધનવતી નામની ભાર્યાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલી સુંદર અંગવાળી સાત કન્યા થઇ છે. તેમાં પહેલી ધમસુંદરી, પછી ધનસુંદરી, કામસંદરી, મુક્તિસુ ંદરી, ભાગ્યસુંદરી, સોભાગ્યસુંદરી અને સાતમી ગુણસુ દરી છે. તેની વરપ્રાપ્તિને માટે શ્રેષ્ઠીએ ભક્તિપૂ ક આરાધીને માદકના( લાડુના ) દાનથી લ આદર- ગણપતિ )ને સંતુષ્ટ કર્યા. ત્યારે તે પ્રત્યક્ષ થઇને મેલ્યા કે હું શ્રેષ્ઠી ! આજથી સાતમે દિવસે રાત્રિએ સારા લગ્નને સમયે તે સ સામગ્રી તૈયાર કરી હશે ત્યારે સારા વેષવાળી એ સ્ત્રીઓની પાછળ જે કેાઇ પુરુષ આવશે, તે તારી પુત્રીઓના ઉચિત વર થશે. ' તે આ સાતમા દિવસની રાત્રિ છે તેથી આપણે ત્યાં જઇએ, આ નિવાસને વૃક્ષ આપણી સાથે લઇ જઇએ. ” ત્યારે તે સાંભળી પુણ્યસારે મનમાં આ પ્રમાણે વિચાર કર્યો કે અહા ! મારે પણ પ્રાસંગિક કૌતુકનુ જોવુ થશે. તે વલ્લભી નગરી કેવી છે ? તે લખેાદર કેવા છે ? અને તે કન્યાએ કેવી છે ? તે સ` કૌતુકને હું જોઇશ. ” પછી તે અને દેવીએ હુંકાર કરીને વટ વૃક્ષને ઊંચા ઉછાળ્યેા. તે એક ક્ષણુવારમાં વાભીપુરીના ઉદ્યાનમાં જઇને રહ્યો. પછી નાયકાનું રૂપ કરીને તે એ દેવીએ ચાલી, તે પુણ્યસાર પણ તેમની પાછળ ચાલ્યા. મેદરના મ ંદિરના દ્વાર પાસે વેદ્રિકા મંડપ કર્યા ત્યારે સ્વજાને એકઠા કરીને પુત્રીઓ સહિત તે શ્રેષ્ઠી જેટલામાં રહ્યો હતા, તેટલામાં તે દેવીએ તેની પાસે થઇને રસવતી( રસાઇ)ના રસ ગ્રહણ કરવા માટે શ્રેષ્ઠીના ઘરમાં ગઈ. તે બન્નેની પાછળ જતા તે પુણ્યસારને શ્રેષ્ઠ શ્રેષ્ઠીએ જોયેા, અને માટા આસન ઉપર બેસાડીને આ પ્રમાણે કહ્યું, કે—“હે ભગ્ન ! લખેાદરે તને જમાઈ કહ્યો છે, તેથી હૈ અનવ ! તું મારી આ સાતે કન્યાને પરણુ. ” એમ કહીને શ્રેષ્ઠીએ તેને નવા એ સારા વસ્ત્ર પહેરાવ્યાં, અને લાખ મૂલ્યવાળા ભૂષણુવડે શણગાર્યા પછી ધવલમંગળ થતા હતા તે વખતે અગ્નિની સાક્ષીએ તે પુરદરના પુત્ર તે મનેાહર કન્યાને પરણ્યા. પછી તેણે વિચાર્યું કે-“ પિતાએ મને જે કાઢી મૂકયેા, તે ચેાગ્ય થયુ છે. નહીં તે આવું પુણ્યસાર નામ શી રીતે પ્રગટ થાત ? ” એમ વિચારતા અને કરેલા લગ્નવાળા તેને વહુ સહિત શ્રેણી મેાટા ઉત્સવપૂર્વક પેાતાને ઘેર લઇ ગયા. પ્રાસાદના ઉપલા માળમાં લઇ જઇને પ્રિયાએ તેને પલ્થક ઉપર બેસાડ્યો, અને તેઓ આસન ઉપર બેઠી. પછી તેઓએ આ પ્રમાણે પૂછ્યુ કે “ હે નાથ ! તમારી કળાભ્યાસ કેટલેા છે ? ” તે મેલ્યેા કે“ હે મુગ્ધાઓ! સર્વ કળાએ મને અભીષ્ટ( ઇચ્છિત ) નથી, કેમકે (શાસ્ત્રમાં કહ્યું છે કે) ૧. પાપ રહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy