________________
ચેથે પ્રસ્તાવઃ રત્નસુંદરીની પ્રાપ્તિ માટે પુણ્યસારની પ્રતિજ્ઞા.
[
૯]
કારણથી આજે તું શ્યામ મુખવાળો થયે છે? તારે અકાળે સુવાનું શું કારણ છે? તે તું મને કહે ” ત્યારે આગ્રહથી પૂછેલે તે બે કે-“હે પિતા! જે તમે મને રત્નસુંદરીને પરણાવે, તે હું સ્વસ્થ થાઉં.” ફરીથી શ્રેષ્ઠીએ તેને કહ્યું કે “હે વત્સ! હજુ તે તું બાળક છે. પ્રથમ તે તું કળાને અભ્યાસ કર. ગ્ય સમયે તને હું કન્યા પરણાવીશ.” પુત્રે કહ્યું કે-“હે પિતા! જે તમે મારે માટે તેણુના પિતા પાસે હમણાં તેની માગણી કરે, તે હું ભજન કરીશ. નહીં તો નહીં કરું.” ત્યારે તેને બંધ કરીને સમજાવીને),
જન કરાવીને તથા પોતે ભજન કરીને તે શ્રેણી બંધુઓ સહિત રત્નસાર શ્રેણીને ઘેર ગયે. ત્યાં ઊભા થવું, આસન આપવું અને સ્વાગત પૂછવાપૂર્વક તે બોલ્યો કે-“તમે અહીં જે કારણે આવ્યા છે, તે કારણ કહો.” પુરંદર બોલે કે-“હે શ્રેણી ! તારી પાસે મારા પુત્રને માટે રત્નસુંદરી કન્યાની યાચના કરવા અમે આવ્યા છીએ.” રતનસાર પણ બે કે-“સર્વ પ્રકારે જે મારું છે, તે તમે કર્યું, જેથી મારી પુત્રીને અવશ્ય આપવી છે. તમે આ નગરમાં મુખ્ય છે, અને બંધુઓ સહિત તમે મારી પુત્રીને માગવા આવ્યા છે, તે આનાથી બીજું શું કહેવું?” તે વખતે પિતાની પાસે રહેલી તે કન્યા તરત જ બોલી કે-“હે પિતા! હું પુણ્યસારની ભાર્યા નહીં થાઉં.” આ પ્રમાણે તેણીનું વચન સાંભળીને પુરંદરે વિચાર્યું કે-“અહો! મારા પુત્રને આને વિષે પાણિગ્રહણને આગ્રહ વ્યર્થ છે, કેમકે બાલ્યાવસ્થામાં પણ જેણની આવી કઠોર વાણું છે, યૌવનથી ઉન્મત્ત થયેલી તે ભર્તાને સુખ આપનારી કેમ થશે?” રત્નસાર બે કે“આ મારી પુત્રી મુગ્ધા છે, તેથી બોલવા લાયક કે ન બોલવા લાયકને જાણતી નથી; તેથી આનું વચન તુચ્છ (નહીં ગ્રહણ કરવા લાયક) છે. તે શ્રેષ્ઠી! આને હું એવી રીતે બોધ પમાડીશ, કે જે રીતે તમારો પુત્ર આને પરણશે. મેં તે આને અવશ્ય આપી જ છે.” ત્યારપછી પુરંદર શ્રેષ્ઠી પિતાને ઘેર આવીને પુત્રને તે કથા કહીને બે કે-“હે વત્સ! તે કન્યા તારે યોગ્ય નથી, કેમકે (શાસ્ત્રમાં કહ્યું છે કે-)ખરાબ શરીરવાળી, નેહરહિત, લજજા, શીલ અને કુળવડે ત્યાગ કરાયેલી, અતિ પ્રચંડ (ઉદ્ધત) તથા ખરાબ મુખવાળી ગૃહિણી(સ્ત્રી)નો ત્યાગ કરે.” ત્યારે પુણ્યસાર બે કે“હે પિતા! જે હું તેણુને પરણું, તે હું સત્ય પ્રતિજ્ઞાવાળે થાઉં, અન્યથા નહીં થાઉં.” પછી તેણીની પ્રાપ્તિમાં બીજા ઉપાયને નહીં જોતાં તે બુદ્ધિમાને પિતાને પૂછીને પિતાને આપનારી પિતાની કુલદેવતાને જાણ, પછી પુષ્પ, નૈવેદ્ય, ગંધ, ધૂપ અને વિલેપનવડે તેની પૂજા કરીને સારા વિનયવાળા તેણે તેની આ પ્રમાણે પ્રાર્થના કરી, કે-“હે દેવી! તુષમાન થયેલી જેણીઓ શ્રેણીને પુત્ર તરીકે મને આપે છે, તે તું હે કુળદેવી! આજે મારી ભાર્યાની વાંછા પૂર્ણ કર. હે કુલદેવી! જે તું મારી પિતાની ઈચ્છાને પૂર્ણ નહી કરે, તે અપમાનના પાત્રરૂપ મને કેમ કર્યો? હે દેવી! જ્યારે તું મારા ઈચ્છિતને પૂર્ણ કરીશ, ત્યારે જ હું આ સ્થાનથી ઉઠીશ, અને ત્યારે જ હું ભજન કરીશ." આ પ્રમાણે કરેલી પ્રતિજ્ઞાવાળો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org