________________
ચોથે પ્રસ્તાવ-વિપુલમતિ વિદ્યાધર મુનિએ કહેલ પુસારનું વૃત્તાંત.
[૭]
ઈશાનેં પિતાને સ્થાને જશે. તે ઇદ્ર પણ ત્યાંથી ચીને સારા કુળમાં મનુષ્યપણું પામીને તથા દીક્ષા લઈને કર્મ રહિત થઈ મોક્ષ પામશે.” તે સાંભળીને વિસ્મય પામેલા સર્વે સભાસદો આ પ્રમાણે બોલ્યા કે –“અહો ! અમારા સ્વામીનું જ્ઞાન ત્રણે કાળને દીપાવનારું છે.” ત્યાર પછી તે શાંતિમતી, વાયુવેગ અને અજિતસેન તે ત્રણે ચકીને નમીને પિતાને સ્થાને ગયા.
પછી સહસાયુધ કુમારને જવના નામની ભાર્યાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ કનક શકિત નામે પુત્ર છે. તેને પહેલી કનકમાલા અને બીજી વસંતસેના નામની તુલ્ય કુળમાં ઉત્પન્ન થયેલી બે પ્રિયા હતી. પછી એક દિવસે તે ક્રીડા કરવા માટે ગાઢ(મોટા) વનમાં ગયા. ત્યાં પડવું અને ઊડવું કરતા એક માણસને જે તેણે તેનું કારણ પૂછયું, ત્યારે તે બોલ્યો કે “હે ભદ્ર ! વૈતાઢયમાં વસનારો હું વિદ્યાધર છું, તેથી સર્વ ઠેકાણે અલના રહિત વિચરું છું. હે ભદ્ર! અહીં આવીને ચિરકાળ સુધી રહીને ફરીથી જ આકાશગામિની વિદ્યાનું એક પદ(શબ્દ) ભૂલી ગયે; તેથી જવાને અસમર્થ થયેલે હું આવા પ્રકારની ક્રિયા કરું છું. ” કુમારે કહ્યું કે-“હે વિદ્યાધર! પ્રથમ તે વિદ્યાને મારી પાસે બેલ.” ત્યારે આ પુરુષ છે.” એમ જાણીને તે વિદ્યાધર પણ તેની પાસે તે વિદ્યાને બે. ત્યારે પદાનુસારી લબ્ધિવડે તે કુમારે તે પદ પૂર્ણ કર્યું. ત્યારે ખેચરે હર્ષથી કુમારને પોતાની વિદ્યા આપી. તેણે પણ તેને કહેલા વિધિ પ્રમાણે તે વિદ્યાને સાધી. ખેચર પિતાને સ્થાને ગયો. કુમાર પણ બ પ્રિયા સહિત વિદ્યાના બળવડે ઈચ્છા પ્રમાણે પૃથ્વી પર ફરવા લાગ્યો. પછી એક દિવસે તે હિમવાન પર્વત ઉપર ગયે. ત્યાં તેણે વિપુલમતિ નામના વિદ્યાધર મુનિને જોયા. બને પ્રિયા સહિત તે કુમાર તેના ચરણને નમીને યોગ્ય સ્થાને બેઠે, અને મુનિએ દેશના આપી, કે-“કુળ, રૂપ, કલાને અભ્યાસ, વિદ્યા, લક્ષમી, સારી ભાર્યા, ઐશ્વર્ય અને સારા સ્વામીપણું આ સર્વ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. જેણે પૂર્વ ભવે ચાર પ્રકારનો ધર્મ કર્યો હોય, તે પુયસારની જેમ સર્વ મનવાંછિતને પામે છે.” ત્યારે-“હે પ્રભુ! આ પુણ્યસાર કેણ?” એમ તેણે પૂછેલા મુનિ પ્રતિબોધન કરનારી તેની કથાને કહેવા લાગ્યા.–
“આ ભરતક્ષેત્રમાં જીવ, અજીવ વિગેરે તત્ત્વવાળું અને વિવિધ પ્રકારના આશ્ચર્ય વડે મનહર ગેપાલય નામનું નગર છે. તેમાં ઇંદ્રના જેવી લક્ષમીવાળે, ધર્મને અથી, રાજાને માનીતે, અને મહાજનમાં મુખ્ય પુરંદર નામનો શ્રેષ્ઠી હતું. તેને પતિ, દેવા અને ગુરુને વિષે ભક્તિવાળી અને ગુણના સમૂહવડે સહિત પુણ્યશ્રી નામની પ્રસિદ્ધ ભાર્યા હતી. પતિના પ્રેમવાળી, સૌભાગ્યવાળી, ભાગ્યવાળી અને શુભ આકૃતિવાળી છતાં પણ તેણીના શરીરને વિષે એક પુત્રરહિતપણુ રૂપી દેષ હતું. તે શ્રેષ્ઠી પુત્રની ઈચ્છાવાળે
G
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org