________________
[૬].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
કામદેવના પાંચે બાવડે હદયમાં તાડન કરાય. પછી સ્વામીપણુવડે, યૌવનવડે અને એશ્વર્યવડે ગવીઝ થયેલા તેણે પિતાના કુળ અને શીળને કલંકને નહીં ગણીને તેણીનું હરણ કર્યું. તે કુમાર તેણીની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યો. તેણીના વિયેગથી દુઃખી થયેલે દર એક દિવસ ઉદ્યાનમાં ગયા. ત્યાં તે જ વખતે ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનવાળા તથા દેવ, દાનવ અને મનુષ્પાવડે વંદન કરાતા સુમન નામના શ્રેષ્ઠ સાધુને તેણે જોયા. તેણે પણ ભાવપૂર્વક તે શ્રેષ્ઠ મુનિને વાંદ્યા. પછી તે મુનિએ શ્રેષ્ઠ ધર્મદેશના વડે તે દરને પ્રતિબંધ કર્યો, તેથી દાનાદિક ધર્મને કરીને તથા આયુષ્યના ક્ષયે મરીને તે વૈતાઢ્ય પર્વત ઉપર સુચ્છ વિજયમાં વિદ્યાધરના રાજા મહેન્દ્રવિક્રમને અજિતસેન નામે પુત્ર થયો. તેને પણ કમળ નામની ભાર્યા હતી. અહીં તે નલિનકેતુ પિતાનું રાજ્ય પામીને તે પ્રભંકરા સાથે ગૃહવાસને પાળવા લાગ્યો. એક વખત પોતાના મહેલના સાતમા માળે તે ચડડ્યો, તે વખતે તેણે આકાશતળને પાંચ વર્ષના મેઘવડે વ્યાપ્ત જોયું. કૌતુકથી તે જોતાં છતા જ પ્રચંડ વાયુથી ફેંકાયેલો તે મેઘને સમૂહ ક્ષણવારમાં કકડે કકડા થઈને જતો રહ્યો. તે જોઈને વૈરાગ્ય પામેલા તેણે વિચાર્યું કે-“અહે! સંસારસંબંધી દ્રવ્યાદિક આ સર્વ વસ્તુ આની જેમ અધુવ છે. હા! અજ્ઞાનથી મૂઢ થયેલા મેં પરસ્ત્રીનું હરણ કરીને ક્ષણિક સુખને માટે ઘણું પાપ ઉપાર્જન કર્યું, તેથી પ્રવજ્યા ગ્રહણ કરીને તપ અને નિયમરૂપી જળવડે પાપકર્મથી લીંપાયેલા મારા આત્માને હું નિર્મળ કરું.” પછી તેણે રાજ્ય ઉપર પુત્રને
સ્થાપન કરીને તથા રાજ્યલક્ષમીને ત્યાગ કરીને ક્ષેમકર જિનેશ્વર પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. શુદ્ધ બુદ્ધિવાળે તે દીક્ષાને શુદ્ધ રીતે પાળીને તથા કેવળજ્ઞાન પામીને અને કર્મરૂપી મળને ધોઈને સિદ્ધિપદને પામ્યું. તે પ્રભંકરાએ પણ સુત્રતા નામની ગુરુની પાસે નિર્મળ ચાંદ્રાયણ નામનું તપ કર્યું. તે મરીને શાંતિમતિ નામની તારી પુત્રી ઉત્પન્ન થઈ છે. અને આ અજિતસેન વિદ્યાધર તેણીના પૂર્વ ભવનો પતિ છે. પૂર્વ ભવના નેહથી મોહ પામેલા આ વિદ્યાને સાધતી આને જોઈને આકાશમાર્ગે ઉપાડી. તેથી તે પવનવેગ! તું અને હું શાંતિમતિ ! તું આના ઉપર આટોપને ધારણ કરનાર (ઉગ્ર) કેપને પ્રગટ રીતે મૂકી દે.” આ પ્રમાણે વાયુધનું વચન સાંભળીને તે બને વિદ્યાધરીએ અને તે બાલિકાએ પ્રસન્ન ચિત્તવાળા થઈને પરસ્પર અપરાધને ખમાવ્યો. ફરીથી ચક્રીએ સભાજનને ઉદ્દેશીને કહ્યું કે- “હે લકે! આ લોકોને પૂર્વવૃત્તાંત કહ્યો, હવે ભાવી વૃત્તાંત કહું છું—આ બન્નેની સાથે શાંતિમતી દીક્ષા ગ્રહણ કરશે, અને રત્નાવળિ તપ કરીને અનશનવડે મરી જશે. અંતે બે સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિવાળો, વૃષભના વાહનવાળે અને સર્વે દેને સ્વામી ઈશાનંદ્ર થશે. તથા વાયુવેગ અને અજિતસેન નામના બને સાધુઓને તે વખતે ઘાતી કર્મરૂપી ઈધણુ કાણ) બળી જવાથી ઉત્તમ કેવળજ્ઞાન થશે. તે બનેના કેવળજ્ઞાનને મહિમા કરીને પિતાના અંગની પૂજા કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org