SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથેા પ્રસ્તાવ–ચક્રવર્તી વાયુધ પાસે પવનવેગ વિદ્યાધરે કહેલું વૃતાંત. [ ૯૫ ] પ્રતિમાધ પામ્યા. અને જિનેશ્વરે ગણધરાદિક તીર્થં પ્રવર્તાવ્યું. વાયુધ રાજા પણ ધર્માંના સ્વીકાર કરીને ભગવાનને પ્રણામ કરીને પેાતાની નગરીમાં ગયા. તે પછી એક દિવસ તેની આયુધશાળામાં હજાર યક્ષેાવર્ડ અધિષ્ઠિત અને અતિ નિર્માંળ શ્રેષ્ઠ ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી આઠ દિવસ સુધી તેની પૂજા કરીને તેની પાછલ ચાલનારા તેણે છ ખંડવાળા મંગલાવતી વિજયને સાધ્યા. પછી ચક્રવર્તીની લક્ષ્મીવર્ડ બ્યાસ તે પેાતાની નગરીમાં આવ્યા, અને સહસ્રાયુધ પુત્રને યુવરાજપણે સ્થાપન કર્યાં. એક વખત રાજાઓ, મંત્રીઓ અને પદાતિઓથી પરિવરેલા તે વાયુધ ચક્રી જેટલામાં સભામાં બેઠા હતા, તેટલામાં આકાશતળથી આવીને ભયથી કંપતા શરીરવાળા કાઈ યુવાન વિદ્યાધર તેના શરણને પામ્યા. તેની પાછળ ખ અને ખેટક( ઢાલ )ને ધારણ કરતી કાઇક શ્રેષ્ઠ વિદ્યાધરી આવી, ગદાને ધારણ કરનાર એક વિદ્યાધર આવ્યે. તે વિદ્યાધરે પરિવાર સહિત ચક્રવીને કહ્યું કે- પાપ કરનારાઓને અપરાધ આ પ્રમાણે સાંભળેા. 99 વૈતાઢ્ય પર્વત ઉપર રહેલા સુકચ્છ નામના વિજયમાં શુકલપુર નામના નગરમાં રહેલા જીલદત્ત નામના રાજાના પવનવેગ નામના હું પુત્ર છું. સુકાંતા નામની મારે પ્રિયા છે, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી જીભ આકૃતિવાળી આ શાંતિમતી નામની મારી પુત્રી છે. પણ મેં એક દિવસે આને પ્રજ્ઞપ્તિ નામની વિદ્યા આપી. તેને સાધવા માટે તે મણિસાગર નામના પર્વત ઉપર ગઈ. વિદ્યાને સાધતી આને આ દુરાત્માએ હરણ કરી. તે વખતે આની ભક્તિથી રાગી થયેલી તે વિદ્યા આને સિદ્ધ થઈ. તેનાથી ભય પામેલા આ હે પ્રભુ ! તમારે શરણે આવ્યા છે. તે પર્વત ઉપર પુત્રીને નહિં દેખવાથી તરત હું પણ અહીં આવ્યે છું. તેથી હું રાજા! મારી પુત્રીના શીલના ખળાત્કારથી નાશ કરવાની રુચિવાળા આને મૂકી દ્ગા, કે જેથી એક ગઢાના ઘાતવડે તેને હું છું. ત્યારે અવધિજ્ઞાનવડે તેના પૂર્વ ભવની ચેષ્ટા જાણીને તેઓના પ્રતિબેાધને માટે તે વાયુધ ચક્રી ઓલ્યે, કે હે પવનવેગ ! તારી પુત્રીને આ વિદ્યાધરે કારવર્ડ હરણુ કરી છે, તે કારણ તુ સાંભળ, હું કહું છું. ” સર્વે સભાસદે પેાતાના સ્વામીના જ્ઞાનનું માહાત્મ્ય જાણીને તે સાંભળવાને ઉદ્યમવાળા થયા. અને તે ચક્રી આ પ્રમાણે પ્રગટ મેલ્યે. “ આ જ દ્વીપના નિર્મળ અરવત ક્ષેત્રની મધ્યે રહેલા વિધ્યપુર નગરમાં વિધ્યદત્ત નામે રાજા હતા. તેને દક્ષિણા નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલ પૃથ્વીતળમાં પ્રખ્યાત નલિનકેતુ નામના પુત્ર હતા. તે જ નગરમાં ધમિત્ર નામના સાર્થ પતિના શ્રીદત્તાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા દત્ત નામના ધનવાન પુત્ર હતા. રૂપે રતિના જેવી અને ક્રાંતિએ કરીને ચંદ્રની પ્રિયા જેવી પ્રિયંકરા નામની દત્તની શ્રેષ્ઠ પત્ની થઈ. એક દિવસ સારા શ્રૃંગાર રસવાળા વસંત ઋતુના સમયે દત્ત ઉદ્યાન વનમાં જઈને તેણીની સાથે ક્રીડા કરવા લાગ્યું. તે વખતે તે રાજપુત્ર સુંદર આકૃતિવાળી તેણીને જોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy