SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચેથે પ્રસ્તાવ-શ્રીદત્ત મુનિવરે કહેલ રોહિણી આદિ ચાર સ્ત્રીઓની ઉપનય કથા. [ ૭૩ ] તેથી કરીને મોટા વિષને ધારણ કરનાર, ક્રૂર અને વ્યંતરવડે અધિષિત થયેલા પણ તેને બળવાન દેવરાજે લીલાવડે જ હો.” પછી ફરીથી નમીને રાજાએ સરિને વિનંતિ કરી કે–“હે પ્રભુ! સારા ભાગ્યના ઉદયવડે હું આ કણથી મૂકાયે છું. તે હવે પછી મારે સારા ભાગ્યને કરવું જ એગ્ય છે, તેથી સારા પ્રાણુઓને સદગતિ આપનારી પ્રવજ્યા મને આપ.” ત્યારે સૂરિએ સૂત્રના વિધાન પ્રમાણે તેને દીક્ષા આપી, અને સંઘની સાક્ષીએ પાંચ મહાવતે આપીને શિક્ષા આપી અને તે ગુરૂએ તેને પ્રતિબંધ કરનારી, જ્ઞાતાધર્મકથામાં કહેલી અને મનોહર ભવિષ્યમાં થવાની કથા કરી. પ્રસિદ્ધ મગધ દેશને વિષે રાજગૃહ નામના નગરમાં લક્ષમીવડે કુબેરની જે ધન નામને શ્રેષ્ઠી હતો. તેને ધારિણે નામની ભાર્યા હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જાણે ચાર પુરુષાર્થ હોય તેવા પ્રસિદ્ધ ચાર પુત્રો તેને હતા. પહેલે ધનપાળ નામને, બીજે ધનદેવ નામને, ત્રીજો ધનગેપ નામને અને એ ધનરક્ષિત નામનો હતે. તેઓને અનુક્રમે ઊંઝિકા, ભૂમિકા, ધત્રિકા અને રેહિણું આ ચાર ભાર્યાઓ થઈ. પછી કેઈક દિવસ રાત્રિના છેલલા પહેરે સૂઈને જાગેલા તે ધન નામના શ્રેષ્ઠીએ પિતાના ઘરની ચિંતા કરી, કે-“જેમ સર્વ ગુણના આધારભૂત પુરુષવડે ઘર વતે છે, તેમ ગૃહિણી(ભાર્યા)વડે પણ આ ઘર વતે છે. કેમકે શાસ્ત્રના જાણકારોએ કહ્યું છે, કે-“જે ચી ઘરના માણસે જમ્યા પછી જમે, સૂતેલા પછી સૂવે, તથા તેમનાથી પહેલા જાગે તે ગૃહશ્રી કહેવાય છે, પણ ગેહિની( ગૃહિણી ) કહેવાય નહીં. ” તેથી હું પરીક્ષા કરીને જાણું કે-આ ચારે વહુઓને મધ્યે કઈ અધિક ગુણવાળી વહુ મારા ઘરની સ્વામિની થશે?” આ પ્રમાણે વિચારીને પ્રાત:કાળે તેણે વહુઓને આદેશ આપે કે–“સર્વ સારી રસવતી (ર) તૈયાર કરો.” પછી તે વહુઓના સર્વ સ્વજનવર્ગને તથા બીજા પુરના જનેને નિમં. ત્રણ આપીને તેમને ગૌરવથી જમાડ્યા. પછી સર્વજનને વસ્ત્ર અને તાંબલ વિગેરેવડે સન્માન કરીને શાલિના પાંચ કણ મોટી વહુને આપીને એમ કહ્યું કે-“સર્વ લેકેની પ્રત્યક્ષ મેં તને આ પાંચ શાલિકણ આપ્યા છે. હે વહુ ! હું જ્યારે માગું ત્યારે તારે મને આપવા.” એમ કહીને તેણે વિદાય કરેલી તે વિજનમાં(એકાંતમાં) જઈને આ પ્રમાણે વિચારવા લાગી કે-“ખરેખર વૃદ્ધપણને લીધે મારા સસરા બુદ્ધિરહિત થયા છે, કે જેણે આવો મોટો મેળાવડે કરીને આ પાંચ કણ આપ્યા. તેને હું બીજા આપીશ.” એમ વિચારીને તેણીએ તે કાને ત્યાગ કર્યો. એ જ પ્રમાણે બીજી વહુને આપ્યા. તેણીએ તેવો જ વિચાર કર્યો, પરંતુ તેણીએ તે કણને તરા રહિત કરીને ભક્ષણ કર્યા. ત્રીજીએ “આ ગુરૂનું કાર્ય છે” એમ વિચારીને તે કણેને સારા વસ્ત્રમાં બાંધીને આભૂષણની મધ્યે રાખીને રક્ષણ કર્યા. જેથી વહુએ તે કણે પિતાના બંધુઓને આપ્યા. તેમણે વર્ષાકાળે ખેતરમાં વાવ્યા, તે ઉગ્યા, અને ઘણા ફળવાળા થયા. પહેલે વર્ષે તે એક પ્રસ્થ થયા, બીજા વર્ષોમાં ઘણા કુંભે થયા, ત્યાર પછી સેંકડો કુંભ થયા. પાંચમે વર્ષે શાલિના સેંકડો પલ્ય(પાલા) થયા. પછી ફરીથી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy