SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. મારું ઇચ્છિત કાર્ય ન થયું.” પછી દાસીએ આણેલા જળવડે પિતાનું મુખ પેઈને તે રાજા સારો વેષ કરીને સભામંડપમાં બેઠો. આ અવસરે કેશ (મસ્તક) ઉપર સ્થાપન કરેલા બે હાથવાળા અને પ્રસન્ન વાણીવાળા દેવરાજે આવી રાજાને વિનંતિ કરી, કે-“જે દેવ આજ્ઞા આપે તે હું કાંઈક વિનંતિ કરું.” ત્યારે ક્રોધ પામેલા પણ તેણે ભૂકુટિની સંજ્ઞાવડે તેને અનુજ્ઞા આપી. ત્યારે પિશાચના વચનના શ્રવણથી આરંભાને સમગ્ર કથા તેણે રાજાની પાસે કહી, કે જે ભય અને વિસ્મય કરનારી થઈ. તથા બે કકડાવાળું અને દ્વેષરૂપી વિષને નાશ કરવામાં ઓષધ સમાન તે સપનું શરીર તેને દેખાડયું. ત્યારે રાજાએ વિચાર્યું કે-“હા! આ મહાત્માએ મારા જીવિતની રક્ષાને માટે કેવું કર્યું? તે તું જે વિચાર્યા વિના કરવાપણું હોવાથી મેં પાપીએ પરોપકાર કરનારા પણ આને નાશ કરવાનો આરંભ કર્યો, અને કથા કહેવામાં વિચક્ષણ આ વત્સરાજ વગેરેએ પણ સારું કર્યું, કે જેથી આ ઉત્તમ પુરુષને હર્યો નહીં.” પછી તેણે પિતાના પરિવારને કહ્યું કે-“સર્વ ગુણેના સ્થાનરૂપ આ પુત્ર, પુત્ર રહિત એવા મને કુળદેવતાએ આપ્યા છે, તેથી હું દેવરાજને રાજા તરીકે સ્થાપન કરીશ, અને વત્સરાજને કુમાર તરીકે સ્થાપન કરીશ, પછી હું વ્રત ગ્રહણ કરીશ.” આ પ્રમાણે સાંભળીને લોકોએ કહ્યું કે-“હે દેવ! થોડાક કાળ રાહ જુઓ. પછી અંત્ય સમયે આ કરજે.” રાજા બોલ્યા કે-“મારા વંશના રાજાઓ પળીને જોયા પહેલાં વ્રત અંગીકાર કરીને તથા તપ કરીને સદગતિને પામ્યા છે. અને હું તે રાજયને ધારણ કરનાર પુત્ર વિના હોવાથી આટલે કાળ રહ્યો છું; પરંતુ હવે તે અવશ્ય ઇચ્છિતને કરીશ.” પછી દેવે કહેલા શુભ મુહૂર્વે તે રાજાએ દેવરાજને રાજા કર્યો, અને બીજાને કુમાર કર્યો. પછી કેઈક દિવસ ત્યાં નંદનવન નામના ઉદ્યાનમાં ઘણા શિષ્યના પરિવારવાળા શ્રીદત્ત નામના સાધુરાજ (આચાર્ય) આવ્યા. તેમનું આગમન ઉદ્યાનપાળે કહ્યું ત્યારે તે રાજાએ માટી ભક્તિવડે ત્યાં જઈને તેમને વાંવા. પછી ગ્ય સ્થાને બેસીને, સારી ધર્મદેશના સાંભળીને, પછી અવસર પામીને હાથ જોડીને તેણે આ પ્રમાણે પૂછયું કે-“હે પ્રભુ! જો કે બે પિશાએ મારા વિનાશ કહ્યો, તે પણ દેવનિના કહેલા પણ તે વચનને નાશ કેમ થયે?” સૂરિ બોલ્યા કે-“હે રાજા ! (પૂર્વભવે) રૂપે કરીને યુક્ત અને વૈશ્યના કુળમાં ઉત્પન્ન થયેલી શૈલીનામની તારી ભાર્યા હતી. તે કઈ પણ કર્મના ષવડે દૌર્ભાગ્યવડે દૂષિત થઈ, તેથી તને અનિષ્ટ થઈ, અને દષ્ટિવડે જઈને અસુખને આપનારી થઈ. પછી તે વેરાગ્ય ઉત્પન્ન થવાથી પોતાના પિતાને ઘેર જઈને અજ્ઞાન તપવડે પિતાના આત્માને શુષ્ક કરીને મરણ પામી. પછી વ્યંતરીપણાને પામેલી તે પૂર્વના તે મત્સરનું સ્મરણ કરીને સર્પના શરીરમાં અધિષ્ઠાન (રહેવું) કરીને તારા ઘરમાં પિઠી. પછી તારી કુલદેવતાએ તારા કલ્યાણને માટે બે પિશાચનું રૂપ કરીને આ અર્થ(વૃત્તાંત) દેવરાજને જણાવ્યું. જો કે દેવની શક્તિ મનુષ્યવડે ન ચિંતવાય તેવી છે, તે પણ તેને ઉલંઘન કરવામાં પુરુષનું તેજ સમર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy