________________
ચોથે પ્રસ્તાવ-જિનશત્રુ રાજાના કપ નિવારણ કરવા સેવકે એ આપેલ દષ્ટતિ.
[ ૯ ]
ભાજન (પડિયે) કરીને તેણે ત્યાં નીચે મૂકયું. ક્રમે કરીને તે ભાજન કાંઈક શ્યામ અને મલિન જળવડે ભરાઈ ગયું. તેને ગ્રહણ કરીને રાજા જેટલામાં તે પીવાને માટે તૈયાર થ, તેટલામાં કઈક પક્ષી વૃક્ષ ઉપરથી ઉતરીને ત્યાં આવ્યો. તેણે રાજાના હાથમાંથી તે પાણીનું ભાજન પાડી નાંખ્યું. અને તે જ પ્રમાણે તે પોતે વૃક્ષની શાખા ઉપર જઈને રહ્યો. વિલખા થયેલા રાજાએ ફરીથી તે ભાજન જળથી પૂર્ણ કરીને જેટલામાં પીવાની ઈચ્છા કરી, તેટલામાં તે પક્ષીએ આવીને તે પાડી નાંખ્યું. ત્યારે કેપ પામેલા રાજાએ વિચાર્યું કે-“જે આ દુષ્ટ આત્માવાળ પક્ષી ફરીથી આવશે, તે તેને હું મારી નાંખીશ.” એમ વિચારીને તેણે એક હાથમાં ચાબક ગ્રહણ કર્યો, અને બીજા હાથમાં જળને માટે પડિયાને સ્થાપન કર્યો. ત્યારે તે પક્ષીએ વિચાર્યું કે-“આ રાજા કપ પામ્યો છે, તેથી જે હું પડિયાને પાડી નાંખીશ, તે તે મને મારી નાંખશે. અને જો હું પડિયાને નહીં પાડું, તે આ વિષ પીવાથી તે નિરો મરી જશે. તેથી હું મરું તે સારું છે, પણ આ લેકનો પાળનાર મરે તે સારું નથી.” એમ વિચારીને ફરીથી પણ તેણે તેના હાથમાંથી તે પડિ પાડી નાંખે. અને રાજાએ ચાબકના મારવાવડે તે પક્ષીને પણ મારી નાંખ્યા. ફરીથી ચિત્તમાં હર્ષ પામેલા રાજાએ પાણીને માટે તે પડિયે સ્થાપન કર્યો, ત્યારે તે પાણી અનુક્રમે આગળ આગળ પડવા લાગ્યું. ત્યારે “આ શું?” એમ શંકા પામેલે રાજા ઉઠીને જેટલામાં જોવા લાગ્યો, તેટલામાં વૃક્ષ ઉપર અજગર જે. ત્યારે તેણે વિચાર્યું કે-“સુતેલા આના મુખમાંથી પડતા આ વિષને જે મેં પીધું હતું, તે અવશ્ય મરી જાત. અહા ! તું જે. પુરુષની ચેષ્ટાને ધારણ કરતા આ પક્ષીએ મારા પ્રાણને માટે પોતાના પ્રાણને તૃણ સમાન જાણ્યા-કર્યા. હા! કેપથી યુક્ત થયેલા, પરમાર્થને નહીં જાણતા, કઠોર ચિત્તવાળા અને અસાજન જેવા મેં આ શ્રેષ્ઠ પક્ષીને ફિગટ માર્યો.” આ પ્રમાણે તે ખેદથી વ્યાપ્ત થયું ત્યારે ત્યાં તેના સૈનિકે આવ્યા. અને પિતાના સ્વામીને જોઈને તેઓ તત્કાળ અતિ હર્ષ પામ્યા. પછી પાણ અને આહાર વિગેરેવડે સ્વસ્થ થયેલ તે પૃથ્વીપતિ તે પક્ષીને લઈને પોતાના નગરમાં આવ્યે. ચંદનના કાષ્ઠવડે તે પક્ષીના શરીરને દાહ કરીને તથા તેને જ લાંજલિ આપીને તે પિતાના મંદિરમાં આવ્યો. ત્યાં ખરાબ આસન ઉપર બેઠેલા તેને સામંત અને મંત્રીઓએ પૂછયું કે-“હે સ્વામી! પિતાની જેવા આ પક્ષીનું પણ મરણકાર્ય કેમ કર્યું ?” ત્યારે રાજાએ જેવી થઈ તેવી પિતાની વાત તેમને જણાવી. અને તે પક્ષઘાતના ખેદને તે કદાપિ ભૂલ નહેતે. જેથી કરીને વિચાર્યા વિના કાર્યને કરનારાને આ પ્રમાણે પશ્ચાત્તાપ થાય છે તેથી કરીને સુંદર બુદ્ધિવાળાએ વિચારીને કાર્ય કરવું જોઈએ.”
આ પ્રમાણે કથા કહીને કીર્તિરાજ રહ્યો ત્યારે પ્રાત:કાળના વાજિત્રનો શબ્દ થયે અને મંગળપાઠક મંગલ બોલવા લાગ્યા. પછી કાતિરાજ ઊઠીને પિતાના સ્થાને ગયે. રાજાએ પણ વિચાર્યું કે-“અરે! આ સર્વ એક ચિત્તવાળા જ છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org