________________
[ ૯૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
હે રાજા! રાત્રિના વિદ માટે આ કથા મેં કહી છે, પરંતુ આ કથાને પરમાર્થ બે શ્લેકવડે કહું છું. તે આ પ્રમાણે સર્વ ગુણવડે યુક્ત અને ભક્તમાન શુભંકરને જેણે હો છે, તે શત્રુદમનથી બીજે કઈ પણ આ પૃથ્વી ઉપર કૃતદની નથી. જેમ શત્રુદમનને કારણ વિના રોષ ઉત્પન્ન થવાથી નિર્દોષ મનુષ્યની હિંસા કરી, તેમ બીજા પુરુષે ન કરવી.” આ સારી કથાને કહીને રાત્રિનો ત્રીજો પહોર વ્યતીત થયે ત્યારે દુર્લભરાજ પણ ઊઠીને પિતાને મહેલે ગયો. પછી ત્યાં રહેલા કીર્તિરાજને રાજાએ કહ્યું કે-“મારું એક કાર્ય તારાથી સિદ્ધ થશે કે નહીં?” તે પણ બે કે-“હે પ્રભુ! જે તમારું કાર્ય હું ન સાધું; તે ચલિત નેહવાળા તમારી સેવા હું શી રીતે કરું?” ત્યારે “તારા ભાઈનું મસ્તક લાવ.” એમ રાજાવડે કહેવાયેલે તે બુદ્ધિમાન કાંઈક નવું આવવું કરીને આ પ્રમાણે બોલ્યો કે-“રાત્રિને છેલો સમય હોવાથી સર્વે યાત્રિકો (પહેરેગીરે) જાગે છે, તેથી હે દેવી! તમારે આદેશ બીજા પ્રસ્તાવે થશે.” તેણે પણ પ્રસ્તાવના કરીને રાજાની અનુજ્ઞા થવાથી તેના ક્રોધને નાશ કરવા નીચે પ્રમાણે કથા કહી
“આ ભરતક્ષેત્રને વિષે મહાપુર નામના નગરમાં શત્રુંજય નામે રાજા હતા. તેને પ્રિયંગુ નામની પ્રિયા હતી. કોઈક દિવસે દેશાંતરથી આવેલા કોઈક વેપારીએ જાતિવંત એક અવ તે રાજાને ભેટ કર્યો. તેની પીઠ ઉપર પલાણ ધારણ કરીને, તેના ઉપર ચડીને ગતિને જાણવાને માટે રાજાએ તે અશ્વને ચલાવ્યો. તે અશ્વ વેગથી દેડ્યો ત્યારે તે વણિકે પહેલાં ભૂલી ગયેલી તે અશ્વની શિક્ષાને વિપર્યય સામંતને કહ્યો. ત્યારે અ ઉપર ચડીને તથા ભજન અને જળ વગેરે લઈને પત્તિઓ જતા તે રાજાની પાછળ ચાલ્યા. પછી રાજાએ તે અશ્વને વેગ રુઠે ત્યારે વિપરીત પણે શિક્ષા પામેલા તે અશ્વે વિશેષ કરીને તે વેગને ગ્રહણ કર્યો. વળાને (ચેકડાને) ખેંચવાથી રાજાના બન્ને હાથમાંથી લેહી નીકળ્યું, ત્યારે ખેદ પામેલા તે રાજાએ તે વગાને શિથિલ મૂકી દીધી. અવ પણ તે વગા મૂકી ત્યારે એક પગલું પણ ચાલ્યો નહીં. ત્યારે “આ દુઃશિક્ષાવાળે છે.” એમ રાજાએ તેને જા. પછી તેના ઉપરથી ઊતરીને તે રાજાએ તેનું પલાણું દૂર કર્યું, અને તેટ-(તુટવા)ને લીધે તે અવ પણ પૃથ્વીતળ ઉપર પડીને મરી ગયે. પછી તે ભયંકર અટવીને વિષે દાવાનળથી બળેલા વનની અંદર તૃષા અને સુધાથી પીડા પામેલા શરીરવાળે રાજા ભમવા લાગ્યો, તેવામાં તેણે લાંબી શાખાવાળા અને અતિ વિસ્તારવાળા એક વટ વૃક્ષને જોયો. ત્યારે થાકી ગયેલ તે રાજા ધીમેધીમે જઈને તેની છાયામાં બેઠો. પાસેના ભાગને અવલોકન કરતાં (જેતાં) તેણે તે જ વૃક્ષની શાખામાંથી પડતા જળના બિંદુઓ જોયા. ત્યારે તેણે વિચાર્યું કે “વર્ષાકાળમાં ઉત્પન્ન થયેલું આ જળ આટલા કાળ સુધી શાખાના છિદ્રમાં રહેલું હમણું પડે છે.” પછી પલાશ(પાંદડા)નું
૧. વિપરીત શિક્ષાવાળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org