________________
ચોથે પ્રસ્તાવઃ જિતશત્રુ રાજાને થયેલ પશ્ચાત્તાપ
[ ૮૯].
આ મંત્ર પ્રગટ થશે, તે લેકને વિષે મને અસત્ય બોલવાનું કલંક થશે.” શુભંકર બે કે-“હે પ્રભુ! શું આ તમે નથી સાંભળ્યું કે- પુરુષને આપેલું ગુ તેની સાથે જ બળે છે.” પછી તે બને તે સિંહને લઈને સિન્યની મથે આવ્યા. અને બટુકે તેઓની પાસે રાજાનું આ પ્રમાણે વર્ણન કર્યું કે-“મદેન્મત્ત હાથીઓ પણ જેના નાદવડે મદને તજે છે, તે સિંહને સ્વામીએ લીલાવડે હો.” ત્યારે પતિ અને સામતે અત્યંત હર્ષવાળા થયા, અને મસ્તકને ધુણાવતા તેઓએ વામીના પુરુષાર્થની પ્રશંસા કરી. પછી સ્વામીના જયના ઉત્સવને માટે તેઓ નગરની અંદર આવ્યા, અને વાજિત્રના નાદપૂર્વક તેઓએ સારું વપન કર્યું. મહોત્સવમય તે નાનો દિવસ સંપૂર્ણ થયે ત્યારે સમાજનેને રજા આપીને રાજા દેવી(રાણી)ના મહેલમાં ગયો. દેવીએ પૂછ્યું કે-“હે નાથ! આજે નગરમાં શું કાંઈ ઉત્સવ વર્તે છે? કે જેથી આ માટે વાજિત્રને શબ્દ સંભળાય છે?” રાજા બે કે-“હે દેવી! જેથી કરીને મેં સિંહને માર્યો, તેથી કરીને સર્વેએ આ વન મહોત્સવ કર્યો છે.” ત્યારે તે ફરીથી બેલી કે-“હે નાથ ! ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલા તમારે પિતાની અસત્ય પ્રશંસા કરવી શું યોગ્ય છે? કેમકે શુભંકર બટુકે સિંહને હણ્યો છે, અને યશમાં લુબ્ધ થયેલા તમે વધુપનને મહત્સવ કરાવ્યા. ” તે સાંભળીને ક્રોધ પામેલા રાજાએ વિચાર કર્યો કે–“મિચ્યા બોલનાર તે દુરાત્માનું દુશ્ચરિત્ર કેવું પ્રગટ છે? “ આ ગુપ્ત વાત કોઈને કહેવાની નથી,” એમ મારી પાસે બોલીને તે જ વખતે પોતાના ઉત્કર્ષમાં લુબ્ધ થયેલા તેણે દેવીની પાસે કહી, તેથી મર્મને (ગુપ્ત) બેલનાર તેને મારે છાની રીતે મારે જોઈએ.” એમ વિચારી રાજાએ આરક્ષકને તે શિક્ષા આપી. ત્યારે તેણે મારે તે પિતાના ઘેર ગયે, અને “હે દેવ ! તમારું તે કાર્ય સિદ્ધ થયું.” એમ રાજાને કહ્યું. પછી બીજા કેઈક દિવસે દેવીએ રાજાને પૂછયું કે-“હે નાથ? હમણાં શુભંકર બટુક કેમ નથી દેખાતો?” ત્યારે રાજાએ કહ્યું કે-“હે પ્રિયા! તેનું નામ પણ લેવું નહી.” ત્યારે તે બોલી કે-“હે દેવ ! તે મહાભાએ શે અપરાધ કર્યો છે?” રાજાએ તેના વિષેને તે પોતાનો અભિપ્રાય જણાવ્યું ત્યારે તેણીએ કહ્યું કે “તેણે મને સિંહને મારવાની આ વાત કહી નથી, પરંતુ કૌતુકથી સાત માળવાળા પ્રાસાદ ઉપર ચડેલી મેં આ જોયું છે. તેમાં તેને કાંઈ પણ દોષ નથી. હે દેવ! તમે સત્ય કહો, કે શું તે જીવે છે કે મરી ગયો છે?” આ પ્રમાણે તેણીએ પૂછયું ત્યારે રાજાએ ખેદસહિત ફરીથી કહ્યું કે-“અરે દેવી! મેં આજે અત્યંત કાર્ય કર્યું, કે જેથી સર્વ ગુણોરૂપી રનના નિધાનરૂપ તે બટુકનો ઘાત કરાવ્યો. વિચાર્યા વિના કાર્ય કરનાર મારી જે કઈ નથી. કેમકે ઉપકાર કરનારાને હણનારે હું જ કૃતજ્ઞી છું.” દેવીએ કહ્યું-“રસથી (વેગથી-વિચાર્યા વિના) કરેલા કાર્યને વિપાક આ જગતમાં જિંદગી પર્યત શયની જેમ હૃદયને વિષે દાહ કરનારો થાય છે.”
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org