SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. હે રાજા! તમે કાંઈક કથા કહે, અથવા સાંભળો.એમ તેણે કહ્યું ત્યારે તે રાજા બે કે-“ તું પણ મને તે (કથા) કહે.” ત્યારે દુર્લભરાજ બે કે “આ જ ભરતક્ષેત્રમાં પર્વત ઉપર આશ્ચર્યથી વ્યાપ્ત રાજપુર નામનું નગર છે. તેમાં સાર્થક નામવાળો શત્રુદમન નામે રાજા હતો. તેને પ્રેમવડે યુક્ત રત્નમાલા નામની પટરાણી હતી, એક દિવસ સભામાં બેઠેલા તે રાજાની પાસે પ્રતીહારે નિવેદન કરેલો કેઈ બટુક આ. તે વખતે રાજા વ્યગ્ર (વ્યાકુળ) હોવાથી તે બેસી રહ્યો. તથા રાજાએ સભાને વિસર્જન કરીને શ્રમને દૂર કરનાર અત્યંગ અને સ્નાન કર્યું. પછી તે દેવપૂજાને સમયે તે રાજાને પુષ્પ સહિત બટુકે આવીને પુષ્પો આપ્યાં. ત્યારે “હે ભદ્ર! તું કોણ છે?એમ રાજાએ પૂછેલે તે બે કે-“હું યજ્ઞદત્તને પુત્ર શુભંકર નામનો બ્રાહ્યાણ અરિષ્ટપુરમાં રહેનારે છું. હે રાજા! દેશને જોવામાં કૌતકવાળે હું પોતાના ઘરમાંથી નીકળીને ભમતે બમતે અહીં તારી પાસે આવ્યો છું.” ત્યારે પ્રકૃતિ(સ્વભાવ)થી જ વિનયવાળા તેને રાજાએ પોતાની પાસે રાખે. અને ભંકર પણ ત્યાં નિશ્ચિંત રહ્યો. તે શૂરવીર, દાની, પ્રિય બોલનાર, કરેલા કામને જાણનાર, દઢ મિત્રાઈવાળો, વિજ્ઞાનવાળે, સ્વામીને ભક્ત અને સર્વ ગુણનું મંદિર હતું. રાજાએ અતિ ગૌરવવાળે કરેલ અને અંત:પુર વગેરેમાં નહીં નિવારણ કરેલો તે ગુણવાન શુભંકર સર્વ ઠેકાણે સ્કૂલન રહિત થયે. એક દિવસ આ નગરની સમીપે એક સિંહ આવ્યો. તે વાત એક શિકારીએ આવીને રાજાને કહી. ત્યારે તે ચાર પ્રકારની સેના સહિત અને શુભંકર સહિત તે રાજા સિંહના વધને માટે નગરમાંથી નીકળ્યો. પછી શિકારીના વચનથી તે સિંહને વનની મધ્યે રહેલો જાણુને તે રાજાએ સમગ્ર સિન્યને વનની પાસે (બહાર) રાખ્યું. અને પોતાના યશની ઈરછાવાળે તે રાજા હાથી ઉપર ચડ્યો, અને શુભંકર સહિત સિંહની પાસે ગયે. ફાડેલા મુખવાળી, રાતા નેત્રવાળા અને સજજ કરેલા પગેવાળ સિંહ પણ રાજાની ઉપર પડવાની ઈચ્છાથી આકાશતળમાં ઊડ્યો. તે વખતે “મારા સ્વામીને પીડા ન થાઓ.” એમ વિચારતા તે શુભંકરે પડતા તે સિંહના મુખમાં તિણ અંકુશ નાંખીને હ. ત્યારે રાજાએ કહ્યું કે-“શુભંકર ! તેં આ સારું ન કર્યું, કેમકે મેં હણવાને ઈછેલા આ સિંહને ચપળતાથી તે વચમાં હ. અરેઆજે તેં કેવળ આ સિંહને જ હો છે એમ નથી, પરંતુ સર્વ રાજાઓની મધ્યે મારા યશને પણ તે હરે છે.” ત્યારે તે બોલ્યા કે-“હે દેવ ! તમારા શરીરના નાશની શંકા થવાથી મેં આને માર્યો છે, પણ મારા ઉત્કર્ષની ઈચ્છાથી માર્યો નથી. વળી બીજું એ કે સ્વામીના (તમારા) પ્રભાવથી જ આ સિંહને મેં માર્યો છે. એમ ન હોય તે માત્ર એક ખવડે તેનો નાશ કેમ થાય ? હું સેન્યાની પાસે કહીશ કે-“સ્વામીએ પોતે જ આ સિંહને માર્યો છે.” તેથી હે દેવી! તમે મારા વિષે અપ્રસાદ ન કરો. હે પ્રભુ! આ કાર્ય તે આપણને બેને જ પ્રત્યક્ષ છે. તેથી ચાર કર્ણવાળા આ મંત્ર-વિચાર)ને ભેદ નહીં થાય.” રાજા બોલ્યો કે-“હે મિત્ર! જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy