________________
ચેથે પ્રસ્તાવ : સાહસ નહિ કરવા ઉપર ધનદત્ત-આમ્રની કથા.
[ ૮૫ ]
થઈ શકે તેમ નથી. હે સારા પુરુષ! આજે મને જીવિત આપતા તે મારા આપેલા
જનથી જીવનારા, અંધ અને વૃદ્ધ મારા માતાપિતાને પણ જીવાડ્યા, તેથી સાધારણ ઉપકાર કરનારા તારે હું શે ઉપકાર કરું? તે પણ મેં આણેલા આ આમ્રના ફળને તું ગ્રહણ કર.” સાર્થવાહ બોલ્યા કે-“હે ભદ્ર! આ ફળવડે હું શું કરું? તું જ તેને ખા, તારું બીજું પણ ભય હું તને આપું.” થક બે કે-“હે સાર્થપતિ ! આ ફળ અત્યંત દુપ્રાપ્ય અને અનેક ગુણ કરનાર છે. તેનું તું કારણ સાંભળ–
આ ભરતક્ષેત્રમાં ગજેકોએ ભાંગેલા કલ્પવૃક્ષના સુગંધવડે દિશાઓના આંતરાને વ્યાપ્ત કરનાર વિધ્ય નામનો પર્વત છે. તેની પાસે રહેલી પ્રખ્યાત વિંધ્યાટવી છે. તેમાં એક વૃક્ષ ઉપર શુકનું મિથુન મનોહર બોલનારું છે. તેમને હું પુત્ર છું. તે બને વૃદ્ધ પણને લીધે બહેરા અને મુંગા થયા છે, તે બન્નેને હું ભય લાવીને આપું છું. એક દિવસ તે અટવીના છેડાના વનમાં શ્રેષ્ઠ આમ્રવૃક્ષ ઉપર જેટલામાં હું ચડેલું હતું, તેટલામાં
ત્યાં શ્રેષ્ઠ બે સાધુ આવ્યા. તેમણે દિશાઓનું અવલોકન કરીને નિર્જનપણાને લીધે નિ:શંકપણે આ પ્રકારની વાત કરી, કે-“સમુદ્રની મધ્યે કોઈક પર્વતને તળીયે ઊગેલે સદા ફળવાળો સહકાર (આમ્ર) નામને સારો વૃક્ષ છે. તેના એક ફળને પણ જે કંઈ ખાય, તેના શરીરમાંથી સર્વે વ્યાધિઓ, અપમૃત્યુ અને જરાવસ્થા નાશ પામે છે, તથા એક વાર પણ તે સારું ફળ ખાવાથી અતુલ્ય સિભાગ્ય, રૂપ, દીપ્તિ તથા કાંતિ ક્ટ રીતે થાય છે.” તે સાંભળીને મેં વિચાર્યું કે-“આ સત્ય છે. તેમાં સંશય નથી, કેમકે મુનીંદ્રોની વાણી પ્રલય કાળને વિષે પણ અસત્ય થતી નથી, તેથી તે ફળ લાવીને હું માતાપિતાને આપું, કે જેથી તે યુવાવસ્થાવાળા અને સારા નેત્રવાળા થાય. એમ વિચારીને તે સાથે પતિ ! ત્યાં જઈને મેં આ અદ્ભુત ફળ આપ્યું છે. હે ભદ્ર! તે આ તું ગ્રહણ કર. હું બીજુ તે ફળ લાવીને મારા માતાપિતાને આપીશ. અને મારા ઉપર અનુગ્રહ (કૃપા) કરીને તારે આ ફળ ગ્રહણ કરવું. ” ત્યારે વિસ્મયથી વિકસ્વર નેત્રવાળા સાર્થવાહે તે ફળ ગ્રહણ કર્યું. શુક પણ આકાશતળમાં ઊડી ગયે.
આ ફળ ઘણાના ઉપકાર માટે કે રાજાને આપવું જોઈએ.” એમ વિચારીને સાર્થવાહે તે ફળ ગુપ્ત કર્યું. પછી કેઈક દિવસ તે વહાણ સામે કાંઠે પહોંચ્યું. ત્યાં નિવાસ કરીને તથા ભેટ ગ્રહણ કરીને શ્રેષિપુત્ર રાજાની પાસે ગયે. તેને પ્રાભૂત (ભેટ) આપીને તે ફળ આપ્યું, અને તેને પરમાર્થ નિવેદન કર્યો. ત્યારે તુષ્ટમાન થયેલા રાજાએ તેનું સર્વ દાણ મૂકી દીધું. ત્યારે “તમારો મોટો પ્રસાદ” એમ કહીને તે પોતાના આવાસમાં ગયે. પછી અધિક લાભવડે પિતાનું ભાંડ વેચીને તથા બીજું લઈને તે પાછો વળીને ગંભીર નામના નગરે પહોંચ્યો. અને ત્યાંથી ચાલે તે અનુક્રમે કાદંબરી અટવીને પામે. ત્યાં આવાસ આપીને (કરીને) તે સાર્થવાહ પિતાના માણસો સહિત રહ્યો. રાત્રિએ સર્વ લેકે સૂઈ ગયા ત્યારે અને ભાંડના સમૂહને લીધે બહારના યાત્રિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org