SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જાગતા હતા ત્યારે જે થયું, તે કહેવાય છે. રાત્રિ પરિગલિત (પૂર્ણ) થઈ ત્યારે તુમુલ(ઘંઘાટ-યુદ્ધ)વડે મિશ્રિત “હ, હરણ કરો.” એવા ઊંચેથી તીક્ષણ શબ્દો કે એ સાંભળ્યા. ઊંચા કાપેલાના શબ્દો અને હકકાનાદવડે ભયંકર જિલ્લાની ધાડ અકસ્માત કોઈક ઠેકાણેથી આવી પડી. શૂરવીર સાર્થવાહ પણ બખ્તર પહેરીને સુભટોથી પરિવરીને તે ભિલની સેના સાથે યુદ્ધ કરવા આવ્યો. આ અવસરે બંદી (ભાટ) બે કે-“ગુરુ, અને દેવની પૂજામાં રક્ત, નિર્ભય અને સ્થિર ચિત્તવાળો ધનદત્ત જય પામે.” ત્યારે પૂર્વના ઉપકારી ધનદત્તનું નામ સાંભળીને શંકાવાળા પલીપતિએ પત્તિઓને યુથી નિવારણ કર્યા. મનુષ્યને મોકલવાવડે તે વૃત્તાંત યથાર્થ જાણીને શસ રહિત તે મળવાને માટે તેની સન્મુખ ગયે. ધનદત્ત પણ તેને ઓળખીને સંભ્રમ સહિત બોલ્યા કે-“અહો! કૃતજ્ઞતાના સારભૂત! તારું સ્વાગત, તારું સ્વાગત (સારું આવવું) થયું.” તે બને પરસ્પર ભેટીને ઉચિત આસન ઉપર બેઠા. તે સાથે પતિએ તાંબલ વગેરેવડે તેનું ઉચિતપણું કર્યું અને કુશળવાર્તા પૂછી. ત્યારે તે પણ બોલ્યો કે “ મને શું પૂછે છે કે જેણે (મું) તમારી આવી પ્રતિપત્તિ (સેવા) કરી?” ઈત્યાદિ. પિતાના આત્માની નિંદા કરીને અને સાથે પતિને પ્રાર્થના કરીને ઉદાર બુદ્ધિવાળે તે પલપતિ સાથે પતિને પિતાની પલ્લીમાં લા. ઘેર આવેલા તેનું નાન, ભજન અને વદિવડે સન્માન કરીને મુક્તાફળ (મોતી) અને હાથીના દાંત વગેરેવડે આદરથી તેની પૂજા કરી. પછી તેની રજા લઈને તથા કેટલીક વસ્તુ લઈને તે સાર્થવાહ સાર્થ સહિત ચાલ્યા અને પિતાના નગરને પામ્યા. પછી ધનદત્ત મોટા વૈભવથી પોતાના નગરમાં પ્રવેશ કરીને પોતાની ભુજાવડે મેળવેલા ધનવડે પિતાનું ચિંતવેલું કરવા લાગ્યો, પાત્રને વિષે દાન આપવા લાગ્ય, સુવાસિની સ્ત્રીઓને સત્કાર કરવા લાગ્યો, ગુરુઓની પૂજા કરવા લાગે અને કીર્તન કરાવવા લાગ્યા. તથા મનમાં ચિંતવેલું બીજું પણ તે વૈભવવડે કરવા લાગે. પછી કોઈક દિવસ વિહાર કરતા કેઈક શ્રેષ્ઠ સૂરિ ત્યાં આવ્યા. તેની પાસે ધર્મ સાંભ. ળીને તે ધનદત્ત મહાવતી (સાધુ) થઈને અનુક્રમે કર્મ રહિત થઈને અવિનાશી મોક્ષપદને પામે. હવે અહીં તે રાજાએ પિતાના હાથમાં તે આમ્રફળ ગ્રહણ કરીને વિચાર્યું કે-“આ ફળ મારા પિતાના ખાવાવડે શું ગુણ થાય? પરંતુ જે આ આમ્રફળ ઘણું કરાવીને ઘણું લેકોને ઉપકાર કરૂં, તે મેટો ગુણ થાય.” એમ વિચારીને રાજાએ પોતાના પુરૂપિને આ પ્રમાણે આજ્ઞા આપી કે- આ ફળને સારા સ્થાનમાં વાવવું કે જે પ્રકારે આમ્રવૃક્ષ થાય.” ત્યારે તે પુરૂષાએ મનહર ઉધાનમાં જઈને તે પ્રમાણે કર્યું. અને તેની ફરતે કયારે કરીને તેને જળ પાવા લાગ્યા. પ્રથમ તેને અંકુર ઊગે ત્યારે તેઓએ રાજાને પ્રસન્ન કર્યો. ત્યાર પછી હંમેશાં નવી નવી ઋદ્ધિ કહેવાથી તેને ખુશ કરવા લાગ્યા. ૧. શીંગડાના આકારવાળું વાજિંત્ર. ૨. કરેલા ગુણ સારી રીતે જાણનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy