SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર, પિતાએ તે સર્વેને સારે। કલાભ્યાસ કરાવ્યેા, અને તે યુવાવસ્થાને પામ્યા ત્યારે તેમને ચેાગ્ય કન્યાએ પરણાવી. પછી કાઇક દિવસ નિક નામના રાગથી પીડા પામેલા તે રાજાએ રાજ્યને વિષે મેાટા દેવરાજ પુત્રને સ્થાપન કર્યા. પછી તેને શિક્ષા આપીને તે પરલેાકમાં ગયા. દેવરાજે પણ કેટલાક કાળ પાતના રાજ્યનું પાલન કર્યું. પછી એક વખત અત્યંત ખળવાન દાયાદા( ભાગીદારા )એ એકત્ર થઈને બળાત્કારે તે રાજ્ય ગ્રહણ કર્યું, અને તેને નાના ભાઇ સહિત દેશમાંથી કાઢી મૂકયો. હું દેવ ! તે આ દેવરાજ અત્રે નાના ભાઈઓ સહિત સેવા કરવાની ઇચ્છાથી તમારી પાસે આવ્યા છીએ. હે પૃથ્વીપતિ ! તમારા ગુણરૂપી દૂતે અમને મેલાવ્યા છે એમ મનમાં સભાવના કરીને અમે તમારી પાસે આવ્યા છીએ. ” ત્યારે હર્ષ પામેલે રાજા ખેલ્યો કે- તમે મારી પાસે જે આવ્યા, તે સારું કર્યું. કેમકે સત્પુરુષાનું શરણ સત્પુરુષા જ છે. ” પછી પ્રતીહારને આદેશ કરીને રાજાએ તેમને આજીવિકા સહિત રહેવા માટે શ્રેષ્ઠ આવાસ આપ્યા. દૃઢ ભક્તિમાં તત્પર અને પ્રૌઢ ( મેાટા મળવાન ) તે સેવકાને તે રાજાએ પ્રસન્નતાપૂર્વક પેાતાના અંગરક્ષકપણાને વિષે નીમ્યા. ધારણ કરેલા આયુધવાળા તે ચારે રાત્રિના ચાર પહેારને વિષે અનુક્રમે સૂતેલા રાજાની રક્ષા કરવા લાગ્યા. એક વખત શ્રીષ્મ ઋતુમાં દેવરાજ કાંઇપણ કાર્યને લીધે રાજાની અનુજ્ઞા લઇને પાસેના કાઇક ગામમાં ગયા. કાર્ય કરીને તે જેટલામાં મધ્યાહ્ન સમયે પાછા વળ્યે, તેટલામાં માને વિષે ભયંકર અને પ્રબળ વાવાઝોડુ' ઉત્પન્ન થયું. પ્રચંડ વાયુએ ઉડાડેલી ધૂળ ઊંચે ઉછળવા લાગી, કાંકરા પડવા લાગ્યા, આકાશમાં પાંદડા અને તૃણુ ભમવા લાગ્યા, માટા ગારવવર્ડ ભયંકર કાંઈ જળ પડવા લાગ્યું, તથા દ્રષ્ટિને સ`તાપ કરનારી વીજળી વિલાસ કરવા લાગી. તે ધૂળ અને જળથી ભય પામેલેા ત જેટલામાં એક ક્ષણવાર વટવૃક્ષના આશ્રય કરીને રહ્યો, તેટલામાં ઉપર (ઉંચે ) સ્વર સાંભળ્યેા. ત્યારે “ આ શું ? ” એમ વિચારીને સાવધાન થઈને ભાષામાં નિપુણ એવા તેણે અતિ દુઃખથી સાંભળી શકાય તેવું આ પ્રમાણે એ પિશાચનું વચન સાંભળ્યું. “ૐ ભદ્રે ! તુ કાંઇ જાણે છે? ” તે એલ્યેા—“ ના, તે મને તું કહે. ” તેણે પણ કહ્યું—“ તે રાજા આજે મરી જશે. ” ત્યારે ખીજાએ તેને પૂછ્યું કે—“ કયા નિમિત્તે અને કયા વખતે મરશે ? ” તેણે કહ્યુ “ સર્પથી રાત્રિના પહેલા પહેારમાં મરશે.” આ પ્રમાણે તે પિશાચનું વચન સાંભળીને હૃદયમાં અધિક પીડા પામેલા તેણે વિચાર્યું કે અરે! આ કા ધ્રુવે કેમ નિર્માણ કર્યું ? આ કાર્યને વિષે હું કાંઇપણ તે પ્રકારે યત્ન કરીશ, કે જે પ્રકારે પ્રભુનું આ મરણુ ન થાય. એમ વિચાર કરતા તે રાજા પાસે ગયા. પછી પ્રદેષ સમય થયા ત્યારે સભામાં રહેલા જનાને વિદાય કરીને રાજા વાસભવનમાં પ્રવેશ કરીને દૈવીનો સાથે સૂતા. દેવરાજ પણુ શ`કા પામવાથી તે વાસગૃહની ઉપર અને નીચે સર્વ ઠેકાણે પ્રયત્નથી શેાધ કરવા લાગ્યા. ત્યારપછી ખડ્ગને ખેંચીને દીવાની છાયામાં અંદર રહેલા અને ઉપર તથા નીચે જોતા તે જેટલામાં ,, "" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy