SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથે પ્રસ્તાવ-ક્રોધિત રાજાના કાળક્ષેપ માટે વત્સરાજે કહેલ ધનદત્તની કથા. [૧] રહ્યો, તે વખતે ચંદ્રોદયના(ચંદરવાના) છિદ્રવડે લટકતા સર્પને જોઈને ભય નહીં પામેલા તેણે તરતજ પિતાના એક હાથવડે તેનું મુખ પકડયું અને બીજા હાથ વડે તેણે ખર્શથી તેના શરીરના બે કકડા કર્યા. તે બનને કકડાને તેણે એક ઠેકાણે ગુપ્ત કર્યા. તે વખતે દેવીના ઉરસ્થળ ઉપર પડેલા લેહીના બિંદુ જોઈને વિષના સંક્રમથી ભય પામેલા તેણે પોતાના હાથવડે તે દૂર કર્યા. તે અવસરે નિદ્રાનો ક્ષય થવાથી રાજાએ દેવીના ઉરસ્થળ ઉપર વ્યાપાર કરતા તે હાથને જે. ત્યારે કેપથી વ્યાપ્ત અંગવાળે તે વિચાર કરવા લાગ્યો કે-“શું આને હું મારું ? અથવા આ બળવાન મારા વડે મારવાનું શકય નથી જ. આને બીજા કેઈપણ ઉપાયવડે અવશ્ય હું મારીશ.” એ પ્રમાણે વિચાર કરીને તે રાજા તે નિદ્રાવાળી અવસ્થા વડે રહ્યો. પછી ઘટિકાના ઘરમાં રાત્રિનો પહેલો પહોર વાગ્યે, ત્યારે પિતાને સ્થાને વત્સરાજને મૂકીને તે પોતાને ઘેર ગયો. પછી રાજા બોલ્યો કે-“ અરે ! આ ઠેકાણે કેણ પ્રહરિક છે?” તે બે -“હું તમારો સેવક વત્સરાજ અહીં રહ્યો છું.” ફરીથી રાજા બેલ્યો-“ શું મારું એક કાર્ય તું કરીશ ?” ત્યારે તે બોલ્યો-“મને જલદી આદેશ આપો.રાજા બોલ્યો-“હે ભદ્ર! જો એમ હોય તો આ આદેશ હું તને આપું છું, કેતારા ભાઈ દેવરાજનું મસ્તક છેદીને તું અહીં લાવ.” ત્યારે “ બહુ સારું ” એમ આજ્ઞાને ગ્રહણ કરીને તે વાસગ્રહથી બહાર નીકળ્યા. અને વિચારવા લાગ્યો કે- રાજા દેવરાજ ઉપર અતિ ક્રોધ પામ્યો છે. આ ક્રોધ શરીર, સ્ત્રી, ધન અને દ્રોહવડે સંભવે છે. આના મધ્યેથી એક પણ મારા બંધુના શરીરમાં સંભવતો નથી, કેમકે શાસ્ત્રમાં કહ્યું છે કે-આ લોકને વિષે જેઓ પોતાની પ્રકૃતિથી જ સ્વભાવથી જ) ઉત્તમ જનો છે, તેઓ અવશ્ય પિતાના મરણને અંગીકાર કરે છે, પરંતુ ઉન્માર્ગને પામતા નથી. લેકના અપવાદથી ભય પામેલા જેઓ જિતેંદ્રિય હોય છે, તેઓ મહામુનિની જેમ અકાર્ય કરતા જ નથી. તેથી છેટું જાણેલું, ખોટું જોયેલું, ખાટું સાંભળેલું અથવા બેટી પરીક્ષા કરેલું આ કાર્ય અવશ્ય હોવું જોઈએ. તે 'મારે કેમ કરવું ? અથવા તે ઠીક, મેં જાણ્યું, કે- હું કામનો વિલંબ કરું, કેમકે ડાહ્યા પુરુષોએ અશુભના નાશને માટે તે (કામને વિલંબ ) જ કહ્યો છે.” આ પ્રમાણે વિચારીને અને રાજાની પાસે આવીને તેણે કહ્યું કે-“હે પૃથ્વી પતિ ! તે દેવરાજ હજુ જાગે છે. જાગતા તે મહાભુજાવાળાને હણવા માટે કઈ પણ શક્તિમાન નથી, તેથી નિદ્રાના સમૂહને પામેલા તેને હું મારીશ.” ત્યારે “ભલે, એમ થાઓ.” એ પ્રમાણે રાજાએ અંગીકાર કર્યું ત્યારે તે ફરીથી બોલ્યો કે-“હે પ્રભુ! નિદ્રા રહિત થયેલા તમે મને કાંઈક કથા કહે. અથવા તો મારા વડે કહેવાતી તે કથાને તમે ઉદ્યમ સહિત થઈને સાંભળો કેમકે વિનોદ રહિત મનુષ્યોની આ રાત્રિ ક્ષય પામતી નથી.” ત્યારે “હે ભદ્ર! તું જ કહે.” એમ રાજાએ તેને આદેશ કર્યો. ત્યારે વત્સરાજે કથા કહેવાનો આરંભ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy