SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથે પ્રસ્તાવ-ક્ષેમંકર જિને કહેલ અમૃતાદિ રાજવીઓની કથા. ૭૯ ] કર્મના ક્ષયવડે તે કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેએ આવીને સમવસરણ રચ્યું ત્યારે ત્યાં વિધિપૂર્વક બેસીને તેણે ધર્મદેશના આપી, કે-“હે ભવ્ય જીવો! કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુથી પણ અધિક પ્રભાવાળે ધર્મ જ હંમેશાં અતિ પ્રયત્નવડે કરે, પરંતુ આયુર્વેદમાં બતાવેલા (કહેલા) દૂધપાન કરવાના વચનની જેમ શ્રત, શીલ અને દયા વિગેરેવડે આ ધર્મની સારી રીતે પરીક્ષા કરવી. વિચાર્યા વિના પ્રવતેલે માણસ આકડા વિગેરેથી ઉત્પન્ન થયેલા દૂધને પીવે, કે જેથી આંતરડાને છેદ વિગેરે માટે દોષ થાય છે. પણ જે માણસ બુદ્ધિવડે વૈદ્યના વાયને વિચાર કરે, તે બળની પુષ્ટિને કરનાર ગાય વગેરેના મનહર દૂધને પીએ છે. “ધર્મને વિષે પ્રવૃત્તિ કરવી” એ વાકયને પણ વિચાર્યા વિના જીવ અજ્ઞાનને લીધે ધનુષ્ય વગેરેને વિષે પ્રવૃત્તિ કરે છે, તેથી હે ભવ્ય ! જો તમે મોક્ષના સુખને ઈચ્છતા હે, તે જિનેશ્વરએ કહેલા અહિંસાદિક લક્ષણવાળા ધર્મને વિષે પ્રવૃત્તિ કરે. આ જગતમાં બુદ્ધિવડે વિચાર્યા વિના કાર્યને કરનારાં પ્રાણીઓને અમૃત, આમ્ર અને નિપાત્ય વગેરે રાજાની જેમ દે ઉત્પન્ન થાય છે.” ત્યારે કૌતુકથી આતુર થયેલી પર્ષદાએ આ પ્રમાણે પૂછયું કે-“ હે ભગવાન! આ આ અમૃત, આમ્ર અને નિપત્ય વગેરે રાજાઓ કેણ છે? તથા વિચાર્યા વિના કાર્ય કરનારા તેમને કેવી રીતે દોષ ઉત્પન્ન થયે?” આ પ્રમાણે સર્વ સભાએ કહેલા ક્ષેમંકર જિનેશ્વર આ પ્રમાણે બોલ્યા છે “અવંતિ દેશને વિષે જાણે કે કોતુથી કુબેરની નગરી અહીં ઊતરી હોય તેવી પ્રસિદ્ધ ઉજજયિની નામની નગરી છે. તે નગરીને જિતશત્રુ નામે રાજા પાલન કરતો હતો, કે જે શત્રુની સ્ત્રીઓને વિધવાપણાનું વ્રત આપનારા ગુરુ સમાન હતો. તેને સારાં લોચનવાળી વિજયશ્રી નામની પટરાણ હતી. તેણીને અને પૃથ્વીને ભેગવતે તે રાજા રાજ્યનું પાલન કરતા હતા. એક દિવસ સભામંડપમાં બેઠેલા તે રાજાને ચેષ્ટા અને આકારને જાણનારા પ્રતિહારે વિનંતિ કરી, કે “હે રાજા ! તમારા મંદિરના દ્વારને વિષે તમારા દર્શનમાં ઉત્સુક થયેલા અને મૂર્તિ વડે કરીને રાજપુત્ર જેવા ચાર પુરુષો આવ્યા છે, તેથી તેઓનું શું કરવું ?” એમ તેણે કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે-“તેઓને અહીં જલદી લાવ.” ત્યારે તે પણ તેઓને લાવ્યા. નમસ્કાર કરીને આપેલા આસન ઉપર બેઠેલા તેમને જોઈ રાજાએ વિચાર્યું કે-“આ આકૃતિએ કરીને ખરેખર સારા વંશમાં ઉત્પન્ન થયેલા છે.” પછી તાંબૂલ વગેરે આપવાવડે સન્માન કરીને “તમે અહીં કયાંથી આવ્યા છે? અને શાને માટે આવ્યા છે?” એમ રાજાએ તેમને પૂછ્યું. ત્યારે તેઓમાંના નાનાએ કહ્યું કે-“હે દેવ! ઉત્તરાપથને વિષે પૃથ્વીમાં પ્રખ્યાત સુવર્ણતિલક નામનું નગર છે. તેને વૈરિમતિ નામને રાજા ન્યાયવડે પાળતે હતો. તેને મને હર રૂપવાળી રૂપવતી નામની પ્રિયા હતી. તેમને અનુક્રમે ચાર શ્રેષ્ઠ પુત્ર થયા. તેઓના આ નામ અનુક્રમે આપ્યાં છે– પહેલા દેવરાજ નામને, બીજે વત્સરાજ, ત્રીજે દુલભરાજ અને ચેાથો કીર્તિ રાજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy