________________
[ ૭૬ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
કરીને દીક્ષા ગ્રહણ કરી. પછી બન્ને શ્રેણિના સ્વામી તે માટી બુદ્ધિવાળા મેધનાદે પેાતાના પુત્રાને અનુક્રમે એકસેા ને દશ દેશે। આપ્યા. પછી કોઇક દિવસે મેરુપર્વત ઉપર જઈને તેણે શાશ્વત અરિહંતાની પ્રતિમાઓની ભક્તિપૂર્વક પૂજા કરી, અને પ્રજ્ઞપ્તિ વિદ્યાની પૂજા કરી. તે વખતે ત્યાં સ્વર્ગમાં વસનારા સર્વે દેવા આવ્યા. તેમાં અચ્યુતૅ તેને જોયા, અને સ્નેહથી તેની સાથે વાત કરી. પછી તે ઇંદ્ર ધર્મ સહિત પૂર્વભવનું સ્વરૂપ કહીને પેાતાને સ્થાને ગયા. વિદ્યાધરના રાજા મેઘનાદ પણ ભક્તિથી અમરગુરુ નામના મુનીંદ્રની પાસે દીક્ષા ગ્રહણ કરીને નંદન પર્વત ઉપર જઈને તપ કરવા લાગ્યા. ત્યાં એક રાત્રિની પ્રતિમાને ધારણ કરીને રહેલા તેને અશ્વથીવના પુત્રને જીવ જે અસુર થયેા હતેા તેણે મેટા ઉપસર્ચો કર્યો. પછી તે પ્રતિમાને પારીને તથા પૃથ્વીતળ ઉપર વિહાર કરીને અને છેવટ સમાધિથી મરણ પામીને તે પણ અચ્યુતેદ્ર થયા.
શ્રી શાંતિનાથ જિનેશ્વરના કષાયના વિચ્છેદની કથાએ કરીને સુંદર આ સાતમા ભવ સહિત છઠ્ઠો ભવ કહ્યો. તે સંઘને વિષે કલ્યાણની પરંપરાને કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org