________________
ચતુર્થ પ્રસ્તાવ.
***
-
હુવે આ તરફ આ જ યુદ્વીપના મધ્યમાં પૂર્વમહાવિદેહને વિષે મલાવતી નામના વિજયમાં સીતા નદીના કાંઠે તીર્થંકરાદિક પુરુષરાના સમૂહવાળી રત્નસંચયા નામની સિદ્ધાંત(શાસ્ત્ર)માં પ્રસિદ્ધ શાશ્વતી શ્રેષ્ઠ નગરી છે. તેમાં દુીતિનું નિવારણ કરવાવડે પ્રજાની કુશળતાને કરનારી ક્ષેમર નામના રાજા હતા, અને તે તી કરપણે હતા. તે રાજાને સતીપણારૂપી વૃક્ષના ક્યારા સમાન અને ગુણુલક્ષ્મીવડે અતિ વિશાળ રત્નમાળા નામની પ્રિયા હતી. આ અપરાજિતના જીવ ખાવીશ સાગરાપમની સ્થિતિવાળા અચ્યુતેદ્રની પદવીથી ચવીને તેણીની કુક્ષીમાં અવતર્યું. તે દેવીએ રાત્રિએ ચક્રવતીના જન્મને સૂચવનારા વજ્રના સ્વપ્ન સહિત ચૌદ મેાટાં સ્વપ્ન જોયાં. પ્રભાતે ઊઠેલી તેણીએ રાજાને તે સ્વપ્ના કહ્યાં. તેણે પણ સારા પુત્રના જન્મ કહેવાથી તેણીને ખુશ કરી. પછી સંપૂર્ણ સમયે તે રાણીએ પુત્રને ઉત્પન્ન કર્યાં. તે વખતે દાસીએએ રાજાને પુત્રના જન્મની વધામણી આપી. પુત્રજન્મને નિવેદન કરનારી તે દાસીઓને સાત કુલ( પેઢી) સુધી આજીવિકાવર્ડ પ્રસન્ન કરીને રાજાએ તેનુ વર્ધાપન કરાવ્યું. દેવીએ વજ્રને જે સ્વપ્નમાં જોયું હતું તેથી તેના પિતાએ તે પુત્રનું વાયુધ નામ પાડ્યું. આઠ વર્ષના પ્રમાણુ( વય )વાળા તેને કળાચાર્ય પાસે ગુણસંપદાના નિવાસરૂપ કળાભ્યાસ કરાભ્યા. પછી યુવાવસ્થાને પામેલા તેને માટા ઉત્સવવર્ડ લક્ષ્મીવતી નામની શ્રેષ્ઠ રાજકન્યા પરણાવી. પછી અનતી ના જીવ અચ્યુત દેવલાકથી ચવીને વજ્રાયુધ કુમારની ભાર્યા લક્ષ્મીવતીના પુત્ર થયા. સહસ્રાયુધ નામના તે પણ યુવાવસ્થાને પામ્યા, અને સારા રૂપવાળી નશ્રી નામની રાજકન્યાને પરણ્યા. તેણીની સાથે મનેાહર ભાગ ભાગવતા તેને પણુ કાળના ક્રમવડે શતમળ નામના પુત્ર થયે.. પછી એક દિવસ પુત્ર અને પૌત્ર સહિત આ ક્ષેમ કર રાજા સભાને વિષે સિ`હાસન ઉપર જેટલામાં બેઠા હતા, તેટલામાં ઇશાન દેવલાકમાં રહેનારા મિથ્યાત્વથી માહ પામેàા કાઈ ચિત્રચૂલ નામના દેવ આવ્યે . “ દેવ નથી, ગુરુ નથી, પુણ્ય નથી, પાપ નથી, જીવ નથી, પરલેાક નથી, ” ઇત્યાદિ આ નાસ્તિકવાદી આા. ત્યારે વજ્રાયુધ કુમારે કહ્યું કે હે દેવ ! તારી આ નાસ્તિકવાદ ચેાગ્ય નથી. તેમાં તું પણ કારણરૂપ છે. જો તે પહેલા કાંઈ પણું સુકૃત કર્યું' ન હાત, તા તું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org