SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કર્મના પરિણામના વથી તે શ્રાવિકાએ ધર્મના વિષયમાં આ પ્રમાણે મનમાં રહેલી વિચિકિત્સા કરી, કે-“આ રમણીય જૈન ધર્મને વિષે હું યત્ન કરું છું (પાળું છું, પરંતુ આનું ફળ થશે કે નહીં? તે જણાતું નથી.” આવી વિપરીત ચિકિત્સા કરીને આયુષ્યના ક્ષયે મરીને તે જ્યાં ઉત્પન્ન થઈ, તે સ્થાન હવે હું કહું છું. આ જ વિજયમાં તાત્ય પર્વત ઉપર સુરમંદિર નામના નગરમાં કનકપૂજ્ય નામે રાજા હતા, તેને વાયુવેગા નામની પ્રિય હતી. કીર્તિવાળા તે રાજાને હું કીતિધર નામનો પુત્ર છું. મારે પણ અનિલગા નામની પ્રિયા હતી. હાથી, કુંભ અને વૃષભ એ ત્રણ સ્વપ્નથી સૂચન કરાયેલે મારે પુત્ર દમિતારિ નામને પ્રતિવાસુદેવ રાજા થયે. મોટા યૌવનવાળા તેને મેં ઘણી કન્યાઓ પરણાવી. પછી મેં તેને પોતાના રાજ્ય ઉપર સ્થાપન કર્યો, અને મેં દીક્ષા ગ્રહણ કરી. આ દમિતારિ રાજાને મદિરા નામની પ્રિય હતી, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી તું કનકશ્રી નામની પુત્રી થઈ. તે પૂર્વભવે જે ધર્મની વિચિકિત્સા કરી હતી, તેથી હે ભદ્રા! બંધુવિયેગાદિક આ દુઃખ તેને થયું છે.” આ પ્રમાણે પિતામહ મુનિના મુખેથી પિતાને પૂર્વભવ સાંભળીને તે દમિતારિ રાજાની પુત્રી સંસારથી વૈરાગ્યવાળી થઈ, તેથી બે હાથ જોડીને અપરાજિત અને અનંતવીર્યને આ પ્રમાણે કહ્યું કે-“જે તમે મને અનુજ્ઞા આપે, તો હું આજે પ્રવજ્યા ગ્રહણ કરું.” તેઓએ તેણીને કહ્યું કે-“સુભગા પુરીએ જઈને હે શુભા! સ્વયંપ્રભ જિનેશ્વરની પાસે તું વ્રતવાળી થજે.” પછી તે તપોધનને નમીને તથા વિમાન ઉપર ચડીને તેની સાથે તે બન્ને પિતાની નગરીને વિષે ગયા. પછી એક દિવસ સુર, અસુર અને મનુષ્યવડે પૂજાતા સ્વયંપ્રભ જિનેશ્વર પ્રભુ સુભગાપુરીમાં આવીને સમવસર્યા. ત્યારે તે કનકશ્રી સહિત આ બળદેવ અને કેશવે ત્યાં જઈને તેને ભક્તિથી વાંદ્યા, અને ધર્મ સાંભળ્યો. પહેલા પણ તે કનકશ્રી વિષયોથી વિરક્ત બુદ્ધિવાળી હતી. અને તે વખતે જિનેશ્વરની વાણી સાંભળીને વિશેષ કરીને વિરક્ત બુદ્ધિવાળી થઈ. પછી હરિ અને બળદેવે તેને દીક્ષાને ઉત્સવ કર્યો. તેણીએ દીક્ષા લીધી, અને એકાવળી વિગેરે મોટું તપ કર્યું. શુકલધ્યાનરૂપી અગ્નિવડે ચાર ઘાતી કર્મને બાળીને, કેવળજ્ઞાન પામીને તે મોક્ષપદને પામી. આ તરફ અપરાજિતને વીરતા નામની ભાર્યા હતી, તેના અંગથી ઉત્પન્ન થયેલી સુમતિ નામની પુત્રી થઈ. તે બાલ્યાવસ્થાથી જ જીવાજીવાદિક તત્વને જાણનારી, તપકર્મમાં ઉદ્યમવાળી અને જિનશાસનમાં કુશળ થઈ. એક દિવસ તેણીને ઘેર શાંત, દાંત અને ક્ષમાવાળા વરદત્ત નામના મહામુનિ ઉપવાસના પારણુને માટે આવ્યા. પારણને માટે પોતાના થાળમાં પીરસેલી મને રૂપ રસવતીવડે તેણુએ સાધુને પ્રતિલાવ્યા. તે જ વખતે તે મુનિના પ્રભાવથી તેણીની ભક્તિ વડે રંજિત થયેલા દેએ કરેલા પાંચ દિવ્યે ત્યાં થયાં ને સાધુ પિતાના સ્થાને ગયા. તે જોઈને બળદેવ અને કેશવે વિચાર્યું કે-“પુણ્ય કરનારી આ કન્યા ધન્ય છે.” પછી મંત્રીની સાથે વિચાર કરીને મોટા આનંદવડે તે બનેએ તેને માટે સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy