________________
નીશ્રી-અજયચંદ્ર વિજ્યજી,
ત્રીજો પ્રસ્તાવ-શ્રીદતાએ સ્વીકારેલ શ્રાદ્ધધર્મ.
[ ૭૩ ]
મૂકીને તે શવ્યાને ભાંગી નાંખી. પછી તે તાળીઓ વગાડતી આ પ્રમાણે બેલી કે“અહે! મેં ઠીક કર્યું, કે જેથી મારા ભાઈના વધ કરનારને મેં મારી નાંખ્યો.” ત્યારે તેણીને કેશમાં પકડીને રાજા બે કે-“હે રાંડ! આ પ્રમાણે કરતી તું તારા ભાઈના માર્ગને અનુસરનારી થઈશ.” પછી દીન વચનને બોલતી તેણને મૂકીને તથા દ્વારને ઉઘાડીને તે રાજા જલદીથી પિતાને ઘેર ગયે. પછી નગરના લોકોને એકઠા કરીને (તથા ત્યાં લઈ જઈને) જેની જે વસ્તુ હતી, તેને તે સર્વ આપી, અને તે ભવનને ભાંગી નાંખ્યું. તે સ્ત્રીઓને પોતપોતાના ઘરને વિષે આણું, પરંતુ તે ચરે મોહ પમાડેલી હેવાથી ચપળ ચિત્તવાળી તેઓ ત્યાં (પિતાના ઘરમાં) પ્રીતિને પામી નહીં, તેથી વારંવાર ચારને સ્થાને જવા લાગી. ત્યારે લેકેએ તે વાત રાજાને કહી. તે રાજાએ પણ ભિષક(વેદ્ય)ને કહ્યું. ત્યારે તે બે કે-“આ સ્ત્રીઓ ચેરના ચૂર્ણ વડે આવા પ્રકારની થઈ છે, તેથી હે રાજેન્દ્ર! હું તેમને મારું ચૂર્ણ આપીને સ્વભાવમાં રહેલી (તારી) કરું છું.” પછી રાજાની આજ્ઞાથી તેણે તે સ્ત્રીઓને કામણ રહિત કરી, પરંતુ એક સ્ત્રી તે અવસ્થાવાળી રહી, એમ કહ્યું, ત્યારે રાજાએ તે પણ ભિષકને પૂછયું, ત્યારે તે બેલ્યો કે-“હે દેવ! મેગીના ચર્ણ વડે કેટલીક સ્ત્રીઓની ચામડી વાસિત થઈ છે, તથા કેટલીકનાં માંસ અને રુધિર વાસિત થયાં છે, તે સર્વને પ્રતિચર્ણ વડે સ્વભાવમાં રહેલી (સારી) કરી છે, પરંતુ હે રાજા! આ સ્ત્રીનાં તો તેણે અસ્થિ અને મજજા પણ વાસિત કર્યા છે, તેથી હે રાજા ! જે આને તે ચોરના અસ્થિને ઘસીને પવાય, તે સ્વભાવમાં રહેલી થાય, બીજી રીતે નહીં થાય.” ત્યારે સદા પરના હિતને ઈચ્છનારા તે નરસિંહ રાજાએ જલદીથી તે પ્રકારે તે કરાવીને તેણીને પણ વિકાર રહિત કરી. પછી કઈક દિવસ તે શ્રી જીવંધર આચાર્ય ત્યાં આવ્યા, કે જેની પાસે રાજાને પિતા જિતશત્રુ વ્રતવાળો (ચારિત્રવાળો) થયો હતો. તેની પાસે ધર્મ સાંભળીને તે નરસિંહ રાજા પણ પ્રતિબંધ પામ્યા. અને તેણે ગુણસાગર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો. પછી દીક્ષા ગ્રહણ કરીને તથા અતિ દુષ્કર તપ કરીને કર્મ રહિત થયેલ તે નરસિંહ ત્રાષિ મોક્ષની સંપત્તિને પામ્યા.
ઇતિ નરસિંહ ઋષિની કથા.
પછી સુવત મુનિએ કહ્યું કે-“હે ભદ્રા! જેમ યોગીના ચૂર્ણ વડે તે સ્ત્રીના અસ્થિ અને મજજા અધિવાસિત કર્યો, તેમ જોયેલા વિશ્વાસવાળી હે શ્રીદત્તા! તું પણ કલ્પવૃક્ષ અને ચિંતામણીથી પણ અધિક લક્ષમીવાળા આ ધર્મવડે તારા આત્માની ભાવના કર.” ત્યારે સરળ અંત:કરણવાળી તેણીએ તે મુનિની પાસે શુદ્ધ સમકિત સહિત શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી મુનિએ અન્યત્ર વિહાર કર્યો, શ્રીદત્તા પણ ઘેર ગઈ, અને અંગીકાર કરેલા પિતાના ધર્મને વિધિ પ્રમાણે પાળવા લાગી. એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org