SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. નહીં પણ સર્વ જન તેની આજ્ઞા કરે છે.” તે બોલ્યો-“હે પથિક ! તે હમણાં રાત્રિ વર્તે છે. તે પર સ્ત્રીને સેવનારાને ચારેને અને દુષ્ટોને પ્રીતિ કરનારી છે. તેથી તું ઉભો થા, અને હાથમાં ખડ્ઝ ધારણ કર, કે જેથી નગરમાં પ્રવેશ કરીને કઈ પણ શ્રેણીના ઘરમાંથી દ્રવ્ય લાવીએ.” રાજાએ વિચાર્યું કે-“ખરેખર તે જ આ ચોર છે. તેથી આને હણું, અથવા તે જે આ કરે, તે જોઉં.” પછી તે રાજાએ ખળું ખેંચ્યું. તે જોઈને યોગીએ પણ વિચાર્યું કે આવા ખડગવડે જ આ રાજા જણાય છે, તેથી કેઈપણું ઉપાયવડે મારે આને માર. ” એમ વિચારીને તે આગળ જઈને એકદમ પાછા વન્યા. અને “હે પથિક ! હજુસુધી નગરીને લોક જાગે છે, તેથી ફરીને એક ક્ષણવાર આપણે અહીં વિશ્રામ કરીએ.” એ પ્રમાણે તેને રાજાને કહ્યું. પછી તેની આનાથી રાજાએ પાંદડાના બે સંથારા કર્યા. તેમાંથી એક ઉપર તે વિશ્રાંતિ લેવા બેઠો, અને બીજા ઉપર રાજા પોતે બેઠો. પછી “મારા જાગવાથી આ પણ કોઈ રીતે સૂશે નહીં.” એમ વિચારીને તે ચોર તે સંથારા ઉપર સૂતો. પછી જલદીથી ઉઠીને રાજાએ પોતાને સ્થાને મોટું કાણું સ્થાપન કર્યું, અને પોતે ખડ્ઝ સહિત વૃક્ષના કોટરમાં રહ્યો. પછી તે ત્રિદંડી તકરે પણ પિતાના ખડ્ઝને ખેંચીને ઊભે થયે, અને રાજાની બ્રાંતિથી ખર્શના ઘાતવડે તે કાઇને તેણે બે ભાગ કર્યા પછી વસને દૂર કરીને તથા સ્પર્શાદિકવડે તેને કાણું જાણીને “ધૂર્ત વડે હું ઠગા છું” એમ તેણે પશ્ચાત્તાપ કર્યો. પછી રાજાએ તેને કહ્યું કે-“હે દુખ ! હમણાં હું તને મારું છું. જે તારે પુરુષાર્થ હોય, તે મારી સન્મુખ થા. “ત્યારે “સારૂં, સારૂં, ” એમ બોલતે તે દુખ બુદ્ધિવાળો ચોર પણ હાથમાં ખડગ રાખીને બળથી રાજાની સામે યુદ્ધ કરવા આવ્યા. પછી ખર્શ ખવડે ચિરકાળ સુધી યુદ્ધ કરીને બળવાન રાજાએ તેના મર્મસ્થાનમાં મારીને તેને પૃથ્વીતળ ઉપર પાડી નાંખે. તે ઘાતથી વિવળ થયેલ તે ચોરે રાજાને કહ્યું કે-“હે વીર ! જેણે આ નગરીને લુંટી છે, તેજ હું ચોર છું. હવે હું મરી જઈશ. તું મારું વચન સાંભળ. આ દેવકુલની પાછળ પાતાલ મંદિર છે. તેમાં ઘણું ધન છે, મારી બહેન ધનદેવી છે, અને નગરીમાંથી જે મેં હરણું કરી તે બીજી સ્ત્રીઓ પણ છે. આ મારા ખગ્નને લઈને તું જલદીથી ત્યાં જા. અને શિલાના છિદ્રવડે તે મારી બહેનને બોલાવજે. તેણીને મારું મરણ કહેજે, અને આ ખર્ચ દેખાડજે. ત્યારે તેણી તારા પ્રવેશને માટે દ્વાર ઉઘાડશે. તે સર્વે તારે ગ્રહણ કરવું. અથવા તે જેનું જે હેય, તેને તે તું આપજે.” એમ કહીને તે ચાર મરણ પામે. પછી રાજા પણ ત્યાં જઈને તેના કહ્યા પ્રમાણે કરીને તે પાતાલ ભવનને વિષે પેઠે, અને તે સર્વ તેણે જોયું. પછી “આ પયંક ઉપર પ્રથમ તમે ક્ષણવાર વિશ્રાંતિ .” એમ રાજાને કહીને તે તસ્કરની બહેનો દ્વાર બંધ કર્યું. છાની છાની રીતે પિતાની સન્મુખ જેતી તેણીને જોઈને શંકાવાળા રાજાએ ત્યાં (પલંક ઉપર ) ઓશીકું સ્થાપન કર્યું. અને બુદ્ધિમાન પિતે દીવાની છાયામાં રહ્યો. ત્યારે તે ધનદેવીએ શગ્યા ઉપર યંત્રશિલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy