SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ - ર : -- - - - --- = = = = - - - - - ત્રીજો પ્રસ્તાવ : કનકશ્રીના પૂર્વભવનું ગુરુએ કહેલ વૃત્તાંત. અને પિન્ટાદિકવડે બનાવેલી બે પ્રકારની મદિરા કહેલી છે, તથા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના પાંચ વિષયે કા છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, ત્રીજી પ્રચલા નામની, જેથી પ્રચલાપ્રચલા અને પાંચમી ત્યાનદ્ધિ (એ પાંચ નિદ્રા) હોય છે. તેમાં નિદ્રા સુખેથી બંધ થાય તેવી છે, અતિનિદ્રા (નિદ્રાનિદ્રા) દુઃખથી બંધ થાય તેવી છે, પ્રચલા બેઠેલાને હોય છે, ચંથી (પ્રચલાલા) ચાલતા હોય છે, તથા પાંચમી (ત્યાનદ્ધિ) ચિંતવેલા કાર્યને સાધનારી હોય છે. અને તે (ત્યાદ્રિ) પ્રાણીને અતિ કિલષ્ટ કર્મના ઉદયને વિષે થાય છે. સ્ત્રીકથા, ભેજનકથા, રાજકથા અને દેશકથા આ ચાર વિકથાને વિવેદીએ વર્જવી જોઈએ. મન, વચન અને કાયા નામના ત્રણ ભેગ કહ્યા છે. અપ્રશસ્ત ( અશુભ) એવા તે કર્મના બંધના હેતુ થાય છે. પાપકર્મના કારણરૂપ આ સર્વને ત્યાગ કરીને ભવ્ય પ્રાણીએ મુક્તિના સુખને આપનારા ધર્મને વિષે બુદ્ધિ કરવી જોઈએ.” આ અવસરે તે કનકશ્રીએ તે મુનિને આ પ્રમાણે પૂછયું કે-“હે પ્રભુ! મારે બંધુજનને વિયેગ અને પિતાનું મરણું કેમ થયું ?ત્યારે કીર્તિધર મુનિએ તે કહ્યું કે-“હે ભદ્રા! જેનાથી તારે બંધુનો વિગ વિગેરે દુખ થયું, તેનું કારણ હવે તું સાંભળ આ ધાતકીખંડ દ્વીપને વિષે પૂર્વ ભરતક્ષેત્રમાં ઘણા ધન અને ધાન્યથી વ્યાસ શંખપુર નામનું નગર છે. તેમાં ઉગે છેદ પામેલા સંતાનવાળી કઈક શ્રીદત્તા નામની દુખી સ્ત્રી હતી, તે બીજાને ઘેર કામ કરવાવડે આજીવિકાને કરતી હતી. ગરીબાઈવડે પીડા પામેલી તે કઈક દિવસે મુનિની પાસે ધર્મચક્રવાલ નામનો તપ સાંભળીને તે તપ કરવા લાગી. તેમાં પ્રથમ બે અઠ્ઠમ તપ કરાય છે. અને સાડત્રીશ ચતુર્થ ભક્ત (ઉપવાસ) કરાય છે. અને શકિત પ્રમાણે ગુરુ અને દેવની પૂજા કરાય છે. તે જાણીને પ્રસન્ન થયેલ સર્વ જને પારણાને દિવસે તેણીને મનહર ભક્ષ્ય અને ભેજ્ય આપતા હતા; કેમકે લોકમાં તપ પૂજાયેલું છે. “આ તપગુણમાં રત છે ” એમ જાણુને કર્મને અંતે મોટા શ્રેણીઓ તેણીને બમણી, ત્રણગણી વૃત્તિ આપવા લાગ્યા અને વસ્ત્રો આપવા લાગ્યા, તેથી તે કાંઈક ધનવાળી થઈ. પછી કેઈક દિવસ પિતાના ઘરની ભીંતનો એક ભાગ પડી ગયે, તેમાંથી તે ધનના સમૂહને પામી. પછી એક દિવસ તેણુએ ત૫નું ઉદાપન કરવાનો પ્રારંભ કર્યો, તેથી વિધિપૂર્વક જિનેશ્વરની પ્રતિમાની પૂજા કરાવી. સાધમિકના સમૂહને ભેજન કરાવ્યું. તે વખતે તેણીના ઘરના આંગણાને વિષે માસના ઉપવાસવાળા તે સુવત નામના શ્રેષ્ઠ સાધુ આવ્યા. મોટા હર્ષવડે પૂર્ણ અંગવાળી તેણીએ તેને પ્રાસુક (અચિત્ત) જન અને પાણી વડે પ્રતિલાભ કર્યો, અને સારા ભાવથી તેને વાંદ્યા. અને ધર્મને પ્રભાવ જેવાથી તેણીએ તેની પાસે ધર્મ પૂછયે. ત્યારે તે બોલ્યા કે “અત્યારે ધર્મદેશના આપવી યોગ્ય નથી. જે ધર્મ સાંભળવાની તારી ઈચ્છા હોય, તો અવસરે હે ભદ્રા! ૧. લોટ-આટે. ૨. કુલ ૪૩ ઉપવાસ અને ૩૯ પારણુ મળીને ૮૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy