SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. વાળું થયું. તેવામાં દમિતારિ પણ સર્વ સૈન્ય સહિત આવ્યે. તથા બખ્તર પહેરીને રથ ઉપર ચડીને અને ઘણાં શો લઈને વિષ્ણુ પણ ઊભું થયું. તે જ પ્રમાણે અપરાજિત પણ થયો. તે વખતે રણસંગ્રામની પૃથ્વી ઉપર મુગટરૂપી કમળ વડે ભયંકર લેહીની નદીઓ વહેવા લાગી, અને કબંધ' નાચવા લાગ્યા. તે વખતે નવા ઉદયના લશથી વિષ્ણુએ દમિતારીએ નાંખેલાં સર્વ શસ્ત્રોને પણ ક્ષણવારમાં જ નાશ કર્યો. પછી સ્મરણ માત્રથી જ પ્રાપ્ત થયેલું અને દિશાઓને દેદીપ્યમાન કરતું ચક્ર રત્ન તેણે મૂર્યું. તે તુંબવડે (હરિની) છાતીને હણને હરિના હાથમાં રહ્યું. તે ચક લઈને વિષ્ણુ બોલ્યો કે- તું રાજ્ય ભગવ, મર મા, હે રાજા! તું કનકશ્રીને પિતા છે, તેથી મેં તને મૂક્યો છે, તે જા.” તે બોલ્યો કે-“મેં મૂકેલું આ ચક્ર જેમ નિષ્ફળ થયું, તેમ તે મૂકેલું પણ તે નિષ્ફળ થશે, એવી મારી મતિ છે. અથવા આ મંડલા2વડે ઘાત કરનારા તે ચક્રને અને તને ખંડન કરીશ.” એમ કહીને તે આકાશમાં દેડ્યો. ખરું અને ખેટક( હાલ)ને ધારણ કરતા અને પિતાની સન્મુખ આવતા તેને અનંતવી મૂકેલા તે ચક્રે તત્કાળ પાડી દીધે (મારી નાંખે). તે વખતે હર્ષથી આ પ્રમાણે બોલતા વ્યંતરોએ આકાશમાંથી પુન સમૂહ અનંતવીર્યની ઉપર મૂકો. “આ વિજથાઈનો પતિ બળવાન વાસુદેવ થયે છે, અને બીજો બલદેવ થયે છે, તેથી આ બને ચિરકાળ સુધી જય પામો.” પછી તે વિદ્યાધરના સુભટેએ પ્રણામ કરીને અનંતવીર્યનો આશ્રય કર્યો. તેણે પણ તે સર્વેનું સન્માન કર્યું. ત્યારપછી અપરાજિત અને અનંતવીર્ય વિદ્યાધરો સહિત મનોહર વિમાન ઉપર ચડીને પિતાના નગર તરફ ચાલ્યા. પછી કનકાચળ(મેરુપર્વત)ને પામેલા તે બન્નેને વિદ્યાધરોએ કહ્યું કે-“અહીં જિન ચે છે. તેને વાંદવા યોગ્ય છે.” ત્યારે ત્યાંથી ઉતરીને તે ચિત્યોને ભક્તિથી વાંદીને ત્યાં તે બન્નેએ કીર્તિધર નામના મુનિને જોયા. વર્ષના ઉપવાસના તપવડે ઉત્પન્ન થયેલા કેવળદર્શન વાળા તે ફષિના ચરણેને મોટા હર્ષથી તે બને એ વાંદ્યા. પૃથ્વીપીઠ ઉપર બેસીને હર્ષથી રોમાંચિત શરીરવાળા તે બન્નેએ આ પ્રકારની તેની વિશુદ્ધ ધર્મદેશના સાંભળી, તે આ પ્રમાણે –“મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને દુષ્ટ ચેગ આ પાંચ દુઃખને આપનારા અને બંધના કારણભૂત છે. અદેવને વિષે જે દેવપણું માનવું, અગુરુને વિષે જે ગુરુપણું માનવું, અને અતત્વને વિષે જે તત્વબુદ્ધિ માનવી, તે મિથ્યાત્વ કહ્યું છે. પાપકર્મને વિષે થોડું પણ વર્જવું નહીં, તેને સર્વ દુઃખના કારણરૂપ અવિરતિને તમે જાણે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર કષાય સંસારવાસના મૂળરૂપ (કારણરૂપ) જિનશાસનમાં કહ્યા છે. કેપ એ ક્ષમાને વિપર્યય (ઊલટ) છે, માન એ અમૃદુતા સંજ્ઞાવાળા છે, માયા એ સરળતાનું અવળા૫ણું છે, અને લેભ એ મુક્તિનો વિપર્યય (અવળો) છે. મદિરા, વિષ, નિદ્રા તથા વિકથા એ કષાય સહિત પાંચ પ્રમાદ કહ્યા છે. તેમાં કાણ ૧. મસ્તક વિનાના શરીરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy