SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રસ્તાવઃ રાજાએ પિતાના પુત્ર અનંતવીર્યને કરેલો રાજ્યાભિષેક. [ ૬૫ ] પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી પિતા સહિત તે જિનપાલિત સાધુ દુષ્કર તપ કરીને પિતાના કાર્યને સાધનાર થયો.” આ કથા કહીને તે ધર્મઘોષ મુનીશ્વર તે અમરદત્ત રાજષિને તે કથાને ઉપનય (તત્વાર્થ) કહેવા લાગ્યા કે-“જે પ્રમાણે તે બે વણિકપુત્રો તે પ્રમાણે સર્વ સંસારી જીવે કહ્યા છે, તથા રત્નદ્વીપની દેવતા જેવી અવિરતિ કહી છે. જેમ આ દેવીને શવને સંચય તેમ અવિરતિથી ઉત્પન્ન થયેલું દુઃખ. જેમ શાળા ઉપર રહેલે મનુષ્યને તેમ હિતને કહેનારા ગુરુ જાણવા. જેમાં તેણે અનુભવેલું તે સ્વરૂપ કહ્યું, તેવી જ રીતે ગુરુ પ્રાણીઓને અવિરતિનું દુઃખ કહે છે. જેમ આ શિલક યક્ષ તારનાર છે, તેમ સંયમ તારનાર છે. સમુદ્રની જે સંસાર આ જીવે અવશ્ય તરવાનો છે. જેમ તેણીને વશ થયેલે જિનરક્ષિત નાશ પામ્યો. તેમ જ અવિરતિને વશ થયેલા પ્રાણી વિનાશ પામે છે. જેમ દેવતાના વચનની આકાંક્ષા રહિત અને યક્ષના આદેશને નહીં ખંડન કરતો આ જિનપાલિત કુશળતાથી પિતાના નગરને પામે, તેમ આ અવિરતિથી વિરામ પામેલે અને ચારિત્રની વિરાધનાને નહીં કરનાર પ્રાણી કર્મ રહિત થઈને નિર્વાણ(મોક્ષ)સુખનું ભાજન થાય છે, તેથી હે મુનિ ! ચારિત્ર અંગીકાર કરીને ફરીથી હવે ભોગને વિષે મન કરવું નહીં.” આ પ્રમાણે ગુરુએ શિક્ષા આપી, ત્યારે તે મુનિ હર્ષ પામે. ત્યાર પછી આ રનમંજરી સાધ્વી પ્રવર્તિનીને સોંપી. તે બન્ને ઉદાર (મોટો) તપ કરીને મોક્ષ પદને પામ્યા. આ પ્રમાણે મિત્રાનંદ અને અમરદત્તની કથા કહેવામાં આવી. આ પ્રમાણે સ્વયંપ્રભ મુનિને અતિ પવિત્ર ધર્મોપદેશ સાંભળીને સ્તિમિતસાગર રાજા પ્રતિબોધ પામે, તેથી તે રાજાએ અનંતવીર્ય પુત્રને રાજાપણાને વિષે અને બીજા પુત્રને કુમારપણુ વિષે સ્થાપન કરીને તે મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે અંત સમયે મન વડે કાંઈક ચારિત્રની વિરાધના કરીને તથા મરણ પામીને અધભુવનને વિષે ચમરેંદ્ર નામનો અસુરાધિપ થયે. હવે આ તરફ પ્રભુતા (રાજાપણાને ) જોગવતા તે અપરાજિત અને અનંતવીર્યને કઈક વિદ્યાધરની સાથે મિત્રી થઈ. તેણે તે બન્નેને આકાશમાં ગમન કરવાને સમર્થ (આકાશગામી) વિદ્યાઓ આપી, અને તેના સાધવાના ઉપાયની સર્વ સામગ્રી નિવેદન કરી (જણાવી). તે બનેને ગીત અને નાટ્યની કળાને જાણનારી બર્બરી અને ચિલાતિ નામની બે દાસીઓ અદભૂત વિનોદનું સ્થાન હતી. એક દિવસ સભામાં બેઠેલા અને રંગ(આનંદ)થી ભરપૂર તે બને ભાઈઓ જેટલામાં તે બે દાસીઓની શ્રેષ્ઠ નાટ્યક્રિયાવડે વ્યાકુળ થયા હતા, તેટલામાં બ્રહ્માચારી, વેચ્છાચારી, કલાપ્રિય અને સમ્યગદર્શનવડે પવિત્ર આત્મવાળા નારદ ઋષિ ત્યાં આવ્યા. તે વખતે વ્યાકુળ થયેલા તે બને તેની સન્મુખ ઊભા થયા ૧ પિતાની ઇચ્છા પ્રમાણે ચાલનાર. ૨ જેને કજિ પ્રિય છે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy