________________
[ ૬૪ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
આ
તમે તમારા જીવિતને ઇચ્છતા હૈા, તેા ક્રીથી આવેા. જો નહીં આવા તા આ ખડ્ગવટે તમારાં મસ્તકને પાડી નાંખીશ. ” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે યક્ષે કહ્યું કે હું ભો! મારા પૃષ્ઠ ઉપર રહેલા તમે કાઇ પણ રીતે આનાથી ભય પામશે! નહીં. પ્રમાણે ધીરજ આપેલા તેઓ સ્થિર ચિત્તવાળા થયા. ત્યારે તેણી આ પ્રમાણે અનુકૂળ વચન મેલી કે–“ હું પ્રિય ! મને દીનને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યા ? ” ઇત્યાદિક દીન વચનેાવર્ડ તેણીએ કહ્યા છતાં પણ યક્ષના અવષ્ટભ( આશ્રય-ટેકા )વડે શાભતા તેમનુ ચિત્ત ચલાયમાન થયુ નહીં, ત્યારે ભેદ કરવામાં ચતુર તેણીએ જિનરક્ષિતને કહ્યું કે “હુ મહાશય ! વિશેષે કરીને તું જ મને પ્રિય છે. જોવું, આલાપ કરવા અને સન્માન વગેરે ક્રિયાનુ સમાનપણું હાવા છતાં પણ પ્રાણીઓના ચિત્તને આહ્લાદ કરનાર પ્રેમ કાઇકને વિષે જ થાય છે. એ પ્રમાણે તમારી સાથે સંગને કરતી મારા સ્નેહ હૈ જિનરક્ષિત ! સદ્ભાવથી તારે વિષે જ નિશ્ચળ છે; તેથી હું કાંત ! તું આવ, અને મને એકાંત રતિનું સુખ આપ. નહી તેા તારા વિયેાગરૂપી રાગથી પીડા પામેલી હું મરી જઇશ. હે નાથ ! નાથરહિત અને મરણ પામતી તું મને વિડે કેમ જોતા નથી ? રાગવાળી સ્ત્રી પાતાના પ્રાર્થેાને આપે છે, એ અર્થમાં શું સંશય છે ? ” ત્યારે તેણીના કપટથી મેાહ પામેલા તે જિનરક્ષિત તે વાત સત્ય છે.” એમ વિચારતા દુર્ગતિની જેવી તેણીની સન્મુખ દૃષ્ટિવડે જોવા લાગ્યા. ત્યારે તે યક્ષે તેને પેાતાના પૃષ્ઠ ઉપરથી ઉછાળીને નીચે નાંખ્યા. પાણીને નહીં પામેલા તેને તેણીએ ત્રિશૂળવડે ગ્રહણ કર્યો, અને “ અરે પાપી ! મને છેતરવાથી ઉત્પન્ન થયેલા ફળને તું જલદી પામ, ” એમ કહીને ખડ્ગવર્ડ તેના કકડા કરીને તેને પાડવો ( મારી નાંખ્યા ). પછી ફૂટ કપટની રચનાને ભજવતી તે નટી ચાટુ( ખુશામત )વડે જિનપાલિતને વિશ્વાસ પમાડવા લાગી. ત્યારે યક્ષે તેને કહ્યુ` કે—“ જો આના વચન ઉપર તને રુચિ થશે, તે અવશ્ય તારા નાના ભાઈની જેવી તારી ગતિ થશે.” ત્યારે તે તેણીના ફ્રૂટને દૂર કરીને તે નિશ્ચળ ચિત્તવાળા થયા, અને કુશળતાથી યક્ષની સાથે પેાતાની ચંપાપુરીએ આજ્યેા. પછી તે વ્યંતરી પાછો વળી. તે યક્ષ પણ પાછા વળ્યો. તે યક્ષને કૃતાર્થ થયેલા શ્રેષ્ઠિપુત્રે ભક્તિથી ખમાભ્યેા. જિનપાલિત પેાતાને ઘેર જઈને પેાતાના લેાકેાને મળ્યે, અને શાકથી વ્યાસ પેાતાના ભાઈનું મરણ તેણે કહ્યું. પછી સ્વજના સહિત માર્કદી અને તે પુત્ર તેના મરણનાં કાર્યો કરીને ગૃહવાસને પાળવા લાગ્યા. પણ એક દિવસ ત્યાં શ્રી વીર જિનેશ્વર સમવસર્યા. તેને વાંઢવા માટે તે માકદી અને જિનપાલિત ગયા. તેની પાસે ધમ સાંભળીને પ્રતિધ પામેલા તે મોટા આશયવાળા વ્રત લેવાના પરિણામવાળા થયા, અને જિનેશ્વરને નમીને પેાતાને ઘેર ગયા. પછી પૌત્રને વિષે કુટુંબના ભાર સ્થાપન કરીને પુત્ર સહિત તે શ્રેષ્ઠીએ મહાવીર જિનેશ્વરની
૧ આ શ્રી શાંતિનાથ ભગવાનના ચરિત્રમાં ભાવિ તી કર શ્રી મહાવીર પ્રભુ પાસે જિનપાલિત દીક્ષા લે છે. આ કથા પા. ૬૧ મા પાનાના પ્રથમ પારેગ્રાફમાં શ્રી ધધોષસૂરિ જ્ઞાની હાવાથી “સિદ્ધાંતમાં કહેલી તેની ભાવિ કથા કહે છે” એમ ગ્રંથકર્તા સરમહારાજ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org