________________
ત્રીજો પ્રસ્તાવ–સંકટમાં આવી પડેલ અને ભાઇઓને યક્ષનુ સૂચન
[ ૬૩ ]
પ્રમાણે વિચારવા લાગ્યા કે દક્ષિણ દિશાના વનમાં જતા આપણુને તેણીએ વારંવાર કેમ નિવાર્યો એમ વિચારીને શંકાવાળા તેઓ જેટલામાં ત્યાં જવા લાગ્યા તેટલામાં તેમના નાકને વિષે, અત્યંત દુસંહ ગધ પેઠા. ત્યારે ઉત્તરીય વસવર્ડ નાસિકાના રંધ્રને ઢાંકીને તે બન્નેએ તે વનમાં મનુષ્યેાના કલેવરોના સમૂહ જોયા. ભય પામેલા તે વિશેષે કરીને આ વનને જોવા લાગ્યા ત્યારે શૂલિકા ઉપર રહેલા એક માણસને તેમણે જોયા. જીવતા અને વિલાપ કરતા તેને જોઈને તેઓએ પૂછ્યું કે–“ હે ભદ્ર ! તું કાણુ છે? તારી અવસ્થા આવી કેમ છે? અને આ મડદા કાના છે ? ” તે પણ ખેલ્યે કે—“ હું કાદી નગરીમાં રહેનારા વણિક છુ. વેપારવડે આવતા મારું વહાણ સમુદ્રમાં ભાંગી ગયુ. તેથી અહીં આવ્યેા. રત્નદ્વીપ દેવીએ મારી અભિલાષા કરી. કાઇક દિવસ ઘેાડા અપરાધમાં પણ તેણીએ મને આવી રીતે હણ્યા. આ પ્રક્રિયાવડે તેણીએ આ પ્રમાણે આ શખા કર્યા છે તેથી તમે ક્યાંથી આવ્યા છે ? અને આ દૈવીને ઘેર તમે કયાંથી આવ્યા ? ” ત્યારે તેઓએ પેાતાની વાત જણાવીને તેને કહ્યું કે હે ભદ્રે ! આ પ્રમાણે છે તેા પછી અમારા કાઇ પણ જીવવાના ઉપાય છે ? ” તે એલ્યેા કે—“ હે ભદ્રો ! પૂર્વ દિશાના વનમાં શૈલક નામના યક્ષ છે. તે પત્ર દિવસને વિષે અશ્વનું રૂપ ધારણ કરીને આ પ્રમાણે ખાલે છે, કે“ યા માણસનું રક્ષણ કરું ? અથવા કાને વિપદાથી તારું ? ” તેથી તે યક્ષરાજ પાસે જઇને તમે ભક્તિથી તેની આરાધના કરા. પછી જ્યારે ઉદ્ઘાષણા થાય ત્યારે “ અમારું રક્ષણુ કર એમ તમારે ખેલવું. ” આ પ્રમાણે તેને શિક્ષા આપીને તે પુરુષ સ્થિર રહ્યો. પછી તેઓએ ત્યાં જઈને પુષ્પાવર્ડ તે યક્ષની પૂજા કરી. અને તેનાવડે કહેવાયેલા તેએ “ અમને જલદી તારા ” એમ મેલ્યા. ત્યારે શૈલક ખેલ્યા કે “ તમને હું તારીશ, પરંતુ સાવધાન થઈને તમે મારું એક વાક્ય સાંભળેા. જતા એવા તમારી પાછળ તે દેવતા આવશે. તથા અનુરાગ સહિત અને કામના સહિત વચનાને પણ મેલશે. તેથી જો તમે તેણીને વિષે અનુરાગ કરશે, તેા હું તમને ઉછાળીને સમુદ્રમાં નાંખીશ. અથવા તેા તમે જો તેણીને વિષે અપેક્ષા રહિત થશેા, તેા હું ફ્રેમવર્ડ તમને ચંપા નગરીમાં અવશ્ય પહોંચાડીશ. ઘણું શું કહેવું ?~~
દ્રષ્ટિવર્ડ પણ તેણીનું સન્માન કોઇ પણ પ્રકારે ન કરવું. તે ફ્રુટ રીતે ભય દેખાડે, તે પણ તમારે ભય પામવેા નહીં. હું ભદ્રો ! આ અવસ્થાવડે જો તમે નિર્વાહ કરવાને શક્તિમાન હા, તેા મારા પૃષ્ઠ ઉપર ચડા, કે જેથી તમને શીઘ્ર લઇ જાઉં. ” ત્યારે તેના વચનને અંગીકાર કરીને તે મને તેના પૃષ્ઠ ઉપર ચડ્યા. તે પણ આકાશમાં ઊડીને સમુદ્રની મધ્યે ગયા. આ અવસરે તે દેવી પાતાના ઘરમાં તેમને નહીં જોવાથી વનખંડને વિષે ફરવા લાગી. ત્યાં પણ તેમને જોયા નહીં. પછી જ્ઞાનના ઉપયેગŠ તે અન્નેનુ' તે ગમન જાણીને કાપમાં તત્પર થયેલી તે ખડ્ગ લઇને તેમની પાછળ ફ્રૉડી. તેમને જોઈને તે આ પ્રમાણે મેલી કે—“ અરે ! મને મૂકીને તમે કેમ જાઓ છે ? જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org