SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - [ ૬૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. અને મને બાલ્યાવસ્થાથી આરંભીને પણ બંધુનો વિયેગ કેમ થયો? તથા અમારો અત્યંત અધિક નેહ કેમ ? તે હે ભગવાન! તમે કહે.” આ પ્રમાણે પૂછેલા તે મુનીશ્વર જ્ઞાનવડે જાને બેલ્યા કે– “હે રાજા ! આ ભવની પહેલાના ત્રીજા ભવે તું ક્ષેમકર નામનો કોટુંબિક હતા, તેને સત્યશ્રી નામની ભાર્યા હતી. તેઓને ચંડસેન નામને કર્મકર(નેકર) હતો. તે કર્મ કરવામાં નિપુણ, તે બન્નેને ભક્ત, અનુરાગી અને વિનયસહિત હતું. એક દિવસ તેના ક્ષેત્રમાં કામ કરતા તેણે બીજાના ક્ષેત્રમાં ધાન્યની શંબા(ડુંડી)ને ગ્રહણ કરતા કેઈક મુસાફરને જોયો. અને તે બોલ્યો કે-“અહો ! આ ચારને વૃક્ષ ઉપર લટકાવ.” એમ કહ્યું તો પણ તે ક્ષેત્રના સ્વામીએ તેને કાંઈ પણ કર્યું નહીં, અને તેના વચનવડે તે મુસાફર દુભાય. કર્મ કરે પણ ક્રોધની ચેષ્ટાવડે દુર્વાકયથી ઉત્પન્ન થયેલ તે કર્મ બાંધ્યું. પછી એક વખત તે સત્યશ્રીની પુત્રવધૂ ઘરને વિષે ઉતાવળથી ખાતી હતી, ત્યારે કોઈપણ રીતે તેણીના ગળામાં એક કવલ(કેળીઓ) એંટી ગયો. ત્યારે સત્યશ્રીએ તેને કહ્યું કે હે પાપી ! નિશાચરી(રાક્ષસી)! નાના કવલવડે તું કેમ ખાતી નથી ? કે જેથી તે ગળામાં લાગે નહીં.” પછી કોઈ દિવસ તે કર્મ કરને સ્વામીએ કહ્યું કે-“હે કમકર ! આજે આ કારણવડે તું અમુક ગામને વિષે જા.” તે બોલ્યો કે “આજે હું મારા બંધુઓને મળવાથી વ્યાકુળ છું.” ત્યારે કોપ પામેલા તેણે કહ્યું કે-“ સ્વજને તને ન મળો.” આ અવસરે તેને ઘેર બે મુનિ આવ્યા. ત્યારે તેણે પિતાની ભાયને એમ કહ્યું કે-“આ મુનિને તું દાન આપ.” ત્યારે તેણીએ “આ સુપાત્ર છે.” એમ હર્ષથી અકૃત અને અકારિત તથા પ્રાસુક ભક્ત પાનાદિવડે તેને પ્રતિલાભ આપે. કર્મ કરે પણ વિચાર્યું કે-“આ બને ધન્ય છે, કે જેમણે ઉચિત સમયે પોતાને ઘેર આવેલા બે મહામુનિને ભક્તિથી પ્રતિલાભ આપે.” આ અવસરે તે ત્રણેની ઉપર ક્ષણવારમાં વીજળી પડી, તેથી તેઓ એક સાથે જ મરણ પામ્યા અને સૌધર્મ દેવલોકમાં પ્રીતિવડે ભરપૂર તેઓ દેવપણાને પામ્યા. ત્યારપછી ક્ષેમકર રાવને હે રાજા! તું થયો છે. સત્યશ્રીને જીવ તે આ રત્નમંજરી થઈ છે, અને કર્મકરનો જીવ તારો મિત્ર મિત્રાનંદ થયો છે. હે રાજા! જેણે પૂર્વ જન્મમાં વચનવડે જે દુષ્કર્મ બાંધ્યું હોય, તે તેનું કામ આ જન્મમાં તમને પ્રાપ્ત થયું છે. તેથી કરીને હે રાજા ! પૂર્વભવે હસતા હસતા પ્રાણીઓ વડે જે કર્મ બંધાય છે, તે કર્મ આ ભવમાં રુદન કરતા પ્રાણીઓથી અવશ્ય વેદાય છે.” તે સાંભલીને રાજા પ્રિયાસહિત મૂછ પામ્યો, અને જાતિસ્મરણ થવાથી તે પૂર્વે કરેલું સર્વે જાયું. અને તે બોલ્યો કે–“હે પ્રભુ! જ્ઞાનવડે સૂર્ય સમાન તમે જે કહ્યું, તે હમણાં પણ જાતિસ્મરણવડે મને પ્રત્યક્ષ થયું છે, તેથી આ અવસ્થાને વિષે જે ધમની યોગ્યતા હોય, તે ધર્મ કૃપા કરીને તમે મને કહે.” ત્યારે ગુરુ બેલ્યા કે-“હે રાજા! તારે પુત્ર થયા પછી પ્રવજ્યા થશે. હમણું ગૃહીધર્મ તારે ચગ્ય છે.” ત્યારે વિવેકી અમરદત્તરાજાએ પોતાની પ્રિયા સહિત બાર પ્રકારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy