SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રસ્તાવ-શ્રી ધમધેવરિએ કહેલ મિત્રાનંદન વૃત્તાંત. [ ૫૯ ] વખતે નગરીના નિર્ધમન(ગટર)વડે અંદર પેઠો. પરંતુ તે કાળે તે નગરી તસ્કરથી ઉપદ્રવ પામેલી હતી, તેથી રાજાએ ચોરને નિગ્રહ કરવા માટે આરક્ષકને વિશેષે કરીને જોડ્યો હતો. પ્રવેશ કરતા તે મિત્રાનંદને તેણે ચોરની જેમ જે, અને વિધાતાના વિપરીતાણાના વશથી મયૂરબંધવડે તેને બાંગે. અને યષ્ટિ, મુષ્ટિ વગેરેના ઘાતવડે તેને અત્યંત મારીને તે આરક્ષકે તેને વધ કરવા માટે પિતાના મનુબેને સેં. અને–“સિપ્રા નદીને કાંઠે મોટા વટવૃક્ષ ઉપર ઊંચે બાંધીને તમારે આને વધ કરે.” એમ તેઓને આજ્ઞા આપી. ત્યારે તેઓ વડે લઈ જવાતે તે આ પ્રમાણે મનમાં વિચારવા લાગ્યો કે-“પહેલાં શવે જે કહ્યું હતું, તે વચન સત્ય થયું. આ પ્રાણ જ્યાં ત્યાં ભલે જાઓ, અને જેમ તેમ કાર્ય કરે, તે પણ પૂર્વે કરેલાં કર્મથી તે મૂકાતું નથી. વૈભવ અને નિર્ધનતા, તથા બંધન અને મરણ જે પ્રાણીને જે ઠેકાણે જે વખતે પામવાનું છે, તેને તે ઠેકાણે તે વખતે થાય જ છે. ભયથી વ્યાપ્ત થયેલે આ જીવ કષ્ટના સ્થાનથી દૂર જાય છે, તે પણ મોટા કર્મવડે મારી જેમ તે જ સ્થાને લવાય છે. તેથી હે જીવ! જે તું પરલોકમાં પણ પિતાના સુખના લેશને ઇરછતે હોય, તો આ વધ કરનારા ઉપર પણ તું કેપીશ નહીં.” આ પ્રમાણે વિચારતા તેને અપરાધ રહિત છતાં પણ, અહા ! તે આરક્ષકના પુરુષોએ ત્યાં લઈ જઈને વટવૃક્ષ ઉપર બાંધે. પછી એક દિવસ ક્રીડા કરતા ગોપાળની ઉન્નતિકા(મેઈ) ઊડીને દૈવયેગથી પૂર્વની જેમ તેના પણ મુખમાં પેઠી.” આ પ્રમાણે સૂરિના મુખેથી સાંભળીને અમરદર રાજા તે મિત્રના ગુણના સમૂહને સંભારી સંભારીને આ પ્રમાણે વારંવાર વિલાપ કરવા લાગ્યો કે-“હા! નિર્મળ અંત:કરણવાળા મિત્ર! હા! પરોપકારમાં આસક્ત! હા! પ્રશંસા કરવા લાયક ગુણના સમૂહવાળા ! હા! ભાઈ! હા! તું કયાં ગયો છે?” તથા રાણી પણ આ પ્રમાણે વિલાપ કરવા લાગી કે-“હા! દિયર ! હા! મિત્રને વહાલા! સારા વિચારવાળા ! ગુણના આધાર ! અને વિકારરહિત ! તું કયાં રહે છે? જ્યારે તે મને આણી, ત્યારે તે અનેક ઉપાયે કર્યા હતાં, તે ઉપાય હા! મહાબુદ્ધિમાન ! પિતાની વિપત્તિ વખતે ક્યાં ગયા ?” આ પ્રમાણે પ્રિયા સહિત વિલાપ કરતા રાજાને ગુરુએ એમ કહ્યું કે-“હે રાજેદ્ર! તું શક ન કર, સંસારના ભાવને વિચાર કર. આ ચાર ગતિવાળા સંસારને વિષે પરમાર્થથી પ્રાણને સુખ છે જ નહીં, પરંતુ નિરંતર દુઃખ જ છે. સંસારમાં એવું કઈ પણ પ્રાણી નથી, કે જે મૃત્યુવડે પીડા પામ્યો ન હોય. આ સિદ્ધમાર્ગને જાણીને કે બુદ્ધિમાન શેક કરે ? હે રાજા! શેકના આવેશને ત્યાગ કરીને ધર્મને વિશે ઉદ્યમ કર, કે જે ધર્મથી આવાં દુઃખનુંભાજન (સ્થાન) તું ન થાય.” રાજા બા કે-“હું ધર્મ કરીશ, પરંતુ હે મુનીશ્વર ! આ મિત્રાનંદને જીવ ક્યાં ઉત્પન્ન થયે? તે મને કહે.” સૂરિ બોલ્યા કે–“તે જીવ આ તારી દેવીની કુક્ષિમાં પુત્રપણે આવ્યો છે, કેમકે તેણે તે વખતે તેવી ભાવના ભાવી હતી. જન્મેલ તે તારો કમલગુસ નામને સારા પરાક્રમવાળે પુત્ર પ્રથમ કુમારપણાને પામીને અનુક્રમે રાજા થશે.” ફરીથી રાજાએ પૂછયું કે-“અપરાધ રહિત પણ તે મહાત્માને આ પ્રમાણે તરકરની જેમ મરણ કેમ થયું? તથા હે પ્રભુ! આ દેવીને કલંકને સંભવ કેમ થયે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy