________________
-
[ ૧૮ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
પૂછયું ત્યારે “સાસુના દુષ્ટ વચનથી ભય પામેલા અંગવાળી આને મેં ગ્રહણ કરી.” એમ તે બેલી. પછી તે વધુ રોગરહિત થઈ, અને વિનાશ કરનારી તે શક્તિને તે યેગીનાં વચનથી રાજાએ નગરમાંથી કાઢી મૂકી. કુરુમતીને પણ લોકોએ કાળજહુવા એવા નામે કહી. ત્યાર પછી તેણીએ ભાવથી સાથ્વીની પાસે વ્રત(ચારિત્ર) ગ્રહણ કર્યું. તે વિશુદ્ધ વ્રત પાળીને મરીને દેવલેકમાં ગઈ. ત્યાંથી ચવીને તે આ હે શ્રેણી તારી પુત્રી થઈ છે. જેથી કરીને આ આકાશદેવતાના દેષથી દૂષણવાળી થઈ છે. તે કન્યાને તું અહીં લાવ, કે જેથી મારુ વચન સાંભળીને તે જાતિસ્મરણવડે પૂર્વભવને જુએ. એ ઉપદ્રવથી તત્કાળ તે મુક્ત થાય” એમ સૂરિએ કહ્યું ત્યારે શ્રેષ્ઠી તત્કાળ તેણીને તેનાં ચરણ પાસે લાવ્યું. સૂરિના પ્રભાવથી તે આકાશગામિની વિદ્યા ક્ષણવારમાં નાશી ગઈ, અને તે પુત્રી પિતાનું ચરિત્ર સાંભળીને જાતિસમરણ પામી. બાદ બોલી કે-“હે પ્રભુ! તમે જે કહ્યું તે સત્ય છે, તેથી સંસારમાં વસવાથી મારે સયું, મને પ્રવજ્યા આપે” ગુરુ બેલ્યા કે-“હમણા તારું ભેગનું ફળવાળું કમ છે. તે જોગવ્યા પછી હું શુભ આશયવાળી ! તું સાધ્વી થઈશ.” પછી “એમ હ.” એ પ્રમાણે તે અંગીકાર કરીને તે શ્રેષ્ઠી પિતાને ઘેર ગયે. તે જોઈને વિસ્મય પામેલા તે રાજાએ વિચાર્યું, કે-“આ પૃથ્વીતળ ઉપર આ ભગવાનનું જ્ઞાન અતિ અદ્ભુત છે, કે જેણે પૂર્વ ભવમાં જે થયું તે પ્રત્યક્ષ હોય તેમ કહ્યું.” પછી તેણે પૂછ્યું કે–“હે પ્રભુ! તમે મારા ઉપર મોટે પ્રસાદ કરીને મને પણ મારા મિત્ર મિત્રાનંદની કથા કહો.” ગુરુએ કહ્યું કે-“હે મોટા રાજા ! તારી પાસેથી ચાલેલો તે અનુક્રમ જળદુર્ગને ઓળંગીને સ્થળદુર્ગમાં ગયે. ત્યાં એક પર્વતની નદીના પ્રવાહમાં તે રહ્યો, તે વખતે તે તારા સર્વે સેવકે ભેજન કરવા બેઠા. તેટલામાં દેવના દુર્યોગથી કઈ પલ્લીના મધ્યથી આવેલી મિલેની ધાડ અકસ્માત્ આવી પડી. તે પ્રચંડ ભિલેએ સર્વે પત્તિઓને પરાજય કર્યો. અને તે મિત્રાનંદ એકલો કોઈક દિશામાં નાશી ગ. લજજાવડે પોતાનું મુખ દેખાડવાને અસમર્થ તે પદાતિઓ કેઈક ક્યાંક જતા રહ્યા. તારી પાસે કઈ પણ આવ્યા નહીં. પછી અરણ્યમાં જતા મિત્રાનંદે એક સરોવર દીઠું. ત્યાં પાણી પીને ન્યોધ(વટ) વૃક્ષની નીચે સૂતો. ત્યારે વટના કોટર(છિદ્ર)માંથી નીકળીને એક કૃષ્ણસર્પ તેને ડર્યો, અને તેને ત્યાં આવેલા એક તપસ્વીએ જે. ત્યારે ચિત્તમાં કરુણાને પામેલા તેણે વિદ્યાવડે મંત્રેલાં જળને તેના સર્વ અંગમાં છાંટીને તેને જીવાડ્યો. અને આ પ્રમાણે પૂછયું કે-“હે ભદ્ર ! તું એકલો કયાં ચાલ્યો છે?” ત્યારે તેણે પણ પોતાની સત્ય વાર્તા કહી. તે તાપસ પિતાને સ્થાને ગયે. મિત્રાનંદે પણ વિચાર્યું કે– “હા! સુખેથી પ્રાપ્ત થયેલું પણ મરણ હું પામ્યો નહીં. તથા હું મારા કદાહને લીધે મિત્રના સંગમથી પણ ભ્રષ્ટ થયે. અથવા તે હજુ પણ તેની પાસે હું જાઉં. આ ચિંતાવડે શું છે?” પછી તે માર્ગમાં પાછો વળ્યો. તસ્કરોએ ફરીથી તેને પકડ્યો, અને પિતાની પલીમાં લઈ જઈને તેઓએ એક વણિકને વેચાતો આપો. તે વણિક પણ પારસી નામના દેશમાં જવાની ઈચ્છાથી એક દિવસ ઉજજયિનીપુરીમાં આવ્યું, અને તેની બહાર રહો. ત્યાં રાત્રિને વિષે કોઈ પણ પ્રકારે બંધન રહિત થયેલ તે મિત્રાનંદ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org