________________
ત્રીજો પ્રસ્તાવ-ધર્મઘોષસૂરિએ કહેલ અશકશ્રીને પૂર્વભવ.
[૫૭] .
ત્યારે રાજાએ તેને વિદાય કર્યો, અને તેની સાથે આ પ્રમાણે શિક્ષા આપીને પુરુષને મોકલ્યા. “ ત્યાં ગયેલા તમારા મધ્યેથી કઈ પુરુષએ આવી કુશળ વાર્તા કહેવા માટે અહીં આવવું.” પછી તે મિત્ર ગયો ત્યારે તેના વિયેગથી પીડા પામ્યા છતાં પણ તે રાજા દેવીની સાથે પુણ્યથી પ્રાપ્ત થયેલી રાજલક્ષમીને ભેગવવા લાગ્યું. તે માણસોમાંથી કઈ પણ આવ્યું નહીં, ત્યારે રાજાએ તેની શુદ્ધિ જાણવાને માટે બીજા માણસોને મોક
લ્યા. તે પુરુષોએ પાછા આવીને રાજાને આ પ્રમાણે કહ્યું કે– ત્યાં અમે તેને જે નથી, અને તેની વાર્તા પણ સાંભળી નથી.” ત્યારે ચિત્તમાં ભ્રાંતિ પામેલા રાજાએ દેવીને કહ્યું કે–“હે પ્રિયા ! હવે મારે શું કરવું? કે જેથી અરે ! મેં મિત્રની વાર્તા પણ સાંભળી નથી.” ત્યારે તે બોલી કે-“હે પ્રાણનાથ ! અહીં જે કંઈ પણ જ્ઞાની આવે, તે તે આ સંદેહને છેદે. બીજે કઈ છેડી શકે નહીં.” આ અવસરે રાજાને ઉદ્યાનપાળે આ પ્રમાણે વિનંતિ કરી કે–“હે દેવ! તમારા નગરમાં ધર્મઘોષ નામના સૂરિ આવ્યા છે. અને અશોકતિલક નામના ઉદ્યાનમાં પ્રાસુક( અચિત્ત) થંડિલમાં (ભૂમિ ઉપર ) રહ્યા છે. તે ચાર જ્ઞાનને ધારણ કરનારા છે, અને લોકોને ધર્મને ઉપદેશ આપે છે.” તેનું યોગ્ય સમયે આગમન સાંભળીને ભક્તિમાં તત્પર તે રાજા પ્રિયા સહિત તેને વંદન કરવા માટે સામગ્રી સહિત ગયે. પછી ખર્ચ વિગેરે રાજાનાં ચિહ્નોને છોડીને ગુરુની પાસે ગયે, અને પરિવાર સહિત તે ગુરુને નમીને મેગ્ય સ્થાને બેઠે, ત્યારે ગુરુ બેલ્યા કે “હે લેકે ! સ્વર્ગ અને મોક્ષ વિગેરેના સુખને ઈચ્છનારા મનુષ્યોએ દુષ્ટ આઠ કર્મનો નાશ કરનાર આ ધર્મ જ કરવા લાયક છે.” આ અવસરે અશોકદર નામના શ્રેષ્ઠી વણિકે આ પ્રમાણે પૂછયું કે-“હે ભગવાન! મારી અશોક શ્રી નામની પુત્રી ક્યા કર્મ વડે સર્વ અંગોને વિષે અત્યંત વેદનાએ કરીને વ્યાપ્ત થઈ છે? તેની ઘણી ચિકિત્સા કરી, પરંતુ રોગની શાંતિ થઈ નથી. ” સૂરિ બોલ્યા કે “તે પૂર્વભવે ભૂતશાલ નગરમાં ભૂતદેવ નામના શ્રેણીની કરૂમતી નામની પ્રિયા હતી. એક દિવસ તેને ઘેર બિલાડીએ દૂધ પીધું ત્યારે ગાઢ(મોટા) કોપના વશથી તેણીએ દેવમતી નામની પુત્રવધૂને આ પ્રમાણે કહ્યું, કે–“શું તું શાકિનીવડે ગ્રહણ કરાઈ છે? કે જેથી તે દૂધનું રક્ષણ કર્યું નહીં?” ત્યારે તે પણ તેના વચનથી ભય પામી અને શરીરે મોટા કંપવાળી થઈ. તે વખતે શાકિનીના મંત્રવડે યુક્ત પિતાનું કામ કરનારી દુષ્ટ માતંગીએ તે છળ(મિષ) પામીને તરત જ તેણીને(વહુને) વળગી–ગ્રહણ કરી. ત્યારે તે વેદનાથી વ્યાપ્ત થયેલી તેની વૈદ્યો પાસે ચિકિત્સા કરાવી તે પણ તેને દોષ શાંત થયો નહીં તેવામાં ત્યાં કોઈ યોગી આવ્યું. તેણે મંત્રને ઉચાર આરંભ કર્યો, અને અગ્નિને વિષે યંત્રને તાડન કર્યું ત્યારે વેદનાથી પીડાયેલી અને છૂટા કેશવાળી તે માતંગી ત્યાં આવી. ત્યારે “તેં આને ક્યાં ગ્રહણ કરી ?” એમ તે ગીએ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org