SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. "" જ્યાં તે કુમાર હતા ત્યાં આવ્યા. અને તરત જ અવે હૈષારવ કર્યાં, હાથીએ ગુલગુલ શબ્દ કર્યાં, તથા છત્ર તેના ઉપર પેાતાની મેળે જ રહ્યું, એ ચામરો વીંઝાયા તથા કળશે તેને રાજાપણાના અભિષેક કર્યો. પુણ્યવર્ડ થ્રુ ન થાય ? પછી સુવર્ડ ઉપાડીને તેને પેાતાના સ્કંધ ઉપર બેસાડ્યો. ત્યારે થયેલા અનેક મગળવાળે તે નગરમાં પેઠા. પછી નગરપ્રવેશને વિષે શ્રીએના સમૂહ એકઠા થયા. અને રાજા તથા રાણીનું તે સ્વરૂપ જોઈને પરસ્પર આ પ્રમાણે ખેલવા લાગ્યા. તેમાં કાઈક સ્રી ખેતી કે—“ હું સખી ! કામદેવના જેવી વિશ્વજનને શ્લાઘા કરવા લાયક અને ઉત્તમ આ રાજાની સૌંપદાને જો ” બીજી માલી કે હે મુગ્ધા ! પ્રગટરૂપે તુ બીજી' કેમ વર્ણન કરે છે? કેમકે ત્રણ ભુવનને વિષે પણ આ દેવીના સમાન રૂપવાળી કેઈપણુ સ્રી નથી. ” બીજી ખેલી કે જેથી કરીને આ દેવીનું રૂપ ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ છે, તેથી કરીને તેના પ્રતિચ્છદવડે આ રાજા માહ પામ્યા હતા. ” બીજી ખેલી કે–“ હું સખી ! આ દેવી પૃથ્વીતળ ઉપર પુણ્યશાળી છે, કે જેણીએ સજનામાં શ્રેષ્ઠ આવા પ્રકારના પતિ પ્રાપ્ત કર્યાં છે.” બીજીએ કહ્યું કે આ રાજા પણ ધન્ય છે, કે જેણે પરદેશમાં ગયા છતાં પણ કૃષ્ણે લક્ષ્મીની જેમ આવી પ્રિયા પ્રાપ્ત કરી. ” શ્રીજી આ પ્રમાણે એલી કે-“ જેણે મોટા ઉદ્યમ કરીને આ મૃગના સરખા લેાચનવાળીને આણી છે, તે આનેા ભાગ્યવાન મિત્ર શ્લાઘા કરવા લાયક છે. વળી બીજી ખેલી કે—“ આ શ્રેષ્ઠીને તુ કેમ અત્યંત વખાણતી નથી ? કે જેણે અજાણ્યા પણ આનુ પુત્રની જેમ પાલન કર્યું, ” આ પ્રમાણે નગરની સ્ત્રીઓના આલાપને સાંભળવાથી પ્રસન્ન મનવાળા આ અમરદત્ત રાજગૃહના દ્વારે ગયે. ત્યાં હાથીથકી નીચે ઉતરીને સભામંડપમાં તે પેઠા, અને ત્યાં જ રાજાએના સમૂહવટે સેવાયેલા તે બેઠા. તે રત્નમજરી દૈવી તથા મિત્રાનઢ મિત્ર રાજાની પાસે બેઠા. તથા બીજા સર્વે ચેાગ્ય સ્થાને બેઠા. ત્યાં સામતાએ અને મત્રીઓએ તેને રાજ્યાભિષેક કર્યો, અને રાજાએ તે રત્નમજરીને પટરાણી કરી. તથા મહાબુદ્ધિમાન મિત્રાનન્દને સર્વના અધિકારી કર્યાં, અને રત્નસાર શ્રેષ્ઠ વણિકને પિતાને સ્થાને સ્થાપન કર્યા. આ પ્રમાણે તેઓનુ ચિત કાર્ય કરીને કૃતજ્ઞના શિરામણુ( મુગટ ) સમાન અને અખંડ શાસનવાળા તે રાજા રાજ્યનું પાલન કરવા લાગ્યા. આ પ્રમાણે રાજ્યના કાર્યમાં આસક્ત થયેલા પણ મિત્રાન ંદ શવે કહેલું તે મૃત્યુને સૂચન કરનારું વચન કદાપિ વિસરતા( ભૂલતા ) નથી. પછી એક વખત તેણે રાજાને તે કારણ જણાવ્યું અને ફરીથી પેાતાને દેશાંતરમાં જવાની પ્રાર્થના કરી. ત્યારે રાજાએ તેને પણ જવાબ આપ્યા કે હૈ મિત્ર ! તુ ભય ન પામ. તે દુષ્ટ વ્યંતર પણ અહીં રહેલા આપણને શું કરશે ? ” મિત્રાનંદ એન્શ્યા કે—“ હે રાજા ! નજીકપણાને લીધે હજી પણ મારું મન દુભાય છે, તેથી મને દૂર મોકલ. ” ફરીથી રાજાએ વિચારીને કહ્યું કે હું મિત્ર ! જો એમ હાય, તા વિશ્વાસુ ઢાકાની સાથે તુ વસંતપુર નગરમાં જા. ” તેને આદેશ તેણે અંગીકાર કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy