________________
ત્રીજો પ્રસ્તાવ : અમરદતને રાજ્ય પ્રાપ્તિ.
[ ૫૫ ]
કહ્યું કે-“હે સુંદર ! તું પણ આ વડવા ઉપર ચડ, કેમકે છતે વાહને પગવડે ચાલવાથી શું?” ત્યારે “એક ક્ષણવાર હું પગવડે ચાલીશ.” એમ તે બોલ્યા. પછી સીમાડાને પાપે ત્યારે ફરીથી તેણીએ તે માટે (બેસવા માટે) અત્યંત પ્રાર્થના કરી. ત્યારે તે મિત્રાનંદ બે કે-“હે સુબ્રુ! મેં મારે માટે તને આણી નથી, પરંતુ મારા મિત્ર અમરદત્તને માટે આણી છે.” પછી મિત્રને વૃત્તાંત તેણીને કહીને નિવેદન કર્યું કે“તારી સાથે મારે એક સ્થાને શયન કે આસન કરવું યોગ્ય નથી.” તે સાંભળીને મનમાં વિસ્મય પામેલી તે રાજપુત્રીએ વિચાર્યું કે “અહો ! આ મહાપુરુષનું ચરિત્ર ભુવનેત્તર છે. જેને માટે પુરુષો પિતા, માતા, મિત્ર અને ભાઈને છેતરે છે, તે સ્ત્રી હું પ્રાપ્ત થયા છતાં પણ જે પુરુષે મારી ઈચ્છા કરી નહીં. સ્વાર્થને સિદ્ધ કરવામાં તત્પર થયેલ સર્વ માણસ પણ કલેશને સહન કરે છે. અને પરને અર્થ સાધવામાં કંઈક વિરલે મનુષ્ય જ તે કલેશને અંગીકાર કરે છે.” આ પ્રમાણે મનમાં વિચારતી તે સ્ત્રીરત્ન રત્નમંજરીને તે મિત્રાનંદ ધીમે ધીમે પાટલીપુત્ર નગરની પાસે લઈ ગયા. '
હવે અહીં તે અમરદને બે માસની અવધિ પૂર્ણ થયા છતાં પણ મિત્રાનંદ આવ્યું નહીં ત્યારે રત્નસાર શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું, કે-“હે તાત ! મારો મિત્ર આવ્યું નથી, તેથી કાષ્ટની ચિતા કરાવે છે જેથી તેના દુઃખથી બળેલો હું અગ્નિમાં પ્રવેશ કરું.” તે સાંભળીને અધિક દુઃખથી પીડાયેલા તે શ્રેષ્ઠીએ પુરના લકે સહિત આઠંદ કરીને તેના અતિ આગ્રહવડે ચિતા રચાવી. પછી અગ્નિની પાસે રહેલા સર્વે નગરના જનોએ તેને કહ્યું કે-“હે ભદ્ર! હજુ(આજે) પણ રાહ જે, કેમકે આજે અવધિને (છેલ્લો) દિવસ છે.” આ પ્રમાણે લોકેએ મરણને નિષેધ કરવાથી તે અશુ મુખવાળો થયે, ત્યારે પાછલા ભાગમાં તેણની સાથે મિત્રાનંદ ત્યાં આવ્યું. તેને આવતે જોઈને અમરદત્ત સંજમ સહિત ઉઠીને અશ્રુના જળવડે મુખકમળને ધોઈને તેને આલિંગન કર્યું. મળેલા તે મિત્રને તે વખતે જે સુખ થયું, તેને જાણનારા તેઓ જ છે. બીજે કઈ તે કહેવાને પણ સમર્થ નથી. મિત્રાનંદે કહ્યું-“હે મિત્ર! મેં કણની પરંપરા અંગીકાર કરીને તારા ચિત્તને ચોરનારી અને આણુ છે.બીજે (અમરદત્ત) બોલ્યો કે-“હે બંધુ! મારે માટે તું હંમેશાં સત્ય નામવાળા જ છે. અને આ કાર્ય સાધવાથી વિશેષ કરીને સત્ય નામવાળો થયે છે.” પછી ચિતાના કાષ્ઠ દૂર કરાવીને તે સ્થાને અગ્નિની સાક્ષીએ મિત્રાનંદે તે બન્નેને પાણિગ્રહણ કરાવ્યું. રનમંજરીનું રૂપ જોઈને નગરના લેકનો સમૂહ બોલ્યો કે“આ અમરદત્ત આના પ્રતિઈદવડે મોહ પામ્યો, તે કાંઈ આશ્ચર્ય નથી.” કરેલા વિવાહવાળા ને ભાગ્યવાળા અમરદત્તને ત્યાં જે થયું, તે હવે કહેવાય છે. તે જ નગરમાં પુત્ર રહિત રાજા મરણ પામે, તેથી રાજલકે દિવ્યની અધિવાસના(તૈયારી ) કરી. તે દિ આખા નગરમાં ત્રિક, ચતુષ્ક વિગેરે સ્થાનોમાં ભમીને
૧. ભુવનમાં શ્રેષ્ઠ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org