SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. કે-“હે ભદ્ર! શું સાહસવડે જ તે તે મડદાનું રક્ષણ કર્યું ? કે તારી પાસે કાંઈ પણ મંત્રશક્તિ છે?” તે બોલ્યો. “કુળના ક્રમથી આવેલે મંત્ર પણ મારી પાસે છે.” પછી એકાંત કરીને રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! મારી પુત્રી જ મારી છે. તેમાં કાંઈ સદેહ નથી. તેથી તું તેને નિગ્રહ કર.” મિત્રાનંદ બે કે-“હે દેવ! તમારા કુળમાં ઉત્પન્ન થયેલી કુમારી મારી થાય, આવું વચન ઘટતું (ગ્ય) નથી.” રાજા બે -“હે ભદ્ર! આ જગતમાં અઘટિત શું છે? મેઘના સમૂહમાં ઉત્પન્ન થયેલી વીજળી શું પ્રાણને હરણ કરનારી થતી નથી?” ત્યારે બીજો (મિત્રાનંદ) બોલે કે-“જે એમ હેય, તો મને તે કન્યા દેખાડે, કે જેથી તેને દષ્ટિવડે જોઈને સાધ્ય છે? કે અસાધ્ય છે? તે હું જાણું.” ત્યારે “તું ત્યાં જઈને તેને જે.” એમ રાજાએ કહેલે તે ત્યાં ગયો. સૂઈને ઉકેલી તે કન્યાએ તેને આવતો જોયે. અને આ પ્રમાણે વિચાર્યું કે-“જેણે મારું કડું હરણ કર્યું, તે જ આ પુરુષ છે. પરંતુ હું માનું છું કે-રાજા એ આજ્ઞા આપેલ આશંકારહિત આવે છે. પછી તેણુએ આપેલા આસન ઉપર તે બેસીને આ પ્રમાણે કે-“હે સુબ્રુ! તને અતિ મોટું કલંક આપ્યું છે, હે સુંદરી ! આજે તને રાજા મને સંપશે. તેથી જો તારી સંમતિ હોય, તો હું તને મારે સ્થાને લઈ જાઉં. અને જો એમ ન હોય, તે આટલું થયા છતાં પણ હું તને કલંક રહિત કરું, પરંતુ હે ભદ્રા! તે વખતે તારે મને જલાંજલિ દેવી.” તે સાંભળીને તેના ગુણવડે રાગી થયેલી તે કન્યાએ વિચાર્યું કે “અહો! કોઈ પણ આ પુરુષ મારે વિષે અકૃત્રિમ (સ્વાભાવિક) પ્રેમવાળે છે, તેથી મારે દુખને પણ અંગીકાર કરીને આને આશ્રય કરવો જોઈએ કેમકે રાજ્યલાભ તે સુલભ છે. પરંતુ નેહવાળ જન સુલભ નથી.” પછી તે બોલી કે–“હે સારા ભાગ્યવાન! આ મારા પ્રાણે તારે આધીન છે. તારી સાથે જ હું આવીશ. શું તું આ નથી જાણતો કે-અંધ માણસ, રાજાનું ચિત્ત, વ્યાખ્યાન, સ્ત્રી અને પાણી આ સર્વે જ્યાં શિક્ષિત નિપુણ) માણસ લઈ જાય, ત્યાં જાય છે.” આ પ્રમાણે પિતાના મનોરથને સિદ્ધ થયે જાણને મિત્રાનંદે તેણીને કહ્યું કે-“હું તારા ઉપર સર્જવ નાખું ત્યારે રાજાની પાસે તારે ફેકાર શબ્દ મૂકવા (કરવા).” પછી તે રાજાની પાસે આવીને બોલ્યો કે-“તે મારી મારા ગ્રહણને (વશને) પ્રાપ્ત થઈ છે, પરંતુ હે રાજા! એક શીઘ્ર વાહન મને આપે. તેમાં તેને બેસાડીને રાત્રિને વિષે તમારા દેશને છેડે હું તેને લઈ જાઉં. જે વચ્ચે સૂર્ય ઉદય પામશે, તે તે મારી તે જ પ્રમાણે રહેશે. ” ત્યારે ભય પામેલા અને લેકના હિતને ઇરછનારા રાજાએ તેને વાયુની જેવા વેગવાળી પિતાની પ્રાણપ્રિયા વડવા (ઘેડી) આપી. પછી સંધ્યાકાળે તે કન્યાને કેશમાં પકડીને તેને સંપી. તેણે પણ ફેકારને મૂકતી તેને વારંવાર હાંકી. પછી વડવા ઉપર ચડેલી તેને આગળ કરીને તે ચાલ્યું. રાજા પણ નગરના દરવાજા સુધી તે બન્નેની પાછળ જઈને પાછો પિતાને ઘેર ગયે. પછી તેણીએ મિત્રાનંદને ૧. પ્રાણની જેવી વહાલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy