SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે પ્રસ્તાવ રાજાને પિતાની પુત્ર પર પ્રગટેલ શંકા. [ ૫૩ ] વામાં વિલંબ થયે, તેમાં હે પ્રભુ! મારો શો દેષ છે?” ત્યારે “નિર્દોષ છો” એમ કહીને રાજાએ તે વણિકને વિદાય કર્યો અને મિત્રાનંદને શવના રક્ષણની કથા પૂછી. તે બો –“દેવ! જે તમને આ કૌતુક હોય, તે એક મનવાળા થઈને તમે સાંભળે. હું કહું છું. ખરેખર હું ધનના લેભવડે શવનું રક્ષણ અંગીકાર કરીને હાથમાં છરીને ગ્રહણ કરીને જેટલામાં પ્રમાદ રહિત રહ્યો હતો, અને રાત્રિને પહેલો પ્રહર વ્યતીત થયે, ત્યારે બ્રહ્માંડને જાણે ફોડતા હોય તેવો શીયાળનો પ્રચંડ શબ્દ પ્રગટ થયે, અને ક્ષણવારમાં જ મારી પોતાની તરફ સળગતા દાવાનળની જવાળાના સમૂહ જેવા પિંગળ (રાતા) રૂંવાડાવાળી શિયાળીઓને મેં જોઈ. આ શરીર માણસના જીવિતને નાશ કરનારી તે વડે હું ક્ષોભ ન પામ્યો ત્યારે રાત્રિના બીજા પહોરે રાક્ષસો પ્રગટ થયા. અત્યંત ભયંકર, કૃષ્ણ વર્ણવાળા અને કિલકિલ શબ્દવડે ઉર્જિત તે રાક્ષસે મારા વીર્યરૂપી વાયુવડે મેઘની જેમ નાશી ગયા. પછી રાત્રિના ત્રીજા પહેરે “હે દાસ ! તું કયાં જઈશ?” એમ બેલતી કત્રિકાવાળી શાકિનીઓ આવીને નાશી ગઈ. પછી હે રાજા ! ચોથા પહોરે અસરાની જેવી આકૃતિવાળી, દિવ્ય વાવડે ઢાંકેલા શરીરવાળી, વિવિધ પ્રકારના આભરણવડે ભૂષિત, છૂટા મૂકેલા કેશવાળી, જવાળાવડે ભયંકર મુખવાળી, હાથમાં કત્રિકાવાળી અને ભય કરનારી કઈ બાળા મારી પાસે આવી. “હે દુર ! તને આજે ક્ષય પમાડીશ.” એમ બોલતી તેને જોઈને હું રાજા ! “ તે જ આ મારી ( મરકી) છે” એમ મેં વિચાર્યું. તે વખતે અત્યંત પાસે આવેલી તેને મેં ક્ષણ વારમાં મારા ડાબા હાથવડે તેણીને પકડી, અને બીજા (જમણા) હાથવડે શઝિકા ઉપાડી. હે દેવ ! મારા હાથને બળાત્કારે મરડીને તે ચાલી, અને મેં જતી એવી તેને છરીવડે જમણા સાથળમાં ચિન્હવાળી કરી. હે પ્રભુ ! તેનું કડું મારા હાથમાં રહ્યું. આ અવસર કમલિનીને બંધુ સૂય ઉદય પામે.” તે સાંભળીને વિસ્મય પામેલા રાજાએ કહ્યું કે હે વીર શિરોમણિ ! મારીના હાથથી જે કડું ગ્રહણ કર્યું, તે મને દેખાડ.” ત્યારે પહેરેલા વસ્ત્રની ગાંઠના મધ્ય ભાગથી તે કડું તરત જ ખેંચીને(કાઢીને) મિત્રાનંદે રાજાના હાથમાં આપ્યું. તેને પિતાના નામના ચિન્હવાળું જોઈને તેણે વિચાર્યું કે“અહા! શું મારી કન્યા જ મારી થઈ છે કે જેથી તેનું જ આભૂષણ(કડું) છે. ” પછી દેહચિંતાના મિષવડે ત્યાંથી ઉઠીને રાજાએ કન્યા પાસે જઈને તેને સુતેલી જોઈ. તેનો ડાબો હાથ અલંકાર રહિત જોઈને તથા ત્રણને સ્થાને બાંધેલે પાટે જોઈને જાણે વાથી હણાયો હોય તે તે થયે. અને વિચાર કરવા લાગ્યો કે-“ ચંદ્રમંડળ જેવા નિર્મળ મારા વંશને આ દુર કન્યાએ સર્વથા કલંકિત કર્યો. જે કુળને વિષે ચીજન કુર, અસત્યભાષી, કુશળવાળે અને ચપળ ચિત્તવાળે થાય છે, તે કુળ નિર્મળ નથી. જ્યાં સુધી સમગ્ર નગરીના લોકોને આ ન મારે, ત્યાં સુધીમાં કઈપણ ઉપાયવડે આને નિગ્રહ કરે.” આ પ્રમાણે વિચારીને અને પાછા વળીને રાજાએ મિત્રાનંદને પૂછયું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy