________________
ત્રીજે પ્રસ્તાવ-શ્રી ધર્મષરિએ કહેલ જિન પાલિત ને જિનરક્ષિતની ભાવિ કથા. [ ૬૧ ]
અહીધર્મ અંગીકાર કર્યો. ફરીથી રાજાએ પૂછયું કે- “ તે વખતે તે મડદાએ જે કહ્યું હતું, તેનું કારણ મને કહે. અહીં મને વિમય છે.” ગુરુએ કહ્યું-“હે રાજા! શબાને ગ્રહણ કરનાર તે મુસાફર મરીને, ભવમાં ભમીને અનુક્રમે તે વટ ઉપર વ્યંતર થ. મિત્રાનંદને ઓળખીને તથા તેનું કરેલું વૈર સંભારીને શવના મુખમાં ઉતરીને તેણે તે વચન કહ્યું હતું.” આ પ્રમાણે છેદાયેલા સંદેહવાળા અમરદત્ત રાજા સૂરિને નમીને પરિવાર સહિત પોતાને ઘેર ગયે. અજ્ઞાનથી મોહ પામેલા પ્રાણીઓને પ્રતિબંધ કરવામાં રક્ત ધર્મશેષ મુનીશ્વરે પણ પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો. પછી એગ્ય સમયે રત્નમંજરી દેવીને પુત્ર જન્મ્યો પછી ગુરુએ જે કહ્યું હતું, તે જ તેનું નામ (કમલગુપ્ત) થયું. પછી ધાત્રી માતાવડે પાલન કરાતો તે બાલ્યાવસ્થાને ઓળંગીને તથા કળાઓ શીખીને પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ થયે. એક દિવસ તે જ ગુરુ ફરીથી ત્યાં આવ્યા ત્યારે ઉદ્યાનપાળે રાજાને તેનું આગમન કહ્યું. ત્યારે પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પ્રિયા સહિત તેણે તે ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી પરિવાર સહિત રાજાને દીક્ષા આપીને ગુરુએ તેને તથા બીજાઓને બંધ કરવા માટે આવા પ્રકારની શિક્ષા આપી. કે “ભવરૂપી સમુદ્રમાં પડતાં જંતુઓને તારવામાં વહાણના જેવી દીક્ષાને પ્રાણુઓ કેઈપણ પ્રકારે પુણ્યના ભેગથી પામે છે. પ્રવજ્યા ગ્રહણ કરીને પણ જેઓ વિષયની ઈચ્છાવાળા થાય છે, તેઓ જિનરક્ષિતની જેમ ભયંકર સંસારરૂપી સમુદ્રમાં પડે છે. અને જેઓ પ્રાર્થના કર્યા છતાં પણ વિષયને વિષે અપેક્ષા રહિત હોય છે, તેઓ જિન પાલિતની જેમ આ સંસારમાં સુખને ભજનારા થાય છે. ” ત્યારે તે રાજર્ષિએ પૂછેલા તે સૂરિ સિદ્ધાંતમાં કહેલી તેઓની ભાવી કથાને કહેવા લાગ્યા, કે–
પ્રસિદ્ધ ચંપાપુરીમાં જિતશત્રુ રાજા હતા. તેને રૂપવડે શોભતી ધારિણી નામની પ્રિયા હતી. તે પુરીમાં મોટા ધનવાળો, શાંત, સરલ, દાની અને બંધુરૂપી કરવ(પિયણાને વિકવર કરવામાં ચંદ્ર જેવો માકંદી નામને શ્રેષી હતો. તેને ભદ્રા નામની ભાર્યા હતી. તેમને ક્રમે કરીને ઉત્પન્ન થયેલા બે પુત્રો હતા. તેમાં પહેલે જિન પાલિત નામને અને બીજે જિનરક્ષિત નામને હતો. વહાણ ઉપર ચડીને પરદેશમાં જવું અને આવું કરતા તે બને પુત્ર અગ્યાર વાર સમુદ્રને તર્યા. અને તેમણે ઘણું ધન ઉપાર્જન કર્યું. પછી અતિ ભથકી કરીને ત્યાં જવાની ઈચ્છાવાળા તેમણે પિતાના પિતાને પૂછયું. ત્યારે તે બે કે-“હે પુત્ર ! આગળનું પણ ઘણું ધન છે. તેના વડે જ તમે પિતાની ઈચ્છા પ્રમાણે ત્યાગ(દાન) અને ભેગા કરે. આ બારમી વેળા મુસાફરી ઉપદ્રવ સહિત પણે થાય, તેથી સમુદ્રમાં જવું યોગ્ય નથી. એમ મારી મતિ છે.” ત્યારે તેઓ બેલ્યા કે–“હે પિતા! તમે આવું વચન ન બેલો. આ પણ વહાણની યાત્રા તમારા પ્રસાદથી ક્ષેમવડે( કુશળતાવડે) થશે.” ત્યારે તેણે અતિ આગ્રહમાં તત્પર તે બનેને વિદાય કર્યા. ત્યારે તેમણે ગણિમાદિક ચાર પ્રકારનું ક્રમણક(કરિયાણું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org