________________
ત્રીજો પ્રસ્તાવ: રત્નમંજરી મેળવવા માટે મિત્રાનંદનું ઉજજયનીમાં આગમન.
[૫૧ ].
રક્ષણ કર્યું. પ્રભાતે તે મડદાને સવજનેએ ભમસાત્ કર્યું (બાળ્યું). અને ધનને માગતા મિત્રાનંદને તેઓએ ધન આપ્યું નહીં. તે બોલ્યા કે–“જે અહીં મહાસેન રાજા હશે, તે હું ધનને મેળવીશ” એમ કહીને તે એક દુકાને ગયે. ત્યાં એક સે દીનારવડે મનહર વસ્ત્ર ગ્રહણ કરીને તે ઉદ્દભટ(સુંદર) વેષ ધારણ કરીને વેશ્યાને ઘેર ગયે. ત્યાં રૂપ અને યૌવનવડે યુક્ત વસંતતિલકા નામની વેશ્યાએ તેના અભ્ય. સ્થાનાદિક સત્કાર કર્યો. તેણે કટ્ટિનીને ચારસો દીનાર આપ્યા ત્યારે હર્ષ પામેલી તેણુએ પોતાની પુત્રીને આ પ્રમાણે આદેશ આપે, કે–“હે પુત્રી ! આ ઉદાર પુરુષને તારે ગૌરવથી જે કે જેણે પ્રથમ જ મને ઘણું ધન આપ્યું. ” ત્યારે તેણુએ પોતે જ તેની નાનાદિક સક્રિયા કરી. પછી પ્રદોષ સમયે તેણીના વાસગૃહમાં તે ગયે. ત્યાં તે શયામાં રહ્યો હતો ત્યારે પૃથ્વી પર આવેલી જાણે દેવી હોય તેવી પહેરેલા ઘણા અલંકારવાળી તે ગણિકા ત્યાં આવી. ત્યારે તેણે વિચાર્યું કે “ આ જગતમાં વિષયમાં આસક્ત થયેલા પ્રાણીઓના કાર્યો સિદ્ધ થતાં જ નથી. ” એમ વિચારીને તેને તેને કહ્યું કે-“હે ભદ્રા! હું કાંઈક સ્મરણ કરું છું, માટે તું ૫ લાવ.” એમ કહ્યું ત્યારે તેણીએ સૂવર્ણમય પટ્ટ આર્યો. તેના પર બેસીને, ગાઢ પાસ કરીને અને વસ્ત્રવડે શરીરને ઢાંકીને બુદ્ધિમાનને વિષે શ્રેષ્ઠ તે ધ્યાનમાં રહ્યો. પછી પહેલો પહેર ગયો ત્યારે તેણુએ રમવા માટે પ્રાર્થના કરે તે ધ્યાનવડે શાંતની જેમ વૃથા મનમાં તત્પર રહ્યો. એ પ્રમાણે ધ્યાનમાં તત્પર રહેલા તેની આખી રાત્રિ ગઈ. પ્રાત:કાળે ઉઠીને તે દેહચિંતા કરવા ગયે. પછી તેણીએ પોતાનું અક્કા(માતા)ને તે સાચી હકીકત કહી ત્યારે તેણીએ ફરીથી કહ્યું કે-“હે પુત્રી ! તારે પુરુષને સર્વ પ્રકારે સેવ, કેમકે તે કામિત થવાથી તેનું આ વિત્ત સ્થિર થશે. અન્યથા મુંડેલા મસ્તક ઉપર રહેલા પુષ્પની જેમ તે ધન અસ્થિર થશે.” બીજી રાત્રિ પણ તે જ પ્રમાણે ગઈ, તથા અપરા(ત્રીજી) રાત્રિ પણ તેજ પ્રમાણે ગઈ, ત્યારે રોષ પામેલી કુદિનીએ તેને ઠપકા સહિત આ પ્રમાણે કહ્યું કે-“હે ભદ્ર! રાજાને પણ અતિ દુર્લભ અને તારે વિષે અનુરાગવાળી પણ આ મારી પુત્રીને નહીં ઈચ્છતે તું વિડંબના કેમ કરે છે?” ત્યારે તે બે -“હે અકા! સમય આવશે ત્યારે હું સર્વ સારું કરીશ, પરંતુ હું પૂછું છું કે-રાજાના ઘરને વિષે તારો પ્રવેશ છે કે નહી?” તે બોલી “હે વત્સ! આ મારી પુત્રી રાજાના ચામરને ધારણ કરનારી છે, તેથી તેને ઘેર હું રાત્રિદિવસ નિવારણ વિના જ જાઉં છું.” “જે એમ છે, તે હે અકા! તેની રત્નમંજરી નામની પુત્રીને જાણે છે?” એમ તેના વડે પુછતાં તે બોલી કે- “ તે કન્યા મારી પુત્રીની સખી છે.” મિત્રાનંદ બોલ્યો કે-“તે તેની પાસે તું કહેજે કે-હે ભદ્રા! જેને ભણાતે (ગવાત) ગુણને સમૂહ તે સાંભળ્યો છે, તથા અનુરાગવાળી થયેલી તે હર્ષથી જેને લેખ કર્યો છે, તે અમરદત્તને મિત્ર અહીં આવ્યા છે. બસ, આ પ્રમાણે કહેજે.”
૧. ઊભા થવું તે. ૨. વેશ્યાની માતાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org