________________
[ ૫૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
છે. હું આ પ્રાસાદનો કરાવનાર છું, તેથી તે જાણું છું. તું પણ પ્રથમ પિતાને તર્ક કરે ઉપાય મને કહે ” તે બે-“હે તાત ! જે તમે મારા આ મિત્રની સારસંભાળ કરે, તે હું સોપારકપુરમાં જઈને સૂત્રધારને પૂછું જે આ પૂતળી તેણે પ્રતિકૃતિવડે કરી હોય, તે તે અહીં લાવવાથી આનું ઈચ્છિત સિદ્ધ થશે.” શ્રેણીએ તેની સારવાર અંગીકાર કરી ત્યારે અમરદત્ત બે કે-“જે હું તારું કણ સાંભળીશ, તે મારા પ્રાણ જતા રહેશે.” ત્યારે બીજાએ કહ્યું કે-“જે હું બે માસની અંદર ન આવું, તે તારે એમ જાણવું કે-અહે ! મારો મિત્ર નથી.” પછી તેને કષ્ટવડે બંધ પમાડીને શ્રેણીની અનુમતિવાળો અને અખંડિત પ્રયાણવાળે તે અનુક્રમે પારકપુરમાં ગયો. ત્યાં પોતાની અંગુલીય( વીંટી)ને વેચીને અને વસ્ત્રો વિગેરે લઈને તથા હાથમાં તાંબલ રાખીને તે રથપતિ( કારીગરોને ઘેર ગયે. આ લક્ષમીવાળો છે એમ જાણીને તેણે હર્ષથી તેની પ્રતિપત્તિ (સેવા) કરી, અને શુભ આસન ઉપર બેઠેલા તેને આવવાનું કારણ પૂછયું. ત્યારે-“હે ભદ્ર ! હું તારી પાસે મનહર દેવકુળ કરાવીશ, પરંતુ કાંઈક પ્રતિકૃતિ મને દેખાડ.” એમ તેણે કહ્યું. સૂત્રકૃત બોલ્યો કે-“મેં પાટલિપુત્ર નામના નગરમાં પ્રાસાદ કર્યો છે, તે તેં શું નથી જે ?ત્યારે બીજાએ કહ્યું, કે-“હા જોયા છે. પરંતુ ત્યાં અમુક પાંચાલિકા છે તે પ્રતિછંદવડે કરી છે? કે પોતાની બુદ્ધિથી રચી છે (કરી છે)?” તે બોલ્ય-“અવંતિપુરમાં મહાસેન રાજાની પુત્રી રત્નમંજરીના પ્રતિષ્ઠદવડે તે કરી છે.” પછી “સારો દિવસ પૂછીને હું આવીશ.” એમ કહીને તે મિત્રાનંદે દુકાને જઈને મનહર વસ્ત્રોને વેચીને પાથેય( ભાતાની) રચના કરી. પછી અખંડ પ્રયાણવડે જતો તે ઉજજયિની નગરીએ ગયે. ત્યાં દરવાજાના મધ્યમાં રહેલા દેવીના દેવાલયમાં રહો. આ અવસરે તેણે આ પ્રમાણે પડહની ઉદ્દઘાષણ સાંભળી કે-“ જે માણસ રાત્રિના ચાર પહેાર સુધી આ મુડદાનું રક્ષણ કરે, તેને વણિકને સ્વામી(મેટે શ્રેણી) એક હજાર દીનાર આપે.” તે વખતે મિત્રાનંદે આ સાંભળીને દ્વારપાળને પૂછયું, કે “ હે દ્વારપાળ! આટલા પણ કાર્યને વિષે અત્યંત ઘણું ધન કેમ અપાય છે? ” તે બે -“હમણાં આ નગરી મરકીથી ઉપદ્રવ પામેલી છે. એટલામાં શ્રેષ્ઠીને ઘેર મારીએ કરેલું આ શબ હતું, તેટલામાં સૂર્ય અસ્ત પામ્યા, અને આ દરવાજો બંધ થયા. આ પ્રમાણે મારીથી હણાયેલા આને કેઈપણ રક્ષણ કરવાને સમર્થ નથી, તેથી આના રક્ષણને વિષે ઘણું ધન પ્રાપ્ત કરાય છે. પછી “આ પૃથ્વીતળ ઉપર ધન રહિતના કાર્યો સિદ્ધ થતા નથી.” એમ વિચારીને મિત્રાનંદે ધનના લાભ માટે શવની રક્ષા અંગીકાર કરી. તેને ઈચ્છત ધનને અર્ધભાગ આપીને તથા તે શવને સંપીને “બાકીનું ધન હું પ્રભાતે આપીશ” એમ કહીને તે ઈશ્વર પિતાને ઘેર ગયે. પછી ધીરતાને ધારણ કરતા તેણે શાકિની, ભૂત અને વેતાલના ઉપસર્ગો થયા છતાં તે રાત્રિને વિષે તે શવનું
૧. સારી આકૃતિવડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org