________________
ત્રીજો પ્રસ્તાવઃ અમરદત્તની પૂતળીની આકૃતિ વિષે આસક્તિ
[ ૪૯ ]
શક, પુનાગ, નાગ, મૂળ, પ્રિયંગુ, નારંગાદિક, કદલી અને આમ્ર વિગેરે મનહર વૃક્ષવડે શોભતા, ઊચા પ્રાકાર(ગઢ)વડે વીંટાયેલા તથા વજની શ્રેણિવડે શોભતા એક પ્રાસાદને તે બન્નેએ છે. ત્યારે તેમણે વાવના જળમાં મુખ, પગ અને હાથને પવિત્ર (શુદ્ધ) કરીને તથા અંદર પ્રવેશ કરીને પ્રાસાદના રૂપની શોભા દેખી. તેમાં વિશ્વકર્માએ જાણે કે આરસની વર્ણિકા (પ્રતિકૃતિ–વાનકી) બનાવી હોય એવી એક પાંચાલિકા (પુતળી) અમરદતે દેખી. પછી તેને જોઈને ઊચું જેતે અને કામદેવથી આતુર થયેલ તે અમરદત્ત તૃષ્ણાને, સુધાને અને અમને જાણ ન હતું. પછી મધ્યાહ સમય થયે ત્યારે તેને મિત્રે કહ્યું કે-“હ આર્ય! ચાલ, આપણે નગરમાં જઈએ, કેમકે ઉછર (અસૂર) પ્રવતે છે.” તે બે -“હે ભદ્રા ત્યાં સુધી તું એક ક્ષણવાર વિલંબ કર, કે જ્યાં સુધી આ પાંચાલિકાને હું સમગ્ર રીતે જેઉં.” પછી કૌતુકથી જે દ્રષ્ટિ તેણના ઊંચા કુચસ્થળને વિષે ચડી, તે તેની દષ્ટિ જાણે થાકી ગઈ હોય તેમ ત્યાં જ સ્થિર રહી. ક્ષણ વાર પછી તે જ પ્રમાણે મિત્રે (મિત્રાનંદ) તેને ફરીથી કહ્યું, ત્યારે તે બે કે “જે આ સ્થાનથી હું ચાલું, તે મારું મરણ થાય (થશે). ” ત્યારે મિત્રાનંદ આ પ્રમાણે છે કે-“નિરંતર કૃત્ય અને અકૃત્યને જાણનારા તારે આ પથ્થરની પુતળી ઉપર રાગની અધિકતા કઈ છે? જે સ્ત્રીની સાથે રમવાની તારી ઈચ્છા હોય તે નગરની અંદર જઈને તથા
જન કરીને ક્ષણ વારમાં તે ઇચ્છાને પણ પૂર્ણ કરજે.” આ પ્રમાણે તેણે કહ્યા છતાં પણ તે તેના સમીપપણને મૂકતે ન હતું ત્યારે મોટા ક્રોધના ભારથી વ્યાપ્ત થયેલ તે મિત્રાનંદ અત્યંત રેવા લાગ્યા. અમરદત્ત પણ રેવા લાગ્યું પરંતુ તે સ્થાનને તે મૂકતો નહોતો. તેટલામાં ત્યાં તે પ્રાસાદને કરાવનાર શ્રેષ્ઠી આવ્યું. તે રતનસાર નામના શ્રેષ્ઠીએ તે બનેને એમ કહ્યું કે-“હે ભો! તમે સ્ત્રીની જેમ કેમ વૃથા રૂદન કરે છે?” ત્યારે પિતાની જેવા તેની પાસે મિત્રાનંદે પ્રથમથી કથા કહીને તે મિત્રની ચેષ્ટા નિવેદન કરી. પછી તે શ્રેષ્ઠીએ બાધ કર્યા છતાં પણ તે પાંચાલિકામાં રહેલા રાગને જેટલામાં ત્યાગ કરતો નથી. તેટલામાં તેણે ખેદ સહિત વિચાર કર્યો, કે-“પથ્થરથી બનાવેલું પણ જેનું રૂપ પુરુષના મનને હરણ કરે છે, તે સ્ત્રીઓ વિશ્વને મોહ પમાડવા માટે વિધાતાએ કરી છે, એમ હું માનું છું. મોની, યતિ, જ્ઞાની, સાર તપસ્વી અને જિતેંદ્રિય ત્યાં સુધી હોય છે, કે જ્યાં સુધી પુરુષ સ્ત્રીઓની દ્રષ્ટિના વિષયમાં ન આવે.” આ પ્રમાણે ચિંતામાં તત્પર તે શ્રેષ્ઠીને મિત્રાનંદે ફરીથી કહ્યું કે-“હે તાત ! આ સંકટવાળા કાર્યમાં છે ઉપાય હશે ? ” તે શ્રેષ્ઠ વણિક કાંઈ પણ ઉપાયને નથી જેતે ત્યારે બુદ્ધિમાન મિત્રાનંદે ફરીથી તેને કહ્યું, કે-“હે તાત! જેણે આ પુતળી બનાવી છે, તે કારીગરને જે હું જાણું તે આની ઇચ્છા પૂરવાને ઉપાય હું કરું.” ત્યારે રત્નસાર બોલ્યો કે-“હે ભદ્ર ! અહીં સુરદેવ નામને સૂવકૃત ( કારીગર) છે. પણ તે તે કુંકણ દેશની અંદર પારક નામના નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org