________________
ત્રીજો પ્રસ્તાવ-નાનગર્ભ મંત્રીને બુદ્ધિપ્રભાવ.
[ ૪૭ ]
કોઈક રાજપુરુષ સભામાં આવ્યું. પછી તે આશીર્વાદ આપીને શ્રેષ્ઠ આસન ઉપર બેઠા. ત્યારે “તારું કેટલું જ્ઞાન છે?” એમ રાજાએ તેને પૂછયું ત્યારે તે આ પ્રમાણે છે.-“હે રાજા! માણસને લાભ અને અલાભ, જીવિત અને મરણ, સુખ અને દુઃખ તથા ગમન અને આગમન એ સર્વ હું જાણું છું. ” રાજાએ કહ્યું-“મારા પરિવારને મળે એક પખવાડીયાની અંદર જે કેઈનું અતિ અદભુત કાંઈક તું જેતે( જાણતો) હોય તે તું કહે.” ત્યારે નૈમિત્તિક બોલ્યો કે-“કુટુંબ સહિત જ્ઞાનગર્ભ મંત્રીનો મારવાના સ્વરૂપવાળા ઉપસર્ગ હું જેઉં( જાણું) છું.” તે સાંભળીને રાજા પીડા પામ્યા, તથા સમગ્ર રાજલક પીડા પાપે, પરંતુ મંત્રી હૃદયમાં દુભાયા ( દુઃખ પામ્યા) છતાં પણ ઘેર્ય સહિત તે નૈમિત્તિકને સાથે લઈને પિતાને ઘેર ગયે. તેને એકાંતમાં એમ પૂછયું કે-“હે ભદ્ર! કયા કારણથી તું મારી આપત્તિ જુએ છે?” તેણે પણ તેના મોટા પુત્રથી થનારી તે આપત્તિ કહી. પછી જ્ઞાનગર્ભે તે જ્ઞાનીને સત્કાર કરીને તેને વિદાય કર્યો. પછી તેણે તે પુત્રને એમ કહ્યું કે-“હે વત્સ! જે તું મારે આદેશ કરે તે આ જીવિતનો અંત કરનારી આપત્તિ તરી જવાય.” ત્યારે “હે પિતા! શુભ અથવા અશુભ જે કાંઈ કાર્યને તમે મને આદેશ કરે, તે મારે અવશ્ય કરવું.” એમ તે વિનયવાળો બોલ્યો ત્યારે મહાબુદ્ધિમાન તે મંત્રીએ પુરુષના પ્રમાણવાળી પેટીને વિષે પાણી અને આહાર વિગેરે સહિત તેને નાખે, તે પેટીને આઠ તાળી દઈને તે પેટી રાજાને સોંપી,. અને “હે દેવ! આ મારું સર્વસ્વ તમે રક્ષણ કરે.” એમ તેણે વિનંતિ કરી. રાજાએ કહ્યું-“હે મંત્રી ! આ ધનને ધર્મના વિષે નિગ કર. (જેડ-વ્યય કરે છે. તારા વિના આ ધનવડે હું શું કરું?” ફરીથી મંત્રીએ કહ્યું કે-“નાકરેનો આ ધર્મ જ છે કે, વિપત્તિને વિષે પણ ધનાદિકવડે આર્ય( સ્વામીને ) છેતરવો નહીં. ” ત્યારે રાજાએ તે અંગીકાર કર્યું. પછી મંત્રીએ જિનાલયને વિષે અણહિકાઉત્સવ કર્યો, અને સંઘની પૂજા કરી. ઉચિતતા પ્રમાણે દીન અને અનાથ વગેરે પ્રાણીઓને દાન આપ્યું, શાંતિની ઉદ્દઘોષણા કરાવી, અને પ્રાણીઓને અભયદાન આપ્યું. કવચ(બખ્તર)ને પહેરેલા તથા વિવિધ શસ્ત્રો ધારણ કરનારા પુરુષવડે અને અશ્વ તથા હાથીઓ વડે ઘરની રક્ષા કરાવી. એ પ્રમાણે અનુક્રમે પંદર દિવસ પ્રાપ્ત થયો ત્યારે રાજાના અંતઃપુરને વિષે અકસ્માત આવી ફુટ વાણી નીકળી કે-“અહા ! દુષ્ટ મતિવાળો સુબુદ્ધિ નામને મંત્રીને પુત્ર રાજપુત્રીના કેશપાશને છેદીને કોઈ પણ ઠેકાણે જતો રહ્યો.” તે સાંભળીને કપ પામેલા રાજાએ વિચાર્યું કે “અતિસન્માન કરેલા, મૂર્ણ અને મરવાની ઈચ્છાવાળા મંત્રીપુત્રે આવું કર્મ કર્યું. આના અપરાધમાં કુટુંબ સહિત પણ આ મંત્રી મારે વધ કરવા લાયક છે.” એમ વિચારીને સમગ્ર સમાજનેને તેણે જણાવ્યું. ત્યાર પછી “સર્વજનેને મારવા, તેની કામ કરનારને પણ છોડવી નહીં.” એ પ્રમાણે આદેશ આપીને રાજાએ મંત્રીને ઘેર સૈન્ય મોકલ્યું. તે ઘર મંત્રીના સુભટોએ રૂંધ્યું હતું, અને તે સારી બુદ્ધિવાળા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org