SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો પ્રસ્તાવ–તાપસપતિએ દેવધરને સાંપેલ રાજપુત્ર. [ ૪૫ ] તમે વૃદ્ધપણાને લીધે સર્વથા લજ્જા પામેા છે, તેા હું આ પ્રમાણે પટહની ઉદ્ઘાષણા કરાવું કે-જે કાઇ આ રાજાને વૃદ્ધ કહેશે, તે માણુસ અવશ્ય અકાળે પણ યમરાજાના અતિથિ થશે. ’ ત્યારે રાજા મલ્યે કે—“ હે દેવી ! અવિવેકી જનની જેમ તું આ શું ખેલે છે ? કેમકે અમારી જેવાને તા જરા જ અલ'કારરૂપ છે. ” તે “તમે શ્યામ સુખવાળા કેમ થયા છે ? એમ કહ્યું ત્યારે તેણે તેણીને પેાતાના વૈરાગ્યનું કારણ કહ્યું. પછી પેાતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને પ્રિયા સહિત તે રાજાએ તાપસ થઇને વનવાસના આશ્રય કર્યો, ગુપ્તગ વાળી તે રાણીએ તાપસવ્રત અંગીકાર કર્યું. પછી અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યા ત્યારે તેણીનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું. ત્યારે આ શું? ' એમ જોઇને ( પૂછાયેલી ) તેણીએ પતિને તે વાત યથાર્થ કહી. અને વ્રતનાં દૂષણથી ભય પામેલા તે રાજાએ પણ તે વાત કુલપતિને કહી. પછી તાપસીઆવડે પાલન કરાતી તેણીએ. સમયને વિષે શુભ લક્ષણૢાવડે શાભતા દેવકુમારની જેવા પુત્રને પ્રસન્ગેા. પછી અનુચિત આહારને લીધે તેણીના શરીરમાં ભયંકર રોગ થયા, તેથી દુ:ખવડે પીડા પામેલા તે તપાવનના તાપસેા વિચાર કરવા લાગ્યા, કે “ માતા વિના બાળકને ગૃહસ્થા પણ દુઃખે કરીને પાળી શકે છે, તેથી કરીને આ માતા મરી ગયા પછી આ ખાળકને શી રીતે પાળવા ? ’” તે વખતે દૈવયેાગથી વેપારને માટે ક્રૂરતા દેવધર નામના વિક્ ઉજ્જયિની નગરીથી ત્યાં આળ્યેા. તેણે તાપસના ભક્ત હાવાથી તે તપસ્વીઓને નમીને તથા તેને ચિંતાતુર જોઇને ઉદ્વેગનું કારણ પૂછ્યું ત્યારે તે કુલપતિએ કહ્યું કે“ જો તું અમારા દુ:ખથી દુભાતા(દુ:ખી થતા) હા, તા હું શ્રેષ્ઠી! અમે આપેલા આ બાળકને તું ગ્રહણ કર. ” ત્યારે તેણે તેને ગ્રહણ કરીને પહેલા પુત્રી પ્રસવેલી દેવસેના નામની પાતાની ભાર્યાને સાંપ્યા. તે મદનસેના દેવી સારા સ્થાને પ્રાપ્ત થયેલા તે પુત્રને જોઇને ચિત્તના સમાધાનવાળી થઈ, અને તે રાગની પીડાવડે રહી. પછી પેાતાને ઘેર ગયેલા તે શ્રેષ્ઠીએ ઉત્સવપૂર્વક તે પુત્રનુ અમરદત્ત એવુ' નામ પાડ્યુ અને પુત્રીનું સુરસુંદરી એવું નામ પાડ્યુ. તે વખતે એવી જનશ્રુતિ થઇ કે દેવધરની પત્નીએ અપત્યનું યુગલ પ્રસન્ગ્યું છે. પછી મિત્રશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સાગર શ્રેષ્ઠીનેા મિત્રાનંદ નામના પુત્ર અમરદત્તના મિત્ર થયા. એ નેત્રની જેમ સમાન હર્ષ અને શાકવાળા, સમાન જાગરણ અને નિદ્રાવાળા તથા ધન્ય એવા તે બન્નેની મૈત્રી( મિત્રાઇ ) નિરંતર વૃદ્ધિ પામી. પછી એક વખત મેઘરૂપી હાથીના સમૂહવડે શાભતા, ૧રના શબ્દવડે શેાલિત, વીજળીરૂપી ખ લતાને ધારણ કરનાર, ગર્જનારૂપી વાજિંત્રના શબ્દવડે મનેાહર, કેકી(મયૂર ) અને ચક્રવાકીના આલાપ( શબ્દ )રૂપી ગ્રામ્ય શ્રીએના ગીતવડે મંગળકારક અને પૃથ્વીને પ્રિય એવા વર્ષાઋતુરાજ પ્રાપ્ત થયા. તે અવસરે સીપ્રા નદીની રેતીમાં વટ વૃક્ષની પાસે ૧ ઋતુના પક્ષમાં હિર એટલે મયૂર અથવા દેડકા, અને રાજાના પક્ષમાં હિર એટલે અન્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy