________________
[૪૪] .
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
આ કષાયે સંસારથી વિરક્ત ચિત્તવાળા અને મેક્ષના સુખને ઇચ્છનારા મનુષ્ય ત્યાગ કરવા ચગ્ય છે.” ત્યારે રાજાએ કહ્યું- “હે મહાત્મા ! આ સત્ય જ છે, પરંતુ તમે મને કહે, કે કષાયે કેટલા ભેદવાળા છે ? ” મુનિ બેલ્યા–“ ક્રોધ, માન, માયા અને લાભ નામના આ ચાર કષાય છે. તથા તેમના દરેકના પણ આ ભેદો છે. અહીં પહેલ અનંતાનુબંધી, બીજે અપ્રત્યાખ્યાની, ત્રીજે પ્રત્યાખ્યાની અને ચોથી સંજ્વલન નામને છે. તેમાં હે રાજા ! પહેલો અનંતાનુબંધી ક્રોધ પર્વતની રેખા જેવો નિશ્ચળ, ભયંકર અને દુઃખને આપનાર છે. અપ્રત્યાખ્યાનીય નામને બીજે ક્રોધ પૃથ્વીની રેખા જે છે, ત્રીજો પ્રત્યાખ્યાની ક્રોધ ધૂળની રેખા જે માને છે અને ચોથા સે જ્વલન ક્રોધ પાણીની રેખા જેવો કહે છે. એ જ પ્રમાણે માન પર્વત, અસ્થિ, કાષ્ટ અને તિનિશ વૃક્ષના સ્તંભ જે કહેલો છે. માયા વંશી, મેષનું શીંગડું, ગોમૂત્ર અને અવલેહના જેવી કહેલી છે. તથા લેસ કમિરાગ, પંક, અંજન અને હળદરના રંગ જેવો કહે છે. પહેલા ત્રણ અનામે જન્મ, વર્ષ અને ચાર માસની રિથતિવાળા છે, અને ચોથે ભેદ એક પખવાડિયાની રિથતિવાળે છે. તે ચાર ભેદે નરક વગેરે ગતિના કારણભૂત છે. હે રાજા! આ પ્રમાણે સેળે કષાયે કહા, કે જે કષાયે ગાઢ સંરંભથી કર્યા હોય તે તે ગાઢ દુઃખને આપનારા થાય છે. અને સંરંભ વિના કર્યા હોય તે ચેડા ભવ સુધી અત્યંત દુઃખ આપે છે. તથા હે રાજા! તારે થોડા પણ કષાય ન કરવા. હે રાજા ! થોડા પણ દુષ્કૃત્યનું મોટું ફળ થાય છે, કે જે પ્રકારે મિત્રાનંદ વગેરે પ્રાણુઓનું તે ફળ ડાહ્યા પુરુષોએ દેખ્યું છે.” ત્યારે “મિત્રાનંદ વગેરે કોણ છે ?” એમ રાજાએ ફરીથી પૂછયું ત્યારે સ્વયંપ્રભ મુનિ બોલ્યા કે “તેમની કથાને તે સાંભળ.
આ ક્ષેત્રમાં સ્વર્ગના જેવી અદ્ધિવાળું, વિવિધ પ્રકારનાં આશ્ચર્યવડે મનોહર અને પૃથ્વીને વિષે પ્રસિદ્ધ અમરતિલક નામનું નગર છે. તેમાં અતિશયવાળો, રૂપની શોભા વડે કામદેવને જીતનાર અને પરાક્રમી મકરધ્વજ નામે રાજા હતા. તેની મદનસેના નામની ભાર્યાને વિષે પમ સરવરના સ્વપ્નવડે સૂચન કરેલ પદ્દમકેસર નામે પુત્ર થયો હતો. એક વખત રાજાના મતકના કેશને સાફ કરતી તે પત્નીએ પળીને જોઈને
હે દેવ! દૂત આવ્યે.” એમ કહ્યું. તે સાંભળીને ચિત્તમાં ભ્રાંતિ પામેલા અને દિશાઓનું ઈક્ષણ જોવું) કરતાં તે પતિને તે વેત વાળ દેખાડીને તેને ફરીથી કહ્યું, કે“વૃદ્ધાવસ્થા આવે છે, કાર્ય કર.” એમ જાણે બોલતો હોય તેમ પળીના મિષથી ધર્મરાજાએ આ દૂત મોકલ્યો છે.” ત્યારે રાજાએ વિચાર્યું કે “મારા પૂર્વના મહાત્માઓએ પળાને જોયા પહેલા જ ધર્મસેવા કરી છે. રાજ્યમાં લુબ્ધ થયેલા અને સ્થિતિનો વિચ્છેદ કરનારા મને ધિકાર છે, કે વિષયમાં આસક્ત થયેલા જ જે મારે જરાનું આવવું થયું છે.” આ પ્રમાણે ચિંતાવડે ખેદ પામેલા મુખવાળા પતિને જોઈને તેના ભાવને નહીં જાણતી તે રાણું મશ્કરીનાં વચન સહિત ફરીથી આ પ્રમાણે બોલી કે-“હે નાથ! જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org