SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ. આ 3 હવે આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રને વિષે રહેલા રમણીય નામના વિજયમાં સુભગા નામની માટી નગરીમાં વૃત્ત, ગાંભીર્ય, મર્યાદા અને લક્ષમીરૂપ ગુણવડે સમુદ્રને જીતનાર તથા મોટા પ્રતાપવડે યુક્ત સ્તિમિતસાગર નામે રાજા હતા. તેને અમૂલ્ય શીખાની પૃથ્વી સમાન વસુંધરી નામની ભાર્યા હતી, તથા સ્ત્રીના ગુણે વડે વ્યાપ્ત અનુદ્ધથી નામની બીજી ભાર્યા હતી. પછી પ્રાણુત દેવલોકથી તે દિવ્યગ્નલ દેવ ચવીને રાજાની વસુંધરી પત્નીના ઉદરમાં ઉતર્યો. તે વખતે તેણીએ બળદેવના જન્મને સૂચવન કરનારા હાથી, પા સરોવર, ચંદ્ર અને વૃષભ એ ચાર શુભ સ્વપ્રો જોયાં. પછી પૂર્ણ સમયે તેણીએ સુવર્ણ જેવી કાંતિવાળા પુત્રને પ્રસન્ચે. તેના પિતાએ તેનું અપરાજિત એવું શુભ નામ પાડયું. પછી એક વખત સરોવરમાં હંસની જેમ અનુદ્ધરીની કુક્ષિમાં સ્વર્ગથી ચવેલ મણિ ચૂલ પુત્રપણે ઉત્પન્ન થયો. તે વખતે તેણીએ પોતાના મુખમાં પ્રવેશ કરતા સિંહ, સૂર્ય, કુંભ, સિંધુ, શ્રી, રત્નેને સમૂહ અને અગ્નિ આ સાત સ્વમ જોયાં. તેણીએ તે સ્વપ્નો પોતાના પતિને કહ્યા. તેણે પણ તેના જાણનારને પૂછયું, ત્યારે તે બે -“હે! રાજા આ વનેથી તમારો પુત્ર વિષ્ણુ( વાસુદેવ) થશે અને આગળને આ પુત્ર બળભદ્ર થશે.” એમ કહીને રાજાએ વિદાય કરેલ તે સ્વપ્ન પાઠક પિતાને ઘેર ગયે. તે દેવીએ પણ પૂર્ણ સમયે શયામ કાંતિવાળા પુત્રને પ્રો . પિતાએ તેનું અનંતવીર્ય એવું નામ પાડયું. પછી યોગ્ય કાળે તે બને એ કળાને અભ્યાસ કર્યો, અનુક્રમે રૂપ અને લાવવડે શોભતા યુવાવસ્થાન પામેલા તે બે કુમારને પિતાએ બે કન્યા પરણાવી. પછી કેઈક દિવસ તે નગરના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાનવડે સહિત(જ્ઞાનવાળા) સ્વયંપ્રભ નામના મુનિ આવીને સમવસર્યા(રા). એટલામાં અશ્વક્રીડા કરીને થાકી ગયેલે તે રાજા વિશ્રાંતિને માટે નંદનવનની જેવા તે ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક ક્ષણવાર તેણે વિસામે લીધે. ત્યાં અશોકવૃક્ષની નીચે ધ્યાનવડે નિશ્ચળ શરીરવાળા તે શ્રેષ્ઠ મુનિને જેયા. તેને ભક્તિથી ત્રણ પ્રદક્ષિણા કરીને તથા નમશકાર કરીને અને મેગ્ય સ્થાને બેસીને તેણે આ પ્રમાણે દેશના સાંભળી – “કષાયે કડવા વૃક્ષે છે, દુર્થીને તેનું પુષ્પ છે, તથા આ લેકમાં પાપકર્મ અને પરલોકમાં દુર્ગતિ એ તેનું ફળ છે, તેથી અનર્થના કારણભૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy