________________
[ ૪૨ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ભાગ્યશાળી તે બને રાજા દરેક વર્ષે ત્રણ યાત્રાઓ કરતા હતા. તેમાં બે યાત્રા શાશ્વતી અને એક અશાશ્વતી છે. ચૈત્ર માસના શુકલ પક્ષમાં એક શાશ્વતી યાત્રા હોય છે અને બીજી આશ્વિન માસમાં અષ્ટાહિકા નામની પ્રસિદ્ધ છે. તેમાં દેવો અને વિદ્યારે નંદીશ્વર નામના દ્વીપમાં તથા મનુષ્ય પિતા પોતાના સ્થાનના ચિત્યને વિષે બે યાત્રાઓ કરે છે. ત્રીજી યાત્રાને પણ તે બન્ને રાજા સીમગિરિ ઉપર બળદેવ ષિના કેવળજ્ઞાનની ઉત્પત્તિને
સ્થાને શ્રી બાષભદેવના મંદિરમાં કરતા હતા. પછી ઘણા હજાર વર્ષ સુધી રાજ્ય કરીને તે બન્ને રાજાએ કોઈક દિવસ મેરુપર્વત ઉપર જઈને સનાતન શાશ્વતા) જિનેશ્વરના ચરણને વાંઘા. પછી ત્યાં નંદન નામના વનમાં બેઠેલા વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણ મુનિને જોયા. તેમને નમીને તથા તેમનું વ્યાખ્યાન સાંભળીને તે બને મુનિને પૂછ્યું કે-“હે ભગવાન! અમારું કેટલું આયુષ્ય છે તે કહે?ત્યારે
છવીસ દિવસનું આયુષ્ય બાકી રહ્યું છે.” એમ તેઓએ તે બન્નેને કહ્યું. ત્યારે આકુળ થયેલા તે બન્ને ફરીથી આ પ્રમાણે બોલ્યા, કે-“વિષય અને આમિષ(માંસ)માં લુબ્ધ થયેલા અમે આટલા કાળ સુધી વ્રત કર્યું નથી, તે હવે હા! હા! અ૯પ આયુગવાળા અમે શું કરશું ?” ત્યારે મુનિઓએ તેમને કહ્યું કે “તમારું શું નાશ પામ્યું છે ? હજુ પણ તમે સ્વર્ગ અને મોક્ષને આપનાર વ્રતને ગ્રહણ કરે.” ત્યારે તેઓએ પોતપોતાના નગરમાં જઈને પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને અભિનંદન નામના ઉત્તમ મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે બને અનશનવડે અને પાદપિપગમવડે રહ્યા. તે શ્રીવિય મુનિએ પિતાનું બળ સ્મરણ કર્યું તેથી “આ તપવડે હું પણ અહો ! પિતાની જેવો થાઉં.” એ પ્રમાણે તેણે પ્રગટ નિદાન(નિયાણું) કર્યું. આ પ્રમાણે નિદાનને કરનાર આ અને નિદાનને નહીં કરનાર બીજો તે બન્ને મરીને પ્રાણુત નામના દેવલોકમાં નંદિકાવર્ત તથા સ્વસ્તિકાવર્ત નામના વિમાનમાં દિવ્યચૂલ અને મણિચૂલ નામના મહદ્ધિક ઉત્તમ દેવપણે ઉત્પન્ન થયા. - ત્યાં પ્રથમ સમગ્ર દેવકાર્યના સમૂહને કરીને પછી સ્થિતિને જાણનારા તે બન્ને હર્ષથી દિવ્ય ( દેવ સંબંધી) વિષયસુખને સેવવા લાગ્યા. તથા જિનેશ્વરના ચેત્યના વંદન વિધિને અને નંદીશ્વર દ્વીપને વિષે યાત્રાને કરતા શુભ મતિવાળા તે બન્ને પિતાના સમ્યકત્વરૂપી રત્નને અત્યંત ઉજવળ કરવા લાગ્યા. આ બીજા પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથ પ્રભુના ચેથા અને પાંચમા ભવનું
વર્ણન આપવામાં આવેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org