SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રસ્તાવ-શુભાશુભ ભાવનું ફળ. [ ૪૧ ] નિદ્રાને ક્ષય થયે તે વખતે તેણે ફરીથી વિચાર કર્યો કે –“અપ્રત્યક્ષ ફળવાળે ધર્મ કરવાથી અહીં શું છે?” પછી કઈક દિવસ બે મુનિઓને મળવડે મલિન જોઈને તેણે આ પ્રમાણે વિચાર્યું કે–“અહો ! આ મલિન સાધુને ધિક્કાર છે. જે આ મહર્ષિઓએ નિર્મળ વેષને ધારણ કર્યો હોત તો જૈનધર્મને શું દૂષણ થાત? અથવા અરે ! મેં દુષ્ટ વિચાર કર્યો, કેમકે સંયમવડે જે નિર્મળ ઉત્તમ મુનિઓ આવા પ્રકારના હોય છે.” આ પ્રમાણે તેણે શુભ ભાવવડે શુભ કર્મ ઉપાર્જન કર્યું, અને આંતરઆંતરે અશુભ ભાવવડે અશુભ કર્મ ઉપાર્જન કર્યું. પછી આયુષ્યને ક્ષય થયો ત્યારે તે મરીને ભુવનપતિ દેવ થયા. ત્યાંથી ચવીને તું ધનદ નામે ઉત્પન્ન થયો છે. તે ભવમાં તે ધર્મ કરીને આંતરામાં જે દૂષિત કર્યો છે, તેથી અહીં તે પ્રગટ રીતે દુઃખથી મિશ્ર સુખ પ્રાપ્ત કર્યા છે.” તે સાંભળીને ધનદ ક્ષણવાર મૂચ્છ પામીને પૃથ્વી ઉપર પડ્યો, અને જાતિસ્મરણવડે પોતાના પૂર્વભવને ભાવ(વૃત્તાંત) જે. અને બે કે-“હે પ્રભુ! તમે જે કહ્યું, તે સત્ય છે. તેથી હવે બંધુઓની અનુમતિ લઈને હું અનગારપણા(ચારિત્રને) ગ્રહણ કરીશ.” એમ કહીને ઘેર જઈને માતાપિતાને આ પ્રમાણે કહ્યું કે-“હે માતા ! હે પિતા! તમે મને દીક્ષા લેવા રજા આપો.” ત્યારે તે બનેએ નિષેધ કર્યા છતાં પણ એટલામાં તે વિરામ ન પાપે, તેટલામાં તે બને બોલ્યા કે-“અમે પણ તારી સાથે દીક્ષા લેશું” પછી તે રાજા પાસે ગયા, અને પિતાને અભિપ્રાય તેણે જણાવ્યું. ત્યારે તે પણ બે કે-“ પણ તારી સાથે જ વ્રત ગ્રહણ કરીશ.” ત્યારે ધનદ બે કે-“ગૃહસ્થાશ્રમમાં તમે મારા સ્વામી હતા, યતિપણામાં પણ તમે સ્વામી થશે. તેથી આ સંયેગે મને પ્રિય છે.” પછી રાજાએ પોતાના પુત્ર કનકપ્રભને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, અને ધનદના પુત્ર ધનાવહને શ્રેષ્ઠીને સ્થાને સ્થાપન કર્યો. ત્યાર પછી રાજા, માતા, પિતા અને ભાર્યાની સાથે ગુરુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. બે પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને તથા વિવિધ પ્રકારના તપ કરીને અંતે મરીને તે સર્વે પૂણ્યાત્મા સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચવીને મહાવિદેહક્ષેત્રને વિષે મનુષ્યપણું પામીને તથા ચારિત્રને ગ્રહણ કરીને તે સર્વ મોક્ષપદને પામ્યા. છે ઈતિ મત્સ્યોદર(ધનદ)ની કથા. હે વિદ્યાધર રાજા ! આ ધનદની કથા સાંભળીને તારે નિરંતર ધર્મ કરો. એમ તે મુનિએ કહ્યું તે સાંભળીને તે અમિતતેજ રાજા ગુરુની આજ્ઞાને મરતક ઉપર ધારણ કરતો ઊઠીને ફરીથી પણ તે શ્રેષ્ઠ બે મુનિઓના ચરણને નમ્યો. પછી તપના માહાભ્યને પામેલા તે બને ચારણ મુનિ આકાશમાં ઊડીને ઈચ્છિત સ્થાને ગયા. પછી શ્રી વિજય નરેશ્વર અને અમિતતેજ બેચરેશ્વર તે બને ધર્મમાં તત્પર થઈને કાળ નિગમન કરવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy