SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો પ્રસ્તાવ : ધનદે મણિપ્રભાવથી રાજપુત્રનું કરેલું ઝેર નિવારણ. [ ૩૯ ] તે મેલ્યા કે–“ સર્વ સર્વાંના શિશમણિ( મુગટ )રૂપ આ રાજસ છે, તેથી અમારે અહીં મંત્ર ક્રિયા કરવા લાયક છે. ” ત્યારે ચક્રેશ્વરીએ આપેલા મણુિના જળવડે ધનદે તેને તત્કાળ વિષ રહિત કર્યું અને રાજા હર્ષ પામ્યા. પછી ધનદનું સન્માન કરીને પેાતાને ઘેર આવીને રાજાએ જન્મની જેમ પુત્રનું વર્ષોપન કરાવ્યું. પછી તે રાજાના પુત્ર અનુક્રમે યૌવનવયને પામ્યા, ત્યારે કાઇક દિવસ હાથી ઉપર ચડીને રાજવાટિકા માટે નીકળ્યેા. નગરની શેાભાને જોતાં શરરાજાની પુત્રી શ્રષણા નામની મનેાહર કન્યાને જોઈ. ઉત્કટ રૂપવાળી તેણીને જોઇને કુમાર કામદેવથી પીડિત થયા, અને તે કન્યા તેને જોઇને કાંઈ પણ પ્રીતિવાળી ન થઇ. ઘેર પ્રાપ્ત થયેલા કુમાર તેણીના વિરહથી અરતિને પામ્યા. અને તેના મિત્રાએ તે અભિપ્રાય રાજાને નિવેદન કર્યા. ત્યારે રાજાએ આદેશ કરેલા એક મત્રોએ શૂર રાજા પાસે જઇને કુમારને માટે તે શ્રીષેણા નામની શ્રેષ્ઠ કન્યાની માગણી કરી. ત્યારે મેાટા અનુગ્રહને માનતા તે રાજાએ જેટલામાં મંત્રીનું અતિ ગૌરવ કર્યું, તેટલામાં તે ખાલિકા એલી, કે“ હું પિતા! જો તમે મને તેને આપશે, તે હું અવશ્ય આત્મહત્યા કરીશ.” તે સાંભળીને તે રાજા ખેદ પામ્યા, અને તેણે મંત્રીને કહ્યું કે 66 પ્રથમ તેા તમે રાજા પાસે જાએ. આ કન્યાને સમજાવીને પછી હું તમને કહેવરાવીશ... ” પછી મંત્રીએ જઇને તે વાત રાજાને કહી. શૂર રાજાએ પણ કન્યાને કહ્યું, પરંતુ તે શ્રીષેણા તા પતિને ઇચ્છતી જ નથી. પછી તેણે તે વાત રાજાને કહી. રાજાએ પણ તે વાત પુત્રને કહી. તે પુત્ર અત્યંત કામાતુર થયેા. આ અવસરે તે ધનદ રાજાની પાસે આવ્યા, અને આ પ્રમાણે પૂછ્યું કે—“હે મહારાજા ! તમે ચિ ંતાતુર કેમ છે ? ” રાજાએ પણ પુત્રની અવસ્થાનું સ્વરૂપ કહ્યું. તે સાંભળીને શ્રેષ્ઠીપુત્રે કહ્યું કે“ હું રાજા ! વિષાદે કરીને સ`, ચક્રેશ્વરી દેવીએ આપેલા ર્માણુના મહાત્મ્યથી આ કાર્યને હું ક્ષણવારમાં સાધીશ. ” એમ કહીને તે મણિને લાવ્યો, અને કુમારને તે આપ્યાં. તે કુમારે પણ ધનદે કહેલ વિધિવડે તેની આરાધના કરી, તેથી તે મણુિ તેના ઉપર તુમાન થયેા. ત્યારે તે શૂર રાજાની પુત્રીએ તે રાજપુત્ર ઉપર પ્રીતિને ધારણ કરી; અને તે વાત સમીપે રહેલી સ્નેહી સખીને જણાવી. તેણીએ તેના પિતાને તે વાત કહી. તેણે પણ જઇને રાજાને કહી, રાજાએ પણ પુત્રને કહી, ત્યારે તે સ્વસ્થ થયા. પછી જ્યાતિ:શાસ્ત્રને જાણનારને ખેાલાવીને રાજાએ વિવાહના ઉત્તમ દિવસ પૂછ્યો. ત્યારે તેણે તેને બીજે દિવસે જ શુભમુહૂત્ત કહ્યું. દોષરહિત અને શુભ ગ્રહેાએ દેખેલા તે લગ્ન(મુહૂત્ત)ને વિષે તે બન્નેને સારાં શકુનાવર્ડ ઉત્સાહભરેલા વિવાહ થયા. તે કુમાર તેની સાથે વિલાસસુખ ભોગવવા લાગ્યા. પછી કાઇક દિવસ રાજાને મસ્તકને વિષે ઉગ્ર શૂલના વ્યથા થઇ. વૈદ્યોને દુ:સાધ્ય તેની તે પીડાને રાગાપહારી નામના સારા મણિના પ્રભાવથી ધનન્દે પણુ શમાવી દીધી. ત્યારે રાજાએ વિચાયું. કે—“ અહા ! ગુણુરૂપી રત્નાના મેટા સમુદ્રશ્ય આના જેવા બીજો કાઈ પણ પુરુષ આ પૃથ્વીતળ ઉપર નથી. મારા કાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy