________________
[ ૩૮ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર
ધનદ રાજાની આજ્ઞા લઈને મોટા પરિવારવટે પિતાને ઘેર ગયે. ત્યાં “આ રાજાને માન્ય છે” એમ જાણીને તેને આસન આપવા વિગેરે સ્વાગત ક્રિયા કરીને ઉદાર બુદ્ધિવાળો ૨સાર પણ આ પ્રમાણે બે, કે-“હું ધન્ય છું, કે જેને ઘેર રાજાને વલભ તું આવ્યા. જેનાવડે તારે પ્રજન હોય, તે વસ્તુને તું કહે. મારું સર્વ તારું જ છે.” ધનદ પણ બોલ્યો કે-“હે પિતા! જે તમે કહે છે, તે સત્ય છે. પરંતુ મોટા કારણને લીધે હું તમને કાંઈક પૂછું છું, કે-“તમારો ધનદ નામને જે પુત્ર હતા, તે હમણાં કયાં છે? તેની શુદ્ધિ તમે જાણે છે કે કેઈપણ ઠેકાણે તે છે કે નથી?” આ પ્રમાણે અભિપ્રાયવાળું તેનું વચન સાંભળીને તથા પુત્રના આકારવાળા તેને જોઈને વિતર્ક સહિત તે શ્રેણીએ પુત્રને વૃત્તાંત કો, કે-“મારા પુત્ર હજાર દીનારવડે એક ગાથા ગ્રહણ કરી. તેને માટે મેં તેને કઠોર વચન કહ્યું. ત્યારે અભિમાનના વશથી ઘરમાંથી નીકળીને તે કેઈપણ ઠેકાણે ગમે છે. તેના જવાને ઘણે કાળ થયો છે, તેની શુદ્ધિ હું જાણતો નથી. પરંતુ આકૃતિવડે અને વચનવડે હું એમ માનું છું, કે તે જ તું છે. અને તું તારા આમાને ગમ કરતો હોય તો અહો! શંકા કરું કેમકે આ પૃથ્વીતળ ઉપર સરખા લેાકો ઘણા દેખાય છે. તેથી તે પણ મારા પુત્રની જેવો હોઈશ.(દેખાય છે.)” ધનદે કહ્યું-“હે પિતા! તે જ હું તમારો પુત્ર છું.” ત્યારે તેના જમણા ચરણમાં ચિહ્ન જોઈને તે શ્રેષ્ઠીએ પણ તેને
ત્ર જાયે. તે ધનદ પિતાના પગને નમ્યો. તેણે પણ તેને ગાઢ આલિંગન કર્યું. તથા હર્ષના અશ્રુના પૂરવડે પૂર્ણ નેત્રવાળે તે ગદગદ સ્વરે બે , કે-“હે પુત્ર! અહીં આવ્યા છતાં પણ તેં તારા આત્માને કેમ ગુપ્ત રાખ્યો ચિરકાળે મળેલા માતાપિતાને વિષે શું તારી ઉત્કંઠા ન હોય ? હે વત્સ ! આટલે કાળ તું ક્યાં રહ્યો ? દેશાંતરમાં ગયેલા તે દુઃખ કે સુખ શું ભગવ્યું ? ” ત્યારે અથુવડે પૂર્ણ નેત્રવાળા ધનદે પણ સંક્ષેપથી પિતાની કથા માતાપિતાને નિવેદન કરી, તથા તે બન્નેને ખમાવ્યા. અને આ પ્રમાણે તે બે કે-“હે પિતા ! મને રાજા પાસેથી મૂકા, કે જેથી હું અને તમારી વધુ પિતાના ઘેર આવીએ.” ત્યારે તેણે રાજકુળમાં જઈને તે કામ કર્યું, તથા પુત્રની સાથે રાજાને પણ તેણે આમંત્રણ કર્યું. પછી પ્રિયા સહિત ગજેન્દ્ર ઉપર ચડેલો અને રાજાવડે અનુસરાતે તે ધનદ પિતાને ઘેર આવ્યા. પુત્ર દેશાંતરમાંથી આવે અને રાજા પિોતાને ઘેર આવ્યો તેથી હર્ષ પામેલા તે શ્રેષ્ઠીએ ઉત્તમ મહોત્સવ પ્રવર્તાવ્યો(કર્યો). આ અવસરે રાજાના ઉત્સર્ગમાં રહેલા રાજાને પુત્ર પોતાની ક્રીડાવડે મનને સંતોષ ઉત્પન્ન કરતો જેટલામાં રહ્યો છે, તેટલામાં કઈ માળીએ પિતાના કંડિયામાંથી પુષ્પ લઈને રાજાને આપ્યાં. અને તે પુ રાજપુત્ર ગ્રહણ કર્યો. તે પુષ્યની અંદર રહેલ ના(ઝી) રાજ સર્પ નાસિકાના અગ્ર ભાગે સુંઘતા એવા તે રાજપુત્રને ડો. તેથી તેણે પિકાર કર્યો. રાજા પણ પુષ્પની મધ્યે રહેલા તે સપને જોઈ અત્યંત દુઃખી થયો, તેથી તેણે ગાડિકને કહ્યું કે-“હે ભદ્ર ! આ પુત્રને તું વેદના રહિત કર.” ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org